SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય ઉપર વિચાર કરવાની જરૂર છે. જેમનો ફક્ત એક જ ઉદ્દેશ છે કે આત્માને બંધનથી છોડાવવો છે, તેવાં શાસ્ત્રોનો પરિચય કરવો. તે જ્ઞાનીપુરુષની ગેરહાજરીમાં ખૂબ જ ઉપયોગી સાધન છે, આવી જ વાત નીચે કહે છે. (૫૫) સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિ:ખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈપણ કારણે આ સંસારમાં કલેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. (૫.-૪૬૦/પા.-૩૭૯) ૩૭ ક્રમાંક (૫૪)માં જે વાત કરી હતી તે જ વાત અહીં જુદી રીતે કરવામાં આવી છે પણ ભાવ એ જ રહેલો છે. જીવનમાં વિચારણા દ્વારા નિર્ભયતા અને નિઃખેદપણાને પ્રગટાવવાની ખાસ જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. કોઈપણ કારણે સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. જીવનમાં અવિચારણા અને અજ્ઞાન છે ત્યાં સુધી પરિણામો ક્લેશિત થયા કરવાનાં છે, તેથી મોહભાવ વધે છે અને માઠી ગતિમાં પરિભ્રમણ કરવાનું આવે છે. જો જીવનમાં સદ્વિચારણા ચાલતી હોય તો તેના આધારે પુરુષાર્થ કરી આત્મજ્ઞાન પ્રગટાવી શકાય છે અને નિર્વાણ તરફ આગળ વધી શકાય છે. તેનો સાક્ષાત્ અને મુખ્ય ઉપાય જ્ઞાનીપુરુષે આપેલી આજ્ઞાને વિચારવી અને અમલમાં મૂકવી તે છે. (૫૬) પૂર્વકાળમાં જે જે જ્ઞાનીપુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે શ્રવણને શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાનીપુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાનીપુરુષનાં સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy