SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ . શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે.એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જીંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ. (૫-૭૬/પા.૧૯૪,૧૯૫). આ કથનમાં મોક્ષમાર્ગની આરાધના કરવી હશે તો પ્રત્યક્ષ વિદ્યમાન સન્દુરુષની શોધ કરવી પડશે. શોધીને તેમની આશ્રયભક્તિને સ્વીકારવી પડશે અને તેમની આજ્ઞાએ ચાલવું પડશે તો જ મોક્ષ સુધી પહોંચી શકાશે. છતાં જ્ઞાનીપુરુષ કહે છે કે-“જો તને મોક્ષ ન મળે તો મારી પાસે આવી જજે, તને તે માર્ગ બતાવીને માર્ગદર્શન આપીશ, જેના આધારે સાધના કરીને મોક્ષને પ્રગટાવી શકીશ.” હવે સપુરુષ કોણ તેની વાત કરે છે. સત્પરુષ એજ કે જે દરરોજ પોતાના આત્માના ઉપયોગમાં જ લીન રહે છે. તેઓ જે કાંઈ બોલે તે શાસ્ત્રવાક્ય જ ગણાય, કારણ કે તે આત્માને સ્પર્શીને નીકળેલ છે, અનુભવમાં આવી શકે તેવું કથન છે. જેને કોઈપણ પ્રકારની સ્પૃહા રહી નથી એમ જે રહેલા છે, તેવા સત્પરુષની આશ્રય ભક્તિમાં રહી તેમની કૃપાને જીતવાનો પુરુષાર્થ કરવાનો છે. તેઓ જે કાંઈ કહે તે સ્વીકારીને તેમના ગુણગ્રામ કરવામાં તારી જીંદગીનો સમય ચાલ્યો જાય તો પણ નુકસાન નથી, કારણ કે આનું ફળ તને પદર ભવમાં મોક્ષ જવા રૂપ અવશ્ય મળવાનું જ છે. (૧૭) દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુઃખી? એ સંભારી લે. દેહની ચિંતા જેટલી રાખે છે તેટલી નહીં પણ એથી અનંતગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંતભવ એક ભવમાં ટાળવા છે. (પ.-૮૪/પા.-૨૦૦,૨૦૧) જો યથાતથ્યપણે વિચારણા કરવામાં આવે તો જણાશે કે જે દેહમાં રહીને વિચારણા કરી રહ્યો છે, તે દેહથી જુદો જ રહેલો જણાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005556
Book TitleSadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2010
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy