SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬. શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાસ્ય (૧) જ્ઞાનીપુરુષના ભેટો થયે, તેમની પાસેથી શ્રતરૂપે વચનની પ્રાપ્તિ થવાથી અને તેના પર યથાયોગ્ય વિચારણા કરવાથી અજ્ઞાન નામના દોષની નિવૃત્તિ થઈ શકે છે. પણ અજ્ઞાન અનાદિકાળથી બળવાન બનેલું હોવાથી તેને દૂર કરવાને માટે અને જ્ઞાનીઓના વચનો પર યથાવત્ વિચારણા કરવાને માટે જીવે મળ અને વિક્ષેપ મટાડવાનાં છે. (૨) મળ એટલે કષાયપ્રેરિત ભાવોનું હોવાપણું. તેને દૂર કરવાને માટેનાં થોડાં કારણો અહીં આપવામાં આવ્યાં છે. સૌથી પ્રથમ જીવનમાં સરળતા ગુણ પ્રગટાવવો જરૂરી છે. પારમાર્થિક સાધના કરવા માંગતા સાધક માટે આ ગુણ સૌથી અગત્યનો અને જરૂરી છે. તે આવ્યા વિના સાધનામાર્ગમાં આગળ વધવું મુશ્કેલ છે. જો સરળતા હોય તો બીજા જીવોની ભૂલોને માફ કરવાની, તેને ક્ષમા આપવાની વૃત્તિ સહજપણે પ્રગટી જાય છે, જો ક્ષમાભાવ પ્રગટ થઈ જાય તો સરળતા અને ક્ષમાભાવથી જીવની પોતાની દૃષ્ટિ પોતાના દોષ જોવા ભણી વળી જાય છે. તેથી પોતાના દોષોને કાઢવાનો પુરુષાર્થ કરી શકે છે. જો આપણામાં સરળતા, ક્ષમા અને પોતાના દોષ તરફની દૃષ્ટિ ખુલી જાય તો આપણે અલ્પ આરંભી થવા તરફ જઈ શકીશું. અલ્પ આરંભી થઈ જવાય તો અલ્પ પરિગ્રહી પણ થઈ જવાય. આમ આવા કારણોનો યથાયોગ્ય વિચાર કરવાથી આપણામાં રહેલ મળ નામના દોષનો ક્ષય કરી શકીશું. તો સાધનામાર્ગમાં આગળ વધવું સહજ અને સરળ બની રહેશે. (૩) વિક્ષેપ મટાડવાનું સાધન જ્ઞાની પુરુષની અત્યંત એકલશે આશ્રયભક્તિ કરવી તે છે. એટલે કે તેઓની આજ્ઞા પ્રમાણે ચાલવાથી સાધના માર્ગમાં નડતો વિક્ષેપ નામનો દોષ દૂર કરી શકાય છે અને આત્માને શુદ્ધ બનાવી શકાય છે. આ દોષો કાઢવા માટે સત્પરુષનો યોગ મુખ્ય છે, પણ તેની ગેરહાજરીમાં સપુરુષનાં ચરિત્રો અને માર્ગાનુસારી સાધકોનાં વચનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy