SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ શુશ્રુષા'નો પ્રચલિત અર્થ “સેવા' પણ થયો. અલબત્ત, તેમાં આજ્ઞા સાંભળવાની ઇચ્છા મુખ્ય બને છે, પણ એ શબ્દનો મહિમામય અર્થ તો આ જ છે : વિદ્યાપ્રાપ્તિ માટે ગુરુ-સમાગમનું સેવન. આ શબ્દ એ મૂળ વાતની પણ યાદ અપાવે છે કે ભાષા કે જ્ઞાન એ તત્ત્વતઃ તો બોલવા-સાંભળવાની, અનુભવવાની વસ્તુ છે; માત્ર તેના સંગ્રહની આવશ્યકતાના સંદર્ભે જ તે બંને વાંચવા-લખવાની વસ્તુ ગણાય છે. શુશ્રુષામાં ગુરુસેવનનો અંશ પણ સમાવેશ પામ્યો તેનું ખરું કારણ છે જ્ઞાનપ્રાપ્તિવિષયક એક ઘૂંટાયેલી ભારતીય વિભાવના, જે જ્ઞાન માટે ગુરુની અનિવાર્યતા સૂચવે છે. એની યોગ્યાયોગ્યતાની ચર્ચા અન્ને છેડ્યા વગર પણ એ આદેશના ખરા હાર્દને ધ્યાનમાં લઈને જ ઉચ્ચ શંકા-સમાધાન પામીએ. વિદ્યા અર્થે ગુરુસેવનની ઇચ્છાનું મૂળ છે મનુષ્યની અસલની નિરહંકારિતામાં, નમ્રતામાં, સર્વગુણપૂજક્તામાં કે હાડની સામાજિકતામાં. સાચું વિદ્યાભિમુખ ચિત્ત અન્યથી પોતાનો જુદારો કે ભય ત્યજીને સર્વવ્યાપી આત્મવિસ્તરણમાં રાચવા લાગે છે. બીજા પાસેથી જ્ઞાન મેળવવામાં એને પરાવલંબન નહિ, પણ ભરીભરી નમ્રતાને કારણે તથા આત્મવિસ્તરણને કારણે સ્વાવલંબન જ લાગે છે. એટલે જ્ઞાનાભિમુખ ચિત્ત અકુતોભયતા (નિર્ભયતા) અને ગીતા-આદિષ્ટ “સર્વભૂતાત્મભૂતાત્મતા' (સર્વજીવો સાથેનું એકત્વ) અંગીકારીને પૂરા સૌભાગ્ય સાથે જ્ઞાનમાર્ગે ચઢે છે અને તે માટે ઉલ્લાસભેર ગુરુસેવન કરે છે. કોઈ ચોક્કસ વ્યક્તિને ગુરુ બનાવવા પર, એની વ્યક્તિપૂજા પર કે સ્થળ ગુની અનિવાર્યતા પર પણ આ વિભાવનાનો ભાર નથી. આ વિભાવના તો જ્ઞાન માટે ભાવાત્મક સ્વરૂપની નમ્રતાની અનિવાર્યતા ચીંધે છે. આ છે આ વિભાવનાનું નિર્વિવાદ હાર્દ, જ્ઞાન માટે જ્ઞાનદાતા વ્યક્તિની ઉચ્ચાવી સામાજિક-આદિ સ્થિતિને અવગણીને તેનું સાદર વિનયયુક્ત સેવન કરવાનો અતિ ઊજળો અને અનર્થનિવારક આદેશ અપાયો છે. આજે જ્ઞાન ચોરી લેવાની, બીજાને હરાવનારી કે માણસના અસામાજિક મેલા ઇરાદા પોષવા માટેની વસ્તુ બની છે તેમાં કેટલું શાણપણ છે, કેટલી સુખશાંતિની પ્રાપ્તિ છે તેનો સુજ્ઞો વિચાર કરે. શુશ્રુષા પછી સહજપણે ફલિત થતું સોપાન છે એ ઇચ્છાને સંતોષે તેવું ગુરૂપદેશનું વિધિપૂર્વકનું, સાતત્યભર્યું શ્રવણ. એમ કરવામાં અગાઉની ચર્ચામાં આવતા નિયમનું એટલે કે વતચર્યાનું પાલન પણ સમાઈ જ જાય છે. એવો ભર્યોભર્યો છે શ્રવણવિધિ. ત્રીજું પગથિયું છે ગ્રહણ. ગ્રહણ એટલે પકડ (grip) કે બરાબર ઝીલી લેવાની ક્રિયા. આમાં ગુરુમુખ દ્વારા પ્રગટ થયેલાં વચનોના પ્રત્યેક વાક્યઘટકના વાર્થનો તેમ જ વાક્યસમૂહના તાત્પર્યનો સુનિશ્ચિત બોધ અભિપ્રેત છે. વક્તા દ્વારા ઉચ્ચારાયેલાં વચનોમાં ક્યાંક અટપટાં વાક્યો હોય, કોઈ કઠિન લૌકિક કે પારિભાષિક શબ્દો હોય, રૂઢિપ્રયોગો હોય – એ બધાં અંગે જરૂર પડ્યે પૂછી લઈને પણ તેમનો બોધ કરીને વાક્યર્થ અને તાત્પર્યરૂપ પિડિત (એકંદર) અર્થ સમજવાનો પુરુષાર્થ આ તબક્કે આવે. આ પ્રયત્નમાં પણ કચાશ ન જ ચાલે, નહિતર પછીનાં પગથિયાં પણ ખોટાં પડે. બીજા પગથિયારૂપ શ્રવણવિધિ એકાગ્ર કર્મેન્દ્રિય ઉપરાંત મન-બુદ્ધિના પૂરા વ્યાપાર સાથે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy