________________
જ્ઞાનજ્યોતિની જીવનરેખા
પ્રતોનું સંશોધન કરી રહ્યો છું. આપ જાણો છો કે જે ચૂર્ણિઓ અને ટીકાઓ છપાઈ છે, એ ખૂબ અશુદ્ધ છે. ઘણાં સ્થાનોમાં તો અનર્થ જેવું થઈ ગયું છે. હું માનું છું કે આ કામ મહત્ત્વનું છે અને એ પહેલાં કરવું જોઈએ.
66
સવાલ : આપ આ કાર્યમાં ક્યારથી પરોવાયા છો ?
૪૪
66
66
66
જવાબ : ના. વિશેષે કરીને હું આગમોમાં જ રચ્યો-પચ્યો રહું છું. એ જ મારા માટે છાપાં-સામયિકો છે. હા, ક્યારેક કોઈ ખાસ નિબંધલેખ આવી જાય તો વાંચી લઉં છું.
સવાલ : આપ કેટલા કલાક કામ કરો છો ?
જવાબ : સમયની કોઈ મર્યાદા નથી. હું બધા વખતનો આ કામમાં જ ઉપયોગ કરું છું.
66
66
જવાબ : આશરે પચીસ વર્ષથી હું આ કાર્યમાં લાગેલો છું.
સવાલ : શું આપ છાપાં-સામાયિકો પણ વાંચો છો ?
66
સવાલ : આપની સાથે કેટલા મુનિઓ કામ કરે છે ?
જવાબ : હું એકલો જ છું. મને ભારે નવાઈ ઊપજે છે કે ઘણા બધા મુનિઓને આગમના કામમાં રસ છે જ નહીં. એમને આ કામ જંજાળ જેવું લાગે છે. આમાં જેમને રસ પડે છે એવા વિરલ છે. મને આમાં ખૂબ આનંદ આવે છે. આ કામની આગળ બીજાં બધાં કામ મારે માટે ગૌણ છે. હું એકલો જેટલું કરી શકું એ મેં કર્યું છે. કેટલાક પંડિતો પણ કામ કરે છે. આ રીતે જૈનસાહિત્યની યત્કિંચિત્ સેવા થઈ શકે છે.”
66
અ છેલ્લા જવાબમાં આપણા સાધુસમુદાયની આગમ-સંશોધનના કામ પ્રત્યેની ઉદાસીનતાની મહારાજશ્રીએ જે ટકોર કરી છે, એમાં મહારાજશ્રીએ પોતાની આ અંગેની દુઃખ અને ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. બાકી તો, એ આગમધર મહાપુરુષ પોતાના આગમ-સંશોધનના કાર્યમાં એવા ઓતપ્રોત હતા કે જેથી એમને આવી વિશેષ ચિંતા કરવાનો ભાગ્યે જ અવકાશ મળતો.
આમ છતાં આગમ-સંશોધનના કામને સમર્પિત થયેલું એક નાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org