SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય ૭૯ (૧૧) “કર વિચાર તો પામ’-સદ્વિચારણાથી વિવેક ઉત્પન્ન થાય અને વિવકેથી ‘હું કોણ ?’ આ બધું શું ? અને મોક્ષમાર્ગ કયો ? તે સમજાય.'' શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ...(આ.સિ.-શાસ્ત્ર) જગતમાં બે મુખ્ય પદાર્થો છે. એક જીવ અને બીજો અજીવ. જીવના ગુણધર્મો શું છે ? અજીવના ગુણધર્મો શું છે ? તેના પર વિચારણા કરવાથી જીવ-અજીવના ગુણધર્મોની જાણ થશે અને તે જાણ થતાં સ્વ અને પરનો ભેદ જણાશે, તેમજ વૈરાગ્યભાવ અંતરમાં પ્રગટ થશે. જેનાથી જીવાત્મા વિવેક પ્રગટાવશે અને વિવેક પ્રગટવાથી પોતે વિચારણા કરશે કે ‘મારું સ્વરૂપ શું છે ? આ બધું જે બાહ્ય ચક્ષુ વડે જણાઈ રહ્યું છે, તે શું છે ? આ શરીરમાં જ પરિણમવું, તેનું જ લાલન-પાલન કરવું, એ જ મારો ધર્મ છે કે તે સિવાય બીજું કાંઈ મારું સ્વરૂપ છે. આમ વિચારણા કરવાથી મારું સ્વરૂપ આ બાહ્યથી જેને મારું માની રહ્યો છું તે નથી, તે તો નાશ પામતું જોવામાં આવી રહ્યું છે, તેને છોડવું જ પડે છે એવો અનુભવ થયા કરે છે. માટે મારું સ્વરૂપ આનાથી જુદું જ રહેલું છે. હું તો એક શુદ્ધ દ્રવ્યરૂપે રહેલો આત્મતત્ત્વ છું. વળી જ્ઞાયકતા ગુણ મારામાં રહેલો છે. હું ચૈતન્યનો જ પિંડ, સ્વપર પ્રકાશક શક્તિવાળો સ્વયં જ્ઞાનરૂપ, જ્યોતિરૂપ અને અનંતસુખનું ધામ રહેલો છું. તે સિવાયનું જે છે તે વળગેલું છે, તે તો હું વિભાવ ભાવમાં પરિણમી રહ્યો છું તેનાથી છે અને તેને પોતાનું માની તેને જ સાચવવાનો સતત પુરુષાર્થ કરતો આવ્યો છું, પણ હજી સુધી તેને કોઈ સાચવી શક્યું નથી તો હું તેને કેવી રીતે સાચવી શકવાનો છું ? માટે હવે યથાર્થ મોક્ષમાર્ગમાં ચાલવાનો માર્ગ બતાવનાર જ્ઞાનીપુરુષનો ભેટો થયો છે, તો તેમના આશ્રયમાં તેને સમજી, તે પ્રમાણે જ આચરણરૂપ પુરુષાર્થ કરીને આ સંસાર પરિભ્રમણને ટાળી અનંત એવા સુખમાં બિરાજી જાઉં તે જ મને મળેલા મનુષ્ય દેહનું (જન્મનું) કર્તવ્ય રહેલું છે. આ સમજણ કેળવી શાશ્વત સુખ મેળવવાનો પુરુષાર્થ કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy