SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય મેળવી સુખી થાઓ એવી ભાવના સતત ભાવતા હોય છે. સર્વ જીવો આત્માના સુખને જ પ્રાપ્ત થાઓ એમ જ ઈચ્છતા હોય છે. તેમનો સ્વભાવ તો ‘સવ્વિ જીવ કરું શાસન રસી’-એવો જ હોય છે. (૫૩) આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈપણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાનીપુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. (૫.-૪૩૨/૫૫.૩૬૫) ૩૫ અહીંયા આત્માને વિભાવથી છોડાવવાને માટે તેમજ સ્વભાવમાં સહજપણે રહી શકાય તે માટેનો મુખ્ય ઉપાય એક જ છે અને તે છે આત્મજ્ઞાનમાં સહજપણે રમણતા કરતા એવા જ્ઞાનીપુરુષનો સંગ, નિષ્કામ બુદ્ધિથી કરી તેમની આજ્ઞામાં વર્તવું, તે રહેલો છે. માટે જ્ઞાનીની આશ્રય ભક્તિ સ્વીકારી સાધનામાર્ગમાં આગળ વધવા પુરુષાર્થી બનવું તે જ ઉપયોગી છે, કલ્યાણકારી છે. (૫૪) મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. જ્ઞાનીપુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે, તેનો યથાયોગ્ય વિચાર થવાથી, અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાનીપુરુષનાં વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થ મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું,, અલ્પારંભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાનીપુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે....સત્પુરુષનાં ચરિત્રો અને માર્ગાનુસારી જીવોનાં વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિષે છે એવા ગ્રંથનો પરિચય રાખવો અને એ સૌ સાધનામાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો. (૫.-૪૪૯/પા.૩૭૨,૩૭૩) અહીંયાં જીવમાં અનાદિથી ત્રણ દોષો રહેલા છે, તેની વાત કરી અન તે કેમ દૂર કરી શકાય તેનું માર્ગદર્શન સ્પષ્ટપણે આપવામાં આવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy