SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી સદગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ આ કડીઓમાં દેહાધ્યાસ તોડવાની વાત કરી છે. તે દેહાધ્યાસ નિરાશ્રયપણે છૂટતો નથી. તે સત્પરુષના આશ્રમમાં રહેવાથી અને તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાથી સહેલાઈથી તોડી શકાય છે. જો દેહાધ્યાસ છૂટી જાય તો તે પોતે ભાવકર્મ અને દ્રવ્યકર્મનો કર્તા મટી જાય છે અને બાહ્યનું કર્તાપણું છૂટવાથી તું હવે બાહ્યનો ભોક્તા પણ રહેતો નથી. એ જ ધર્મનો મર્મ-રહસ્ય છે. આ પ્રમાણે આરાધન કરવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે પોતે જ મૂળથી જ મોક્ષસ્વરૂપી રહેલો છે. તે પોતે જ અનંત ચતુષ્ઠયનો સ્વામી છે, અવ્યાબાધસ્વરૂપી છે. પૂર્વે થઈ ગયેલા જ્ઞાની પુરુષોનું ચિંતન કલ્યાણકારક છે, પણ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું જરૂરી છે, તે તેવા સ્મરણથી સમજાતું નથી; પ્રત્યક્ષ જોગે, વગર સમજાવ્યું પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત ગણવામાં આવેલ છે. (૫.-૨૪૯) પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો નિશ્ચય થયું અને પાત્રતા પ્રગટવાથી જીવ સમ્યગદર્શનને એટલે કે આત્મ સાક્ષાત્કારને પામે છે. આ સિ. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે : પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર.-૧૧ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિન રૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિન સ્વરૂપ.-૧૨ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.-૧૬ સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.-૧૭ માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.-૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy