SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય ૨૫ આ પત્રમાં કહેવામાં આવેલા વચનો સાધકને માટે કેટલા ઉપયોગી છે, તેની જાણ બીજા પત્રમાં કહેવામાં આવેલાં વચનો સાક્ષી પૂરે છે; “આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે.” (પ.-૧૭૨) માનવાનું ફળ નથી પણ દશાનું ફળ છે. આ જ પત્રમાં કહે છે કે : “અને એ જ સર્વશાસ્ત્રનો, સર્વ સંતના દયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે અને સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સપુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે.” જે સાધક આના પર ઊંડી સુવિચારણા કરીને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરશે તે ચોક્કસ પોતાના ધ્યેયને પામી જશે. (૨૮) ભવસ્થિતિની પરિપક્વતા થયા વિના, દીનબંધુની કૃપા વિના, સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળવો દુર્લભ છે. (પ.૧૭૬/પા.-રપર) ભવપરિણતિ પરિપાક થઈ હોય એટલે કે બધા જ કર્મોની ભોગવવાની સ્થિતિ ૧ કોડાકોડી સાગરોપમથી ન્યૂન થઈ હોય તે સમયે પ્રત્યક્ષ સદ્ગુરુની પ્રાપ્તિ થાય અને તેમની આશ્રય ભક્તિ સ્વીકારવામાં આવે તો મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવારૂપ જ્ઞાની પુરુષનો અનુગ્રહ થાય અને માર્ગ સરળ બની જાય. (ર૯) સંતના ચરણ સેવ્યા વિના ત્રણે કાળમાં માર્ગ મળવો દુર્લભ છે. (પ.-૧૭૬/પા.-રપર) ઉપરના અનુસંધાને જ વાત કરવામાં આવી છે તે સત્ય છે. (૩૦) સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. (પ.-૧૭૪/પા.-૨પર) જે આધ્યાત્મિક સાધના કરવી છે, તેને માટે સત્સંગ-સપુરુષનો સંગ કરવો એ મોટામાં મોટું અને મુખ્ય સાધન છે, બાકીનાં બીજાં બધા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy