SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનથી જ કર્મનાશ માનનારા વેદાન્તીઓનું નિરાકરણ તથા ક્રિયાયોગની સિદ્ધિ - ગાથા-૩૧ ૨૦૧ અવતરણિકા : વિદ્વાનનું શરીર સ્વભાવથી જ રહે છે એવું કહેવાથી પણ જ્યારે આપત્તિ આવે છે, ત્યારે અંતે વેદાન્તીઓ પોતાના મતને સ્પષ્ટ કરવા એક જુદી જ રજૂઆત કરે છેશ્લોક : उच्छृङ्खलस्य तच्चिन्त्यं, मतं वेदान्तिनो ह्यदः । પ્રાતઃ વસ્તુ વિદ્વાન સ્થિતિ II II શબ્દાર્થ : ૧/૨. તત્ દિ - તે કારણથી ૩/૪, ૩છૂણ્ય વેઢાન્તિન: - ઉશૃંખલ વેદાન્તીનો ૧/૬. ૩ : મતં - આ મત ૭. વિન્ચ - વિચારણીય છે ૮, ફિનું - પરન્તુ (અમારા મતે) ૨. વિદ્વત્તનુસ્થિતિ: - વિદ્વાનના શરીરની સ્થિતિ 9999. પ્રાધ્યકૂદત: જોયા - પ્રારબ્ધઅદૃષ્ટથી (ટકે છે) એમ જાણવું. શ્લોકાર્થ | ભાવાર્થ : .. (જે કારણથી ઉછુંખલ વેદાન્તીઓ ભગવદ્ગીતાના વચનનું તાત્પર્ય જાણતા નથી) તે કારણથી ઉશ્રુંખલ વેદાન્તીનો આ મત વિચારણીય છે એટલે કે અસંગત છે; પરંતુ પ્રારબ્ધ-અદષ્ટના કારણે જ વિદ્વાનનું શરીર ટકી રહે છે એમ જાણવું. વિશેષાર્થ : એકાન્ત જ્ઞાનને જ કર્મનાશનું કારણ માનનારા ઉશ્રુંખલ વેદાન્તીઓ ભગવદ્ગીતાના ચોથા અધ્યાયના શ્લોક-૩૭ના જ્ઞાનનઃ સર્વવર્માણ મમ્મસાત્ કુરુતે' વગેરે વચનોના આધારે એવું પ્રતિપાદન કરે છે કે, જ્ઞાનથી સર્વ કર્મ નાશ થઈ જાય છે. આ એક ખોટો સિદ્ધાન્ત પકડી લીધા પછી તેઓ પોતાના સિદ્ધાન્તને સિદ્ધ કરવા અનેક દલીલો કર્યા કરે છે અને એવું સિદ્ધ કરવા માંગે છે કે આયુષ્ય સહિત સર્વ કર્મનો નાશ થયા પછી પણ જ્ઞાનીનું શરીર ટકી રહે છે. ઉર્ફેખ વેદાન્તીઓની આ વાત અનુભવ કે યુક્તિથી તો ગ્રાહ્ય નથી જ પણ આગમથી પણ ગ્રાહ્ય નથી. તેથી જ ભગવદ્ગીતાના આ વચનના તાત્પર્યને જણાવનારા શંકરાચાર્ય જેવા વિદ્વાન વેદાન્તીઓ પણ તેમના આવા અભિપ્રાયને સ્વીકારતા નથી. કેમ કે આ શ્લોકની વ્યાખ્યા કરતાં શંકરાચાર્યજીએ પોતાના ભાષ્યમાં જણાવ્યું છે કે, “જ્ઞાની જ્ઞાનદ્વારા સર્વ કર્મોનો નાશ કરતો નથી પણ પ્રારબ્ધ-અદૃષ્ટ સિવાયના કર્મોનો જ જ્ઞાન દ્વારા નાશ કરે છે.' તેઓના મતે અદૃષ્ટ બે પ્રકારના હોય છે : પ્રારબ્ધ અને તે સિવાયના ઇતર. આ જન્મમાં જ ફળ આપનારા 1. ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा = निर्बीजीकरोतीत्यर्थः । न हि साक्षादेव ज्ञानाग्निः कर्माणीन्धनवद् भस्मीकर्तुं शक्नोति । तस्मात् सम्यग्दर्शनं सर्वकर्मणां निर्बीजने कारणमित्यभिप्रायः ।सामर्थ्याधन कर्मणा शरीरमारब्धं तत्प्रवृत्तफलत्वादुपभोगेनैवक्षीयते ।अतोयान्यप्रवृत्तफलानि ज्ञानोत्पत्तेः प्राक् कृतानि ज्ञानसहभावीनि चातीतानेकजन्मकृतानि च तान्येव सर्वाणि भस्मसात् कुरुते । - શરવાર્યતાતામાણે || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005562
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy