SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ નિર્વેદ, આસ્થા, અનુકંપા-જે સમ્યક્દર્શનનાં લક્ષણો છે તે પ્રગટવાં જોઈએ. હવે ઉદાસીનતા એટલે ઉર્દુ એટલે ઊંચે અને આસીન એટલે બેસવું તે. સંસારભાવોથી ઉપર ઊઠી જવું તે ઉદાસીનતા. સંસાર પ્રત્યે, તેમાં રહેલા પદાર્થો પ્રત્યેથી મમત્વભાવ નીકળી જવો તે ઉદાસીનતા. ૫.દેવ પણ કહે છે કે : સુખકી સહેલી અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. (૫-૭૭) જહાં રાગ અને વળી દ્રષ, તહાં સર્વદા માનો ક્લેશ; . ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. (પ-૧૦૭) યથાર્થ સુખની સખી ઉદાસીનતા છે, આત્માના અતીન્દ્રિય આનંદની સખી ઉદાસીનતા છે. અધ્યાત્મ ભાવને જન્મ આપનારી ઉદાસીનતા છે. જ્યાં સંસાર સંબંધી પદાર્થોમાં રાગદ્વેષની પરિણતિ વર્તતી હોય ત્યાં હંમેશાં કલેશિત પરિણામનો જ વાસ હોય છે, જેથી સંસાર પરિભ્રમણ થયા કરે છે; પણ જેવી ઉદાસીનતા પ્રગટે છે કે બધા જ પ્રકારના દુખોનો નાશ થઈ જવાનો યોગ બની આવે છે. ઉદાસીનતા એટલે (૧) સંસારી ભાવોથી ઉપર ઊઠી જવું. (૨) કોઈપણ પરિસ્થિતિમાં સમતાભાવને ધારણ કરીને રહેવું. (૩) સંસારી બનાવો કે પદાર્થો પ્રત્યે, પોતાના ઉદય પ્રત્યે ઉપેક્ષાભાવ અને (૪) બધા જ પ્રસંગોમાં દ્રષ્ટાભાવ જાગૃત રાખવો, ક્યાંય પણ ભળવાપણું ન થવા દેવું. આમ આ ચાર રીતે ઉદાસીનતા પ્રગટાવવાનો પુરુષાર્થ કરવાનો છે. જેમ જેમ ઉદાસીનતા પ્રગટતી જાય તેમ તેમ જીવ વીતરાગભાવ તરફ આગળ વધતો જાય છે. એથી અસંગતા પ્રાપ્ત થાય છે અને અસંગતાનું ફળ આત્મસાક્ષાત્કારરૂપે પ્રાપ્ત થાય છે. એટલે આત્માર્થ સાધવા માટે આ ‘નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો એ અગત્યનું પાસું છે. આને માટે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું જરૂરી છે, તે માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy