SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય : કેળવણી બ્રહ્મચર્યાશ્રમમાં ઘનિષ્ઠ અને એકાગ્ર રીતે ચાલે તેની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર છે તે પારિવારિક કે જાહેર-જીવનની જવાબદારીઓના સમગ્ર ગાળા દરમિયાન નિરંતર ચાલતી રહે, પુષ્ટ અને શુદ્ધ પણ થતી રહે તેની. એટલે તો ઉપનિષમાં અધ્યયન-સમાપ્તિ વખતે જીવન જીવવા વિદાય થતા શિષ્યને આચાર્ય આદેશ આપે છે ઃ ‘સ્વાધ્યાયમાં કદી પ્રમાદ ન ક૨વો.'' કૌટિલ્યે આનો પડઘો અધ્યાય ૧.૨૬(રાનપ્રનિધિ: રાજાનાં દૈનિક કર્તવ્યો)માંની રાજાની દિનચર્યામાં પાડ્યો છે. તેમાં રાત્રિચર્યાના દોઢ-દોઢ કલાકના આઠ વિભાગો પૈકી બીજામાં પાનભોજન ઉપરાંત સૂતા પૂર્વેના સ્વાધ્યાયની અને નિદ્રાત્યાગ બાદ આવતા રાત્રિના છઠ્ઠા વિભાગમાં (રાત્રિના દોઢ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં) દિવસે કરવાનાં વ્યવહારુ કામોની વિચારણા પૂર્વે શાસ્ત્રચિંતનની ભલામણ કરેલી છે. વૃદ્ધસેવનની આવશ્યકતા પણ એટલે જ બતાવી છે. - (૩) રાજપદયોગ્ય બૌદ્ધિક વિદ્યાઓ આગલા મુદ્દામાં જ આ મુદ્દો સમાયેલો છે, છતાં આ મુદ્દો સામાન્ય કેળવણીને લગતો નહિ, પણ રાજકર્તવ્યબોધક જ્ઞાન-વિસ્તરણ સાથે સંકળાયેલી વિશિષ્ટ કેળવણીને લગતો હોઈ, તેના ઉપર ખાસ ભાર મૂકવા આ ચર્ચા અલગ કરી છે. વળી આ ચર્ચામાં કૌટિલ્યનું એક આગવું પ્રદાન પણ જાણવા મળે છે, તેથી તે તરફ ધ્યાન દોરવા પણ આને અલગ મુદ્દો બનાવવાનું વિચાર્યું. ૭૭ અહીં વિચારવાની બાબત એ છે કે રાજાની માનવીય અને ક્ષત્રિયોચિત કેળવણી ઉપરાંત તેની બૌદ્ધિક સજ્જતા અને એકંદરે સમતોલ રાજપ્રતિભાના નિર્માણ માટે ક્યાં શાસ્ત્રોની, કઈ વિદ્યાઓની તાલીમ જરૂરી છે, આનું ચિંતન ભારતીય રાજનીતિશાસ્ત્રના વિવિધ આચાર્યોનાં વર્તુળોમાં ભિન્ન ભિન્ન રીતે થયું હોવાની વાતનો નિર્દેશ કૌટિલ્યે કર્યો છે. આ મતભેદ ચિંતનના સહજ અને કાળસાપેક્ષ વિકાસક્રમને લીધે પણ માની શકાય. આમાં ભલે સ્પષ્ટતા ન કરી હોય, પણ સામાન્યતઃ રાજા કે ઉચ્ચતમ રાજપુરુષોએ જાણવા યોગ્ય વિદ્યાઓની આ ચર્ચા સમજવી. ઔશનસો (ઉશનસ્ અર્થાત્ શુક્રાચાર્યના અનુયાયીઓ) ‘દંડનીતિ’ (રાજનીતિ) એ એક જ વિદ્યાને રાજા માટે આવશ્યક ગણે છે. બાર્હસ્પત્યો (બૃહસ્પતિના અનુયાયીઓ) દંડનીતિ અને ‘વાર્તા’ (વૃત્તિ એટલે નિર્વાહસાધનો; તે પેદા કરવાનાં વિદ્યાકૌશલો) એ બે વિદ્યાઓને આવશ્યક ગણે છે. ‘માનવો’ (મનુના અનુયાયીઓ) દંડનીતિ, વાર્તા ઉપરાંત ત્રયી(વેદવિદ્યા)ને પણ આવશ્યક ગણે છે. તો કૌટિલ્ય પોતે આ ત્રણ ઉપરાંત આન્વીક્ષિકી(અન્વીક્ષા એટલે પ્રમાણ-વિદ્યારૂપ મનનશક્તિ; તેનાથી સધાતી તત્ત્વવિદ્યા કે દર્શનવિદ્યા)ને પણ આવશ્યક ગણે છે. Jain Education International અર્થશાસ્ત્રનું પરંપરાગત વિઘાનામ રજ્જુનીતિ હતું તે પ્રથમ વ્યાખ્યાનમાં જોયું. સ્વ-૫૨રાષ્ટ્રનાં ઘટકોનું દમન કરવાનું (અંકુશમાં રાખવાનું) કામ શીખવતી વિદ્યા તે દંડનીતિ. એમાં ખુદ દંડધારકો(દમનકર્તાઓ)નું પણ નિયમન કરવાનું છે અને તેમના થકી બાકી રાજ્યતંત્ર, પ્રજા તથા પડોશી રાષ્ટ્રો દ્વારા સ્વરાષ્ટ્ર પ્રત્યે થતાં અપકૃત્યો પર પણ કાબૂ રાખવાનો છે. ‘વાર્તા’ તે ‘વૃત્તિ’ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy