SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સદ્ગુરુ, સત્પુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ્ય દેહાવસ્થામાં પ્રાય તે દુઃખનું જ વેદન કરીને રહેલો છે. હે જીવ ! તું તને મળેલા દેહની જેટલી ચિંતા રાખે છે તેના કરતાં દેહમાં રહેલા આત્માની ચિંતા અનંતગણી રાખીને, તે દેહમાં મમત્વ કરી રહ્યો છે તેમાંથી પાછો વળ; કારણ કે અનંતકાળથી જે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે, તેમાંથી બહાર નીકળવાનો યોગ આ મનુષ્ય ભવમાં જ પ્રાપ્ત થાય તેમ છે. માટે દેહ કરતાં આત્માની ચિંતા અનેકગણી રાખીને તેને સંસાર પરિભ્રમણમાંથી છોડાવવાનો પુરુષાર્થ કરી લે, જેથી અનંતકાળના પરિભ્રમણનો કિનારો આવી જાય અને બહુ જ થોડા ભવમાં તેનો અંત લાવી શકાય. તે માટે સદ્ગુરુ આશ્રયમાં રહી યથાયોગ્ય સાધના કરવામાં લાગી જવાની જ જરૂર છે. તો જરૂર સંસારનો અંત આવી જશે. (૧૮) “અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય ? આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે.’’આ એક લખેલ સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. (૫.૮૬/પા.૨૦૧ તથા પ.-૧૯૫/પા.-૨૬૦) આ વાક્યમાં લખવામાં આવેલ વાત ઉ૫૨ ચિંતન કર્યા વગર, તેને માટે દૃઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થાય તેમ નથી, હજી સુધી થયું પણ નથી. માટે આપણે સૌએ તેના પર વારંવાર વિચારણા કરવાની જરૂર છે અને એ વિચારણા દ્વારા આપણા આત્માને સંસારમાંથી છોડાવવાનો યથાર્થ પુરુષાર્થ સદ્ગુરુ આશ્રયમાં રહી, તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાથી જ થઈ શકે તેમ છે. તો જ વીતરાગદેવ અને વીતરાગતા શું છે તેનો ખ્યાલ આવશે. તો જ તે માટેનો પુરુષાર્થ કરી શકાશે અને આપણા આત્માને પરિભ્રમણના દુઃખમાંથી છોડાવી શકવાનો પુરુષાર્થ થઈ શકશે. એ જ આ મનુષ્યભવનું કર્તવ્ય છે તેમ સમજવાની જરૂર છે. (૧૯) નિશ્ચય, નિગ્રંથજ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, Jain Education International ૧૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy