SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ર શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહામ્ય સમીપમાં સદેવ કાળ રહેવું કાં સત્સગની પ્રાપ્તિમાં રહેવું, આત્મદર્શિતા ત્યારે પ્રાપ્ત થશે. (પ.-૯૨/પા.૨૦૬) મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ અક્ષરોમાં સ્પષ્ટપણે દર્શાવ્યો નથી, પણ ગૌણતાએ રાખ્યો છે. તે ગૌણતાનું કારણ આ વાક્યમાં દર્શાવ્યું જણાય છે. પોતાનું મૂળસ્વરૂપ શું છે તે જાણવાનો નિશ્ચય કરવો. તે નિશ્ચય કર્યા પછી તેનું જાણપણું થાય તે માટે નિગ્રંથ એવા જ્ઞાની ગુરુને મેળવવા પ્રયત્ન કરવો. જો તેઓ મળી જાય તો તેઓના આશ્રમમાં રહી, તેઓ જે આજ્ઞા આપે તે પ્રમાણે આરાધના કરવી અને શક્ય હોય ત્યાં સુધી તેઓના સાનિધ્યમાં રહેવાનો પુરુષાર્થ કરવો અથવા તેમનો સત્સંગ થયા કરે તેવો પુરુષાર્થ કરતા રહેવું. આત્માનો સ્વાભાવિક ગુણ દેખવાજાણવાનો હોવાથી તે ય પદાર્થને જોયાકારે દેખે, જાણે, પણ જે આત્માને આત્મદર્શિતા પ્રગટ થઈ છે, તે પરપદાર્થને દેખવા, જાણવા છતાં તેમાં મમત્વબુદ્ધિ, તાદાભ્યપણું, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતો નથી. આત્મદર્શિતા એટલે રત્નત્રયની પ્રાપ્તિ જેને થઈ છે, તે સહજપણે સંસારભાવોથી પર રહીને જાગૃતપણે દ્રષ્ટાભાવને રાખીને ઉદયાનુસાર વર્તન કરતા રહે છે જેથી આત્મા બંધનમાં ન આવે. (૨૦) (૧) સપુરુષના ચરણનો ઈચ્છક-મહાવીરના બોધનો પાત્ર છે. (૫-૧૦પ/પા.૨૧૦). જે પુરુષના ચરણને ઈચ્છે છે તે તેમની આશ્રયભક્તિને સ્વીકારે છે; તન, મન, ધન પ્રત્યેનો આસક્તિભાવ ઘટાડે છે અને તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાની તૈયારી રાખે છે, તે મહાવીરના બોધને પાત્ર બની જાય છે અને સમ્યગદશા પ્રાપ્ત કરી લે છે. (૨૧) સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોકલ્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. (પ.-૧૨૮/પા.-રરર) સંત એટલે પુરુષ એટલે આત્મજ્ઞાની મહાત્માનો ભેટો થતો નથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy