________________
આત્યંતર પરિણામ અવલોકન
૧૭
ૐ નમઃ સર્વજ્ઞ-વીતરાગ દેવ
(સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સર્વ પ્રકારે જાણનાર, રાગદ્વેષાદિ સર્વ વિભાવ જેણે ક્ષીણ કર્યા છે તે ઈશ્વર.) તે પદ મનુષ્યદેહને વિશે સંપ્રાપ્ત થવા યોગ્ય છે. સંપૂર્ણ વીતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. સંપૂર્ણ વીતરાગ થઈ શકાય એવા હેતુઓ સુપ્રતીત થાય છે.
૧૮
પ્રત્યક્ષ નિજ અનુભવસ્વરૂપ છું, તેમાં સંશય શો ? તે અનુભવમાં જે વિશેષ વિશે, વિશેષને વિશે બહિર્મુખ ઉપયોગથી ક્રોધ, માન, માયા, લોભ વિગેરે થાય ત્યારે, ન્યૂનાધિકપણું થાય છે, તે જો મટે તો કેવળ અખંડાકાર સ્વાનુભવસ્થિતિ વર્તે.
અપ્રમત્ત ઉપયોગે તેમ થઈ શકે. અપ્રમત્ત ઉપયોગ થવાના હેતુઓ સુપ્રતીત છે. તેમ વર્ષે જવાય છે તે પ્રત્યક્ષ સુપ્રતીત છે.
અવિચ્છિન્ન (ભંગ ન પડે) તેવી ધારા વર્તે તો અદ્ભુત અનંત જ્ઞાનસ્વરૂપ અનુભવ સુસ્પષ્ટ સમવસ્થિત વર્તે. પ્રગટ થાય.
૩૪૩
૧૯
સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે ‘બ્રહ્મચર્ય’ અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે.
૨૨
સર્વજ્ઞોપદિષ્ટ આત્મા સદ્ગુરુકૃપાએ જાણીને નિરંતર તેના ધ્યાનના અર્થે વિચરવું, સંયમ અને તપ પૂર્વક
૨૩
અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org