________________
૧૪
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહામ્ય માર્ગ પ્રદાન કરી રહ્યા છે. તેથી આ ત્રણે એકરૂપ જ રહેલા છે. તેમાં ભેદબુદ્ધિ કરનાર મોક્ષમાર્ગને સમજી શકતો નથી અને તેથી સંસારનો અંત કરી શકતો નથી. ત્રણે એક જ રૂપ છે એવી દઢતા આવ્યથી સાધક યથાવત્ સાધના કરતો કરતો આગળ વધી તેમના જેવો જ બની જાય છે. (૨૫) અમે સાચું સમજવાના કામી છીએ. કંઈ લાજ શરમ, માન, પૂજાદિના કામી નથી, છતાં સાચું કેમ ન સમજાય? સદ્ગુરુ દૃષ્ટિથી સમજાય. પોતાથી યથાર્થ ન સમજાય. (પ.-૧૬ ૧/પા.-૨૪૨)
જેઓ સત્ય-સાચું સમજવાની ઈચ્છા ધરાવતાં હોય તેઓને કોઈપણ પ્રકારે લાજ-શરમ કે માન-પૂજાદિની કામના હોતી નથી, પણ તે સમજવા માટે પોતાની દૃષ્ટિથી જ સમજવાનો પ્રયત્ન-પુરુષાર્થ કરવામાં આવે તેઓને યથાર્થ સમજાતું નથી, પણ જો સરુનો ભેટો થઈ જાય અને તેમના આશ્રમમાં રહી શકાય તો બધું જ સમજી શકાય, સાચા ખોટાનો નિર્ણય યથાવત્ થઈ જાય. (૨૬) સત્ય એક છે, બે પ્રકારનું નથી, અને તે જ્ઞાનીના અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. (પ.-૧૬૭/પા.-૨૪૭)
સત્ય એક જ છે. ચેતન તે ચેતન જ રહે છે, જડ છે તે જડ જ રહે છે. આ વાતની યથાતથ્ય સમજણ જ્ઞાનીનો અનુગ્રહ આપણા ઉપર થાય તો જ પ્રાપ્ત થાય. (૨૭) નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, સપુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું તેના મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં, તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. - આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org