SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રની વ્યાખ્યા અને સ્વરૂપ - ગાથા-૧૫ અપૂર્વ અનુભવ થાય છે. આવા શુદ્ધ અનુભવથી ઘણા અશુભ કર્મોનો નાશ થાય છે અને પ્રકૃષ્ટ કોટિનો પુણ્યબંધ થાય છે. જેના પરિણામે સાધક સર્વ સિદ્ધિઓ, રિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રાપ્ત કરી, છેક મોક્ષ સુધી પહોંચી શકે છે. શાસ્ત્રમાં સમાપત્તિ, આપત્તિ અને સંપત્તિનો એક સુંદર ક્રમ દર્શાવ્યો છે. વીતરાગ સાથે તાદાત્મ્ય સાધે અર્થાત્ આત્મા વીતરાગ ભાવનો અનુભવ કરે તેવા ધ્યાનને ‘સમાપત્તિ’ ‘કહેવાય છે. સમાપત્તિથી વિશિષ્ટ કર્મનિર્જરા અને તીર્થંકરનામકર્મ જેવા ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ થાય છે, જેને ‘આપત્તિ’” કહેવાય છે. ત્યારપછી જ્યારે આ તીર્થંકર નામકર્મનો ઉદય ચાલુ થાય ત્યારે આ જગતની સર્વશ્રેષ્ઠ એવી તીર્થંક૨૫ણાની અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ સ્વરૂપ સંપત્તિ પ્રાપ્ત થાય છે, જેને ‘સંપત્તિ’ કહેવાય છે. આમ પ્રભુનું ધ્યાન સાધકને છેક પ્રભુ બનાવી શકે તો બીજી બધી સંપત્તિનું તો શું કહેવું ? અહીં એટલું ધ્યાનમાં લેવું કે પ્રભુ સાથે સમરસની અનુભૂતિસ્વરૂપ આ સમાપત્તિ મુખ્યપણે અસંગઅનુષ્ઠાનમાં અનુભવાય છે. અને તે ક્ષાયિકભાવના સમ્યક્ત્વાદિ ગુણોનું કારણ બને છે. જ્યારે શાસ્ત્રયોગથી નીચેની ભૂમિકામાં કે ઇચ્છાયોગકાળમાં પણ આ સમરસ આપત્તિ હોય છે, પણ તે મુખ્ય સમાપત્તિના॰ બીજરૂપે હોય છે અને સમ્યક્ત્વાદિ ગુણોનું કારણ બને છે. આમ દરેક પ્રવૃત્તિ કરતી વખતે શાસ્ત્ર વચનને આગળ કરવાથી જ સાધક ક્રમે કરી છેક મોક્ષ સુધી પહોંચી શકે છે, તેથી હંમેશા શાસ્ત્રાજ્ઞા મુજબ જ જીવન જીવવાનો સંકલ્પ હોવો જોઈએ. ॥૧૪॥ અવતરણિકા : વીતરાગના પુરસ્કરણને અન્ય દર્શનકારો પણ અર્થથી સ્વીકારે છે, તેઓ તે માટે કયા કયા શબ્દોનો ઉપયોગ કરે છે તે બતાવતાં કહે છે શ્લોક : ૫૯ ७ एनं केचित्ळे समापत्तिं, व ध्रुवं । પ્રશાન્તવાહિતામન્ય, વિભાક્ષય १० પદે [૨] શબ્દાર્થ : ૧. નં - આને (શાસ્ત્રના આદર દ્વારા કરાતા વીતરાગના આદરને) ૨. વિત્ - કોઈક રૂ. સમાfi - સમાપત્તિ ૪. વન્તિ - કહે છે . ઊંચે - અન્ય ૬/૭. ધ્રુવલ્ પમ્ - ધ્રુવપદ (કહે છે) ૮. અન્યે - અન્ય ૧. પ્રશાન્તવાહિતામ્ - પ્રશાન્તવાહિતા (અને) ૧૦. પરે - અન્ય દર્શનકારો (વળી તેને) 99. વિસમાક્ષયં - વિસભાગક્ષય પણ કહે છે. શ્લોકાર્થ : આ વીતરાગ પુરસ્કરણને કેટલાક ‘સમાપત્તિ’ કહે છે, કોઈક ‘ધ્રુવ પદ’ કહે છે, અન્ય ‘પ્રશાંતવાહિતા’ કહે છે અને વળી બીજા કોઈક ‘વિસભાગક્ષય’ કહે છે. 7. આપત્તિથ તતઃ પુણ્ય-તીર્થર્મવન્યતઃ । તમાવામિમુહત્વન, સંપત્તિથ માર્ં મવેત્ ।।૩૦/૪।। 8. सैव समरसापत्ति योगिनः सम्यक्त्वादिगुणपुरुषमाता । Jain Education International For Personal & Private Use Only ષોડશા-૨/૧ જ્ઞાનસારે || ટીજાયામ્ ।। www.jainelibrary.org
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy