SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૭૫ થવો જોઈએ એ વાત આ ગ્રહણરૂપ ત્રીજા પગથિયામાંથી ફલિત થાય છે. એક-એક પગલું બરાબર ભરવા થકી જ સાચું આરોહણ થઈ શકે છે. ત્રીજા સોપાને સાંભળેલી વાત બરાબર સમજાઈ તો ગઈ. હવે આગળ વધવા માટે સમજાયેલી વાતને બુદ્ધિ જેવી ને તેવી દીર્ઘકાળ સુધી ધારણ કરી રાખે, સંઘરી રાખે તો જ તેના પરીક્ષણનો, કસોટી માટે તેની અજમાયશનો આગલો વિધિ પણ ચાલી શકે. આથી ચોથા પગથિયાનું નામ અપાયું “ધારણ” – જાણેલા જ્ઞાનનો સ્થિર ટકાવ. ધારણ ક્રિયાનું સાધન તો, અલબત્ત, સ્મૃતિશક્તિ જ છે. આના પછી કૌટિલ્યના ઉપર્યુક્ત વાક્યમાં “વિજ્ઞાન'રૂપ પગથિયું બતાવ્યું છે. જયારે આમાં હેજ ક્રમફેર બતાવતી અન્ય પરંપરાના સૂચક એક શ્લોકમાં ૨ ઊહ-અપોહ એ બંનેની બાદ અર્થવિજ્ઞાન” એ રૂપે આ કૌટિલ્યોક્ત પાંચમું પગથિયું સાતમા ક્રમે મૂકેલું છે; એ વધુ વાસ્તવિક ક્રમ જણાય છે. કૌટિલ્યોક્ત ક્રમફેર કંઈક અંશે તપાસનો વિષય બને છે. હાલ તો પેલા શ્લોક પ્રમાણેનો ક્રમ સ્વીકારીને આગળ વધીએ. એમાં પાંચમું પગથિયું છે ઊહ, છઠ્ઠ છે અપોહ. સામાન્ય રીતે આ બે પગથિયાં એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં હોઈ બંનેનો “ઊહાપોહ' એવા સમાસરૂપે સંયુક્ત ઉલ્લેખ કરાય છે. ગુજરાતીમાં બૌદ્ધિકરૂપે આ શબ્દ ‘ઉગ્ર વાદવિવાદ કે “ચકચાર' અર્થમાં પણ વપરાતો હોય છે. એમાં પણ બતાવેલો મૂળ અર્થ તો જળવાય જ છે. ઊહ બે પ્રકારે સંભવી શકે. એ રીતે “ઊહ'નો અર્થ કાં તો “સ્વતંત્ર તર્ક, કાં તો “ઊઠતી શંકા' એમ કરી શકાય. મનુષ્ય બુદ્ધિશાળી હોઈ સ્વતંત્ર પ્રતિભા ધરાવતો હોવાથી પોતે ગુરુમુખે મળેલા જ્ઞાનને ધારણ કરી તેના વિષે સ્વયં મનન કરતાં ગુરુએ કરેલી કોઈ રજૂઆત અંગે યા તો નરી શંકા અનુભવે યા તે વસ્તુના સ્વરૂપ અંગે તર્ક દ્વારા નવી ધારણા ઊભી કરે; તે શંકા કે ધારણા તે “ઊહ. આવી શંકા કે નવી ધારણા ગુરુ સમક્ષ પણ ચકાસણી માટે રજૂ કરાઈ હોય. “ઊહ પણ કોઈ સિદ્ધ પક્ષ કે સિદ્ધ જ્ઞાન રજૂ કરતો નથી. માત્ર શ્રવણ કરનાર શિષ્ય અગાઉ સંચિત કરેલા કોઈ ભિન્ન જ્ઞાન કે વિપરીત જ્ઞાનને કારણે સમગ્ર જ્ઞાનશુદ્ધિ અર્થે તે નિખાલસપણે શંકા કે પોતાની વસ્તુસ્વરૂપવિષયક નવી ધારણા સ્વયં કરે છે ને ગુરુ સમક્ષ વ્યક્ત કરે છે. એમાં પોતાની શંકા કે પોતાની ભિન્ન ધારણા બ્રાંતિયુક્ત હોવા અંગેની સંભાવના પણ શિષ્યના મનમાં ગર્ભિત રહે જ છે. અપોહ' (અપ+ઊહ) એટલે ઊહનો પ્રતિકાર (અપનયન) કરતો તર્ક. એ પણ ઊહ જેમ સ્ટેજ-સ્ટેજ ભિન્ન સંદર્ભે કાં તો જ્ઞાતામાં પોતાના તર્ક સામે સ્વયં ઊઠતો પ્રતિતર્ક હોઈ શકે, યા શિષ્ય ગુરુ સમક્ષ શંકા કે પોતાની નવી ધારણા રજૂ કરી હોય ત્યારે ગુરુ દ્વારા કરાતા શંકાનિરસનરૂપ હોઈ શકે. એમાં પણ ગુરુ દ્વારા પ્રતિતર્ક વડે થતું શંકાનું નિરસન હોઈ શકે યા અન્ય રીતે પણ નિરસન હોઈ શકે. આમ ઊહાપોહરૂપ મનોઘટનાઓ પરંપરાપ્રાપ્ત જ્ઞાનની નવા જ્ઞાતા દ્વારા પોતાની સ્વતંત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy