SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય ગુણોનું ચિંતન, તેમનાં વચનોનું મનન, તેમનાં ચારિત્રનું કથન, કીર્તન અને પ્રત્યેક ચેષ્ટાના ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શકતું હોય તો મનનો નિગ્રહ થઈ શકે ખરો; એમ થવાથી ધ્યાન શું છે, એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પરત્વે તેની ખૂબી માલૂમ પડે.” મન, વચન, કાયાની ચેષ્ટાનાં રહસ્યો જેમ જેમ જણાતાં જાય તેમ તેમ તે સત્પરુષ પ્રત્યે અહોભાવ વધતો જાય અને તેથી ભક્તિભાવ પણ વધતો જાય. ચેષ્ટાનું નિદિધ્યાસન કરવાથી ઉદાસીનતામાં વધારો થતો જાય. એનું પરિણામ એમ આવે કે નિર્વિકલ્પતારૂપ સ્થિતિ તરફ આગળ વધી શકાય. (૭) તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું - આ સાધક માટે મુખ્ય વાત છે કે જ્ઞાની ગુરુ દ્વારા જે કાંઈ પણ કહેવામાં આવે તેને સંપૂર્ણ અર્પણભાવ સાથે સ્વીકારી તે પ્રમાણે આચરણમાં લાવવા પુરુષાર્થી બનવાનું છે. તો જ મોક્ષમાર્ગનું રહસ્ય પામીને આગળ વધી શકાશે. આ માટે પ.ફ.દેવ શું કહે છે તેનો જ વિચાર કરીએ. “આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છીપાવવા ઈચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલખેદ, જવરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે. એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે... માટે ફરી ફરી તે સત્પરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.... સંસાર કેવળ અશાતામય છે. કોઈપણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ પુરુષનો જ અનુગ્રહ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સપુરુષ જ કારણ છે.” (પ.-૨૧૩) “તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઈ વીતરાગ દશા થાય છે.” (પ.-૭૭૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy