SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય સાધનો એના સંગે કરવાનાં. રહ્યાં છે. જયાં સુધી જીવને પુરુષ પર યથાર્થ શ્રદ્ધા આવતી નથી, ત્યાં સુધી સંસાર પરિભ્રમણમાંથી છૂટવાની વાર્તાનો પ્રારંભ થતો નથી. સત્સંગ દ્વારા મળેલી આજ્ઞાઓ, સાધનોનો યથાતથ્ય ઉપયોગ કરવો તે જ જીવાત્મા માટે શ્રેયનું, કલ્યાણનું કારણ રહેલ છે. (૩૧) માર્ગને સાધ્ય કરવા નિરંતર સપુરુષના ચરિત્રનું મનન રાખજો. (પ.-૧૯૨/પા.-૨૫૯) મોક્ષમાર્ગને સાધ્ય કરવા માટે નિરંતર સત્પરુષના આંતરિક ચરિત્રને સમજવાનો પુરુષાર્થ કરવો અને તે પ્રમાણે ચાલવાનો પુરુષાર્થ કરવો જેથી માર્ગ સુલભ રીતે પ્રાપ્ત થવા યોગ્ય થાય છે. જેને આધ્યાત્મિક સાધના કરવી છે તેણે “કરના ફકીરી કયા દિલગીરી, સદા મગન મન રહેનાજી.” આ પ્રકારની વૃત્તિ અધિકમાં અધિક વર્ધમાન કરવા જેવી છે. જ્ઞાનીપુરુષે આચરેલા અને પરમાર્થને સિદ્ધ કરેલા માર્ગનું આચરણ કરવું એ જ શ્રેય છે. (૩૨) હે આયુષ્યમનો! આ જીવે સર્વ કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડા પ્રકારે કરી ઉઠાવ્યાં નથી અને એને જ અમે મુનિઓનું સામાયિક કહ્યું છે. (આત્મ-સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે). એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે કે-“આણાએ ધમ્મો આણાએ તવો'-આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર). (પ.-૧૯૪/પા.-૨૬૦) અહીંયા કહેવામાં આવેલી વાત પ્રગટ કરવાનો જોગ આપણને પ્રાપ્ત થયો છે તો હવે તે પ્રમાણે આચરણ કરી આપણી સ્થિતિ પરમાર્થમય બનાવવી તે જ કર્તવ્યરૂપ હોવું જોઈએ. એને માટે જ પુરુષાર્થ હોવો જોઈએ. પોતાના સ્વચ્છેદે કાંઈપણ કરવાનો પુરુષાર્થ ન કરવો. સપુરુષનાં, જ્ઞાનીપુરુષનાં વચનોને યથાવત્ સમજીને અવધારવાં, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy