SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ SO કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ એક બીજી વિગત જોઈએ. રાજ્યનાં સાત અંગો કે ઘટકો(સાત પ્રકૃતિઓ)નો ચોક્કસ પાસ્પરિક અગ્રતાક્રમ, કૌટિલ્ય વિસ્તૃત વિવાદપ્રધાન ચર્ચા દ્વારા ચીંધી બતાવ્યો છે. તે મુજબ સૌથી મહત્ત્વનું પ્રથમ અંગ છે રાજા અને બીજા ક્રમે આવે છે મંત્રી. રાજ્યતંત્રની દૃષ્ટિએ “મંત્રી ચઢે, કે રાજા ?' એવા પ્રશ્નની તેજસ્વી ચર્ચા દ્વારા કૌટિલ્ય રાજાના અનન્ય મહિમાની વાત બુદ્ધિપૂત સહૃદયો આગળ સંક્ષેપમાં પણ સમગ્ર રીતે મૂકી છે (જુઓ અર્થશાસ્ત્રમ્ ૮.૨.૨૨-૨૮). આમાં પ્રસ્તુત વાત એ છે કે કૌટિલ્ય બુદ્ધિનિષ્ઠ હોવા છતાં એમણે રાજ્યાંગોના અગ્રતાક્રમમાં મંત્રીને પ્રથમ ન મૂકતાં રાજાને પ્રથમ મૂક્યા છે; અલબત્ત, મંત્રીને તરત બીજા ક્રમે તો મૂક્યા જ છે. આનું મૂળ કારણ છે રાજાની સર્વાગી પ્રતિભા બાબત કૌટિલ્ય રજૂ કરેલી સુઘટિત વિચારણા. એકંદરે રાજામાં બુદ્ધિગુણો હૃદયગુણોથી રસાયેલા અને તેનાથી જ સમુન્નતિ પામેલા હોય છે. તેથી રાજા બાકીનાં રાજયાંગોને જોડનારું અને એકરસ રાખનારું ખૂબ મહત્ત્વનું પરિબળ બની રહે છે. આના પડઘારૂપે જ પેલું જાણીતું શ્રદ્ધાવાક્ય પ્રાચીન કાળથી વહેતું થયું : “ના જાતસ્ય ફાર” (““રાજા જમાનાને ઘડનારું પરિબળ છે”). આપણી પ્રસ્તુત આધ્યાત્મિક ચર્ચાના અન્વયે કહી શકાય કે રાજા બુદ્ધિસંચાલિત રાષ્ટ્રને પણ ઈશ-વ્યાપ્યું (શાવસ્થ) રાષ્ટ્ર બનાવવાની સુપ્ત ક્ષમતા ધરાવે છે. આજના અમેરિકાના મુખ્ય રાજકીય ક્લેવરરૂપ “કોંગ્રેસમાં પણ નવા પ્રમુખના પદગ્રહણસમારંભ વખતે ઈશને (‘ગૉડને') ભાવથી સ્તવવામાં આવે છે. કર્થશાસ્ત્ર-અ૦૬.રમાં રાજયની “સાત પ્રકૃતિ પૈકીની દરેકના ગુણોની ગણનાના પ્રસંગે રાજાના ગુણોની સૌથી વધુ વિસ્તૃત વાત થઈ છે. તેમાં રાજાના ગુણો કુલ ૪૭ વિશેષણો દ્વારા વર્ણવાયા છે. તે ચાર વિભાગ દ્વારા કહેવાયા છે. તે પૈકીનો એક વિભાગ છે : માત્મસંપન્ (અહંભાવથી મુક્ત એવા આત્મગુણો). ૪૭માંથી ર૩ એટલે કે લગભગ અર્ધી વિશેષણો આ વિભાગમાં મૂક્યાં છે તે હકીકત ઘણું કહી જાય છે. રાજનીતિના ગ્રંથમાં પણ આવી ચર્ચા આવે તે ભારતવર્ષની કપરી (-પરા અર્થાત્ શ્રેષ્ઠ કરતાં ઊતરતી) વિદ્યાઓના પરી (શ્રેષ્ઠ) એવી અધ્યાત્મવિદ્યા સાથેના ગાઢ અનુસંધાન કે સખને જ આભારી છે. આ સમગ્ર ચર્ચાનો ઉપયોગી સાર એ છે કે મનુષ્ય પોતાનાં ઇન્દ્રિયો અને મનને સંયમ દ્વારા ઉત્તમ કૌશલવાળાં કરીને તે થકી ઉત્તમ બુદ્ધિનું નિર્માણ કરવું અને તે બુદ્ધિને પણ નિત્ય ઈશ્વરાર્પણ કરીને પ્રયોજવી. વિનીત બુદ્ધિનું ફળ છે સર્વ-ઉદય. આ ચર્ચાના પૂરક એવા પછીના મુદ્દામાં પ્રવેશીએ. (૨) કેળવણી-વિચાર જુદી-જુદી રીતે કેળવણી” અર્થ જ સૂચવતા આ ત્રણ શબ્દો સંસ્કૃતમાં છે વિનયન, ૩પનયન, શિક્ષા. અહીં નયનનો અર્થ (ની ધાતુ પરથી) “દોરવણી” કે “લઈ જવાની ક્રિયા' એવો સમજવાનો છે. વિ-નયન એટલે વિશિષ્ટ દોરવણી અને ૩૫-નયન એટલે શિષ્યને ગુરુ પાસે લઈ જવાની ક્રિયા; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy