SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય - ૧૭ તન, મન, ધન અને આત્માથી અર્પણતા જ્ઞાની પ્રત્યે કરવી જરૂરી છે. એટલે કે સાધક એકનિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરે તો સહજપણે ઉદાસીનભાવની પ્રાપ્તિ કરી શકે. (૨) પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું :- પુરુષની ભક્તિ તો ત્યારે જ થઈ શકે કે જ્યારે પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષનો ભેટો થયેલો હોય. પરમાર્થ માર્ગનું રહસ્ય, તેનો મર્મ, સત્પરુષના હૃદયમાં સ્થિત છે. તે રહસ્ય પ્રાપ્ત કરવા માટે સત્પરુષની ભક્તિ કરવી આવશ્યક છે. એટલે કે સપુરુષ જે પ્રમાણે આજ્ઞા કરે તે પ્રમાણે સાધના માર્ગમાં ચાલવાનો પુરુષાર્થ કરવાનો છે. એમ કરવાથી પોતાનામાં રહેલા સ્વચ્છેદાદિ દોષો નાશ પામે અને પાત્રતા પ્રગટ થાય. પાત્રતા થતાં સપુરુષનો અનુગ્રહ આપણા ઉપર થાય અને માર્ગમાં-અધ્યાત્મમાર્ગમાં આગળ વધવાનો માર્ગ ખુલ્લો થતો જાય. સત્પરુષના આશ્રમમાં રહેવું અને તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ જ એક અધ્યાત્મમાર્ગમાં આગળ વધવાનો રસ્તો છે. પાત્રતા માટે ૫.કુદેવ ૯૫૪ માં જણાવે છે કે : મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.-૯. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય.-૧૦ નહિ તૃષ્ણા જીવ્યા તણી; મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જીત લોભ.-૧૧ અહીંયા પ્રથમ, મધ્યમ અને ઉત્કૃષ્ટ પાત્રતાની વાત કરવામાં આવી છે. વળી ધર્મનો મર્મ બતાવતાં આસિ. શાસ્ત્રમાં કહે છે કે : છૂટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ; નહીં ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.-૧૧૫ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.-૧૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy