________________
આગમ-સંશોધન-કાર્યને ઝડપી બનાવવાની
ઝંખના
તેરાપંથના આચાર્ય શ્રી તુલસીજી વિ. સં. ૨૦૨૩નું ચોમાસું અમદાવાદમાં રહ્યા હતા. અમદાવાદમાં સ્થિરતા કરવાનો એમનો એક આશય આગમ-સંશોધનને લગતી જુદી જુદી પ્રવૃતિઓમાં રસ લેનાર વિદ્વાનોનો નિકટ પરિચય સાધીને વિચારવિનિમય કરવો, એ પણ હતો. એટલે એમાં મુનિરાજ શ્રી પુણ્યવિજયજીને મળવાના કાર્યક્રમનો સ્વાભાવિક રીતે જ સમાવેશ થઈ જતો હતો. આચાર્ય તુલસીજી તથા મહારાજશ્રીનું મિલન તો ન થયું, પણ એમના વિદ્વાન અને વિચારક શિષ્ય મુનિ શ્રીનથમલજી વગેરે મુનિવરો મહારાજશ્રીને બેએક વાર મળ્યા હતા. એમના આ મિલન વખતે મહારાજશ્રી અને મુનિશ્રી નથમલજી વચ્ચે જે વાર્તાલાપ થયો, તે તેરાપંથી મહાસભાના સાપ્તાહિક હિંદી મુખપત્ર “જૈનભારતી” ના તા. ૧૯-૧૧-૧૯૬૭ના અંકમાં છપાયો છે. તે જાણવા જેવો હોવાથી એ આખો મૂળ વાર્તાલાપ આ વિશેષાંકમાં અન્યત્ર આપવામાં આવ્યો છે. આ વાર્તાલાપમાંના નીચે આપેલ થોડાક સવાલ-જવાબ ઉપરથી પણ મહારાજશ્રીની આગમ-સંશોધન અંગેની પ્રવૃત્તિ, ઝંખના અને ચિંતાનો ખ્યાલ આવી શકે છે
“ સવાલ (મુનિ નથમલજી) : આજકાલ આપ શું કરો છો ? “ જવાબ (મહારાજશ્રી) : અત્યારે હું ટીકાઓ અને ચૂર્ણિઓની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org