SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ શ્રી સદ્ગુરુ, પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય માંડે છે. તેથી સમક્તિ નિર્મળ થતું જાય છે. (૨) અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસથી પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ પ્રગટ થાય છે. તે મૈત્રીરૂપ સાગર માટે ચંદ્રનું કાર્ય કરે છે. ૩) તે મોહરૂપી જાળને બાળી નાખવા માટે અગ્નિ સમાન નીવડે છે. એટલે દંભ જતાં અધ્યાત્મશાસ્ત્ર વડે સાધક અધ્યાત્મ માર્ગમાં આગળ વધતો જાય છે અને પોતાના લક્ષને પ્રાપ્ત કરી લે છે. (૧૯) “આત્મા સત્પુરુષને અર્પણ કરવો તે જન્મ મરણ ટાળવાનો માર્ગ છે.” - આત્મા ત્રણ પ્રકારના છે : બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. બહિરાત્મા સંસાર પરિભ્રમણ જ કર્યા કરે છે. તો સદ્ગુરુ પ્રત્યે તન, મન, ધન અને આત્માથી અર્પણતા કરવી એમ કહેવામાં આવ્યું છે. અહીં જે આત્માને અર્પણ કરવાનો છે તે બહિરાત્મા છે. તેમ કરવાથી આત્મા અંતરાત્મદશાને ત્વથી પ્રગટ કરી લે છે. અને અંતરાત્મ દશા વડે સાધક પરમાત્મ સ્વરૂપ તરફ આગળ વધતો રહે છે. આ પ્રમાણે સાધના કરતા રહેવાથી પોતે જન્મ-મરણને ટાળીને મુક્ત દશાને પ્રગટ કરવા માટે પાત્ર બની જાય છે. (૨૦) “આસક્તિ છૂટવી સહેલી નથી. આવી દશા સમજણથી લાવવી એ કાંઈ જેવી તેવી વાત નથી.” ગૃહકુટુંબાદિ વિષે અનાદિકાળથી જીવને મોહભાવ, મારાપણાનો ભાવ, માલિકી ભાવ સતત ઘૂંટાતો રહ્યો છે જેને આસક્તિ પણ કહેવામાં આવે છે. અનાદિકાળના અભ્યાસને કારણે આ આસક્તિભાવને છોડવો સહેલો નથી. જ્યાં સુધી આ આસક્તિ ભાવ છૂટે નહીં ત્યાં સુધી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટતો નથી. આ આસક્તિ ભાવને સમજણથી તોડવો સામાન્યપણે મુશ્કેલ છે. પણ જો જ્ઞાનીગુરુનો ભેટો થઈ જાય કે જે આપણને પુણ્યોદયથી થયો છે, તો તેના આશ્રમમાં રહેવાથી, તેની આજ્ઞા પ્રમાણે વર્તવાથી આસક્તિ તોડવી સહેલી બની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy