SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પ્રતિભાને કારણે થતી તાવણીરૂપ કે સ્વતંત્ર તપાસરૂપ અને તેમાંથી સધાતી નિઃશંકતારૂપ હોય છે. આને કારણે પછીના સાતમા પગથિયારૂપે “વિજ્ઞાન” કે “અર્થવિજ્ઞાનનો ઉદય થાય છે. ભારતીય પરંપરામાં પ્રાયઃ જ્ઞાન સાથે વિજ્ઞાનરૂપ વિકસિત તબક્કાની આવશ્યક્તા બતાવાય જ છે. જ્ઞાન માત્ર શાબ્દિક હોઈ શકે, ધૂંધળું હોઈ શકે; તેથી શંકાયુક્ત કે પ્રતીતિવિહોણું હોઈ શકે (- જે આજની પ્રાય: છીછરી શિક્ષણપદ્ધતિમાં થાય છે !). તેવું જ્ઞાન પ્રયોગક્ષમ કે ક્રિયાપ્રેરક ભાગ્યે જ બને; કારણ કે તે આત્મસાત થયું હોતું નથી. ઊહ-અપોહ દ્વારા જ્ઞાતા સ્વયં યા ગુરુની સહાય દ્વારા પ્રાપ્ત જ્ઞાનનું બરાબર પરીક્ષણ કરે ત્યાર પછી જ જ્ઞાન એ “વિશિષ્ટ જ્ઞાન” (“વિજ્ઞાન') એટલે કે પ્રતીતિરૂપ જ્ઞાન યા અનુભૂતિરૂપ જ્ઞાન બને છે. તે જ્ઞાતા દ્વારા આત્મસાત થાય છે અને તેથી પ્રયોગક્ષમ કે ક્રિયાન્વિત બની શકે છે. “અર્થવિજ્ઞાન' શબ્દનો અર્થ વસ્તુ કે જ્ઞાનવિષય(‘અર્થ’)નું વિશિષ્ટ (પ્રતીતિરૂપ) જ્ઞાન – એવો કરવો યોગ્ય છે. આ “વિજ્ઞાન’ કે ‘અર્થવિજ્ઞાન' બાદ જ્ઞાનપ્રક્રિયામાં કશું બાકી નથી રહેતું –- એવું સામાન્ય રીતે લાગે. પરંતુ જ્ઞાનનાં નવાં-નવાં પરિમાણો સુધી પહોંચેલી ભારતીય પરંપરા એક વિદ્યાવિષયનો અન્ય વિદ્યાવિષયો સાથેનો યા પરમસત્ય સાથેનો અનુબંધ યા સંવાદી સંબંધ સ્થાપવામાં કે સમજવામાં દઢપણે માને છે. ઉપનિષમાં “સત્યના પણ સત્ય (સત્યસ્થ સત્ય)ની જિજ્ઞાસા બતાવાઈ છે. કોઈ પણ વિદ્યાવિષય છેવટે તો પરમસત્ય તરફની યાત્રામાં જ કોઈ ને કોઈ રીતે સહાયક બને છે તેમ મનાય છે. આને કારણે અધ્યયન-પ્રક્રિયામાં વિજ્ઞાન અવસ્થા સિદ્ધ થયા બાદ પણ એનો અન્ય વિદ્યાઓ અને પરમસત્ય સાથેનો અનુબંધ તપાસવાની મથામણ ચાલે છે. વિદ્યાઓ ભલે જીવનનાં અલગ-અલગ પાસાંને લગતી હોઈ, પરસ્પર ભિન્ન હોય, પણ અનેક પાસાં ધરાવતું જીવન તો અખંડ અને એક છે. જીવન જીવતાં તેનાં જુદાં-જુદાં પાસાં પરસ્પર મેળમાં રહે તો જ જીવનની અખંડતા અને સત્યારાધકતા જળવાય અને જીવનમાં સ્વાર્થ અને પરાર્થ એ ઉભયને સમાવતા પરમાર્થની સાધના નિરંતર ચાલી શકે. આવા પરસ્પરના સંવાદી સંબંધને “અનુબંધ' કહે છે. વિજ્ઞાનરૂપે જાણેલી વિદ્યાનો આવો અનુબંધ શોધતાં એ વિજ્ઞાનમાં જે રૂપાંતર આવે તે રૂપાંતર પામેલી વિદ્યા તે તત્ત્વબોધરૂપ બને છે. વિદ્યાનું આ શિખર છે. આ છેલ્લા પગથિયામાં, અગાઉ ઉલ્લેખેલી બુદ્ધિથી ઉપર ઊઠવાની વાત પણ સમાઈ જાય છે. કૌટિલ્ય સર્વાગી કેળવણીને આટલું મહત્ત્વ આપતા હોવાથી જ તેમણે અનેક સ્થળે, રાજ્યના વિવિધ ઉચ્ચ અધિકારીઓની લાયકાતો નિર્દેશતાં પ્રજ્ઞા અને શૌચ' એ પરસ્પરપૂરક ગુણજોડીને પ્રજ્ઞાશૌચયુક્ત’ એવા સમાસથી ઉલ્લેખેલી જોવા મળે છે. “મતિ' એ કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં શીઘ માર્ગનિર્ણય કરનારી બુદ્ધિ છે, તો “પ્રજ્ઞા' ત્રણે ય કાળને ધ્યાનમાં રાખી નિર્ણય કરનારી બુદ્ધિ છે. “શૌચ' (શુચિતા) એટલે ચારિત્ર્યશુદ્ધિ – વિશેષતઃ લોભ અને કામ પર કાબૂ અને એકંદર ઇન્દ્રિયસંયમ. હકીકતે પ્રજ્ઞા-શૌચરૂપ ગુણયુગલ અન્ય અનેક પ્રતિભાગુણોનું પણ જન્મસ્થાન છે. શુદ્ધ અને સામર્થ્યયુક્ત રાજયતંત્ર આવા અનેક અધિકારીઓના ગાઢ સહયોગથી જ નિર્માય છે, જે શાંતિમાં, કટોકટીમાં કે યુદ્ધમાં ઉત્તમ રીતે લોકની કલ્યાણયાત્રાને આગળ ધપાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy