________________
૩૪ ૨
શિક્ષામૃત
અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.
સર્વ પરભાવથી રહિત છું.
ચૈતન્ય લક્ષણ જીવ.
સ્વરૂપથી શુદ્ધ ચૈતન્ય
સંયોગે વિભાવમાં પરિણામે પ્રતીતિએ શુદ્ધ ચૈતન્ય સર્વ
૧૩
एगे समणे भगवं महावीरे इमीसेण उसप्पिणीए चउवीसं तित्थयराणं चरिमे तिथ्थयरे सिद्ध बुद्धे मुत्ते परिनिव्वुडे,सव्वदुःखप्पहीणे
(ઠાણાંગ સૂત્ર) આ અવસર્પિણી કાળમાં ચૌવીસ તીર્થકરોમાં છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરે એકલા દીક્ષા લીધી, એકલા સિદ્ધ થયા, એકલા બુદ્ધ-જ્ઞાની થયા, જ્ઞાન સહિત સર્વકર્મથી મુક્ત એકલા થયા અને એકલા જ સર્વ દુઃખનો અંત કર્યો- નિર્વાણ પામ્યા.
૧૪
આત્યંતર ભાન અવધૂત, વિદેહીવત્ (દેહનાં ભાન વગર), જિનકલ્પવિત્,
સર્વ પરભવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજસ્વભાવના ભાનસહિત, અવધૂતવત્ વિદેહીવત્ જિનકલ્પાવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org