SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાન્તીઓનું નિરાકરણ તથા ક્રિયાયોગની સિદ્ધિ - ગાથા-૩૩ ૨૦૩ કરવામાં ઉપસ્થિતિકૃત ગૌરવ થાય; એટલે કે એક વસ્તુનો બોધ કરવા માટે બીજી અનેક વસ્તુઓને પહેલા ઉપસ્થિત કરવી પડે. આના બદલે જો પ્રારબ્ધ-અદૃષ્ટ સિવાયના કર્મો જ્ઞાનનાશ્ય છે અને પ્રારબ્ધ-અદૃષ્ટ જ્ઞાનનાશ્ય નથી એવો કોઈ વિભાગ પાડવામાં ન આવે; પરંતુ અમુક વિજાતીય (different kind of) કર્મો જ્ઞાનનાશ્ય છે, એવું સ્વીકારવામાં આવે તો જ્ઞાનનાશ્ય કર્મ સહેલાઈથી ઉપસ્થિત થઈ શકે છે. પરિણામે જ્ઞાન અને વિજાતીય અદષ્ટના નાશ વચ્ચે કાર્ય-કારણ ભાવની ઉપસ્થિતિ પણ સરળ બને છે. નૈયાયિકની પરિભાષામાં કહીએ તો કાર્યતાવચ્છેદકમાં શરીરકૃત લાઘવ' પ્રાપ્ત થાય છે. ll૩૨ી. અવતરણિકા : વિજાતીય અદૃષ્ટની કલ્પના કરવાથી શું પ્રાપ્ત થશે તે જણાવી, હવે સંપૂર્ણ ચર્ચાનું નિગમન કરતાં જણાવે શ્લોક : इत्थं च ज्ञानिनों ज्ञाननाश्यकर्मक्षय सति । ચિના ક્ષાર્થ, સાપ મુક્યત્વે ૩૩ II શબ્દાર્થ : ૧/૨, ૨- અને આ રીતે = વિજાતીય અદષ્ટની કલ્પના કરવાથી રૂ. જ્ઞાનિનઃ - જ્ઞાનીના ૪/૫. જ્ઞાનનાયમૈક્ષયે સતિ - જ્ઞાનથી નાશ થાય તેવા કર્મોનો નાશ થયે છતે દુચૈિજનાથÍધક્ષયાર્થ-માત્રક્રિયાથી નાશ પામી શકે તેવા કર્મોના સમુદાયનો ક્ષય કરવા માટે ૭૮. સાપ - તે = ક્રિયા પણ ઉપયોગી છે. શ્લોકાર્થ | ભાવાર્થ : અને આ રીતે વિજાતીય કર્મ જ જ્ઞાનનાશ્ય છે એવી કલ્પના કરવાથી જ્યારે જ્ઞાનીના જ્ઞાનનાશ્ય કર્મનો ક્ષય થઈ જાય ત્યારે માત્ર ક્રિયાથી જ નાશ પામે તેવા કર્મોનો ક્ષય કરવા માટે જ્ઞાનીને પણ શાસ્ત્રોક્ત ક્રિયા ઉપયોગી બને છે. (આમ અનેક યુક્તિ-પ્રયુક્તિઓ પછી શ્લોક ૨૦ની વાત સત્ય ઠરે છે.) વિશેષાર્થ : જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત કર્યા પછી પણ માત્ર એક વિશિષ્ટ પ્રકારના એટલે જ્ઞાનથી નાશ પામી શકે તેવા કર્મોનો જ ક્ષય જ્ઞાનથી થાય છે, તેથી તે સિવાયના (ક્રિયાનાશ્ય) કર્મોનો નાશ કરવા માટે જ્ઞાનીને ક્રિયા પણ 1. પ્રારબ્ધતર અદૃષ્ટ જ્ઞાનથી નાશ પામે છે એવું માનીએ તો જ્ઞાન કારણ છે અને પ્રારબ્ધતર-અદૃષ્ટનો નાશ એ કાર્ય છે. ત્યારે રાણપ્રતિયોજિપેવિશિષ્ટ પ્રતિયોગિકૉંત્વનું કાર્યતા અવચ્છેદક બનશે. આ કાર્યતા અવચ્છેદક ભેદઘટિત હોવાને કારણે ગૌરવ થાય. તેના બદલે જો જ્ઞાનોત્તરજર્મના પ્રતિ જ્ઞાન શાર અને મોરવર્મના પ્રતિ મi #ારVાં એવું સ્વીકારીએ તો કાર્યતા અવચ્છેદક જ્ઞાનોત્તરવર્ગનાશત્વમ્ બને, આથી વિજાતીય અદૃષ્ટને જ્ઞાનનાશ્ય માનવાથી કાર્યતાવચ્છેદકમાં શરીરકૃત લાઘવ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005562
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy