________________
૫૬
જ્ઞાનજ્યોતિની જીવનરેખા પેટીઓ અને પોથીઓ ઉઘાડી ઉઘાડીને મને કંઈ કંઈ અવનવી વસ્તુઓ મમતાપૂર્વક બતાવેલી, એ આજે પણ સારી રીતે સાંભરે છે. પૂજય પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ તથા પૂજય ચતુરવિજયજી મહારાજની અમીદષ્ટિનો લાભ પણ આ વખતે જ મળેલો.
આ પછી મહારાજશ્રીનો પરિચય ઉત્તરોત્તર વધતો ગયો. વિ. સં. ૨૦૦૬માં તેઓ જેસલમેર ગયા ત્યારે ત્યાંની કામગીરીની માહિતી આપતા પત્રો તેઓ અવારનવાર મને લખતા રહેતા. જેસલમેરથી પાછા ફરતાં સ્થાનકમાર્ગી ફિરકાના ઉદાર, સહૃદય, વિદ્વાન અને સ્વતંત્ર ચિંતક સંત ઉપાધ્યાય શ્રીઅમરમુનિજી (કવિજી મહારાજ) તથા શ્રીમદનલાલજી મહારાજ સાથે મહારાજશ્રીને જે ધર્મગ્નેહભર્યો હાર્દિક સંબંધ ગાઢ થયેલો એની વિગતો પાલનપુરમાં ખુદ શ્રીઅમરમુનિજી તથા શ્રીમદનલાલજી મહારાજના મુખેથી સાંભળીને અંતર ગર્ગદ થઈ ગયું અને લાગ્યું કે મહારાજશ્રીના હૃદયની વિશાળતા સાચે જ સાગર જેવી છે. એ વર્ષનો સંકેત તો એવો હતો કે મહારાજશ્રી તથા આ મુનિવરો પાલનપુરમાં સાથે જ ચોમાસું ફરે અને આગમ-સંશોધન તથા બીજાં સાહિત્ય-કાર્યો અંગે વિચાર-વિનિમય કરે, પણ વચમાં કંઈક અણધાર્યો વિક્ષેપ એવો આવ્યો કે, આ શક્ય ન બન્યું. તેઓનું ચોમાસું પાલનપુરમાં થયું; મહારાજશ્રી અમદાવાદમાં ચોમાસું રહ્યા. વિ. સં. ૨૦૦૮ની આ વાત. આ પછી, વિ. સં. ૨૦૧૮નું ચોમાસું મહારાજશ્રીએ એમના વતન કપડવંજમાં કર્યું એ એક વર્ષને બાદ કરતાં, છેક વિ. સં. ૨૦૨૩ સુધીનાં બધાં ચોમાસાં મહારાજશ્રીએ અમદાવાદમાં કર્યા, એટલે એમની વધુ નિકટમાં આવવાનો વિશેષ લાભ મળતો રહ્યો.
વિ. સં. ૨૦૧૭માં શ્રી મહાવીર જૈનવિદ્યાલયે, મહારાજશ્રીના માર્ગદર્શન નીચે, મૂળ આગમસૂત્રો પ્રકાશિત કરવાની યોજના શરૂ કરી અને હું, એની વ્યવસ્થા સંભાળવા, સહમંત્રી તરીકે વિદ્યાલયમાં જોડાયો. આથી વિ. સં. ૨૦૧૭ થી ૨૦૧૭ સુધી મહારાજશ્રીને બહુ જ નિકટથી જોવાજાણવાનો, એમના વાત્સલ્યના મહેરામણ સમા અંતરને અનુભવવાનો અને એમની વિદ્વત્તાથી સુરભિત સાધુતાનો અને સાધુતાથી શોભતી વિદ્વત્તાનાં દર્શન કરવાનો જે અવસર મળ્યો તે ખરેખર અપૂર્વ અને જિંદગીના અમૂલ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org