SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૬૯ આવી છે. તે નિમિત્તે પ્રજાહિતકર શ્રેષ્ઠ બુદ્ધિવ્યાપાર કામે લગાડાય છે – જેની વાત વિગતે ત્રીજા વ્યાખ્યાનમાં કરવામાં આવશે. અયુક્તને (અસંયમીને) બુદ્ધિ ન હોય” એ ગીતાવચનનો ચોખ્ખો પડઘો ગ્રંથના અધ્યાય ૨.૬માંના ઇન્દ્રિય-જય-પ્રકરણના પ્રથમ વાક્યમાંના વિદ્યાવિહેતુ: દ્રિયન: એ અંશમાં પડે છે. આ અંશનું સાચું અર્થઘટન કરતાં ‘‘વિદ્યા-વિનયનું (વિદ્યાને ઝીલવાનું, પચાવવાનું) કારણ ઇન્દ્રિયજય છે” એવો અર્થ મળે છે. સંયમીને જ વિદ્યાની ભૂખ લાગે ને તેને જ વિદ્યા પચે – એવો બેવડો અર્થ અહીં કાઢવો યોગ્ય છે. યાદ રહે : આ વાત ખુદ રાજાની જીવનચર્યાના સંદર્ભે કરાઈ છે. ધર્મ પણ બુદ્ધિગ્રાહ્ય હોય છે એવો “મનુસ્મૃતિ'નો ચોખ્ખો-અભિપ્રાય પ્રથમ વ્યાખ્યાનમાં ઉલ્લેખ્યો છે. આમાંથી જ ફલિત થાય છે ધાર્મિક અંધશ્રદ્ધાનો નિષેધ. ધર્મ બુદ્ધિગ્રાહ્ય હોવા ઉપરાંત શ્રદ્ધાગ્રાહ્ય કે ધ્યાનગ્રાહ્ય પણ ખરો. પણ એમાંની શ્રદ્ધા બુદ્ધિની અવિરોધી હોય; અંધશ્રદ્ધા ન હોય. અર્થશાસ્ત્ર'માં આડકતરી રીતે આવી અંધશ્રદ્ધા પ્રત્યેનો અણગમો ઘૂંટાઈને વ્યક્ત થયો છે. લોકોની વ્યાપક અને બહુવિધ ધાર્મિક અંધશ્રદ્ધાઓના જ્ઞાનનો ઉપયોગ, રાજ્યનાં તંત્રો પૈકીના ગુપ્તચરતંત્રમાં ગુપ્તચરોએ સજવાના વેષો માટે, ખાલી ખજાનો ભરવાની વિવિધ લૌકિક યુક્તિઓ માટે, શત્રુરાજાનાં કે અન્ય મોકાના અધિકારીઓનાં વધ કે બંધન માટે – આમ વિવિધ રીતે વ્યાપકપણે કરવાની ભલામણ કરાઈ છે. આના પાયામાં છે અંધશ્રદ્ધાળુઓને, આવશ્યક રાજનૈતિક કે વહીવટી હેતુઓ માટે, કશા ખટકા વિના ઉલ્લુ બનાવવાની વાત. ધાર્મિક અંધશ્રદ્ધાઓ એ કાંઈ સાચો ધર્મ નથી; મનોવિકૃતિ જ છે – એવી ચૂંટાયેલી સમજને કારણે જ તેનો આવો ધીટ (bold) ઉપયોગ કરવાની કલ્પનાશીલતા આખા ગ્રંથમાં જુદા-જુદા આકારે પુરસ્કારાતી જોવા મળે છે. અલબત્ત, સાચી ધાર્મિકતાને દંડવા-ઉચ્છેદવાની વાત તો ઠીક, એનો સ્ટેજ પણ અનાદર કરવાની વાત પણ ગ્રંથમાં ક્યાંય નથી. આ સમગ્ર વલણ નિર્મળ બુદ્ધિનિષ્ઠાને જ પ્રતિબિંબિત કરે છે. “જેની બુદ્ધિ, તેનું બળ” (દ્ધિાર્થ વ« તો એવા ધિંગા શાણપણના વિપુલ ઉપયોગ પર જ રાજયતંત્ર અને તેના થકી પ્રજાજીવન જયવંતુ રહે છે. વ્યાપક સંયમ આ જયદાયી બુદ્ધિમત્તાને નિત્ય બળવત્તર કરે છે તે ન ભુલાય. બુદ્ધિનિષ્ઠા એ અહીં એકાંતિક બુદ્ધિવાદ નથી એ વાત પણ ગ્રંથમાં યોગ્ય રીતે ઘૂંટાઈ છે. એટલે કૌટિલ્ય rational (બુદ્ધિ-પ્રયોજક) છે, પણ rationalist (એકાંતિક બુદ્ધિવાદી) નથી એમ ચોક્કસ કહી શકાય. અંગ્રેજી શબ્દો પૈકીના બધા ist-પ્રત્યયાત શબ્દો, એકાંતિક દાવાના યોગમાં, “અનિષ્ટ'રૂપ જ છે ! આ વાત સરસ રીતે ફલિત થાય છે રાજા કે રાજપુરુષો માટે આવશ્યક મુખ્ય વિદ્યાઓની ચર્ચામાં. તેવી વિદ્યાઓમાં દંડનીતિ (રાજનીતિ), વાર્તા (નિર્વાહવિદ્યા) અને ત્રયી (વેદવિદ્યા) ઉપરાંત આન્વીક્ષિકી (દર્શનવિદ્યા) પણ જરૂરી છે એવો અભિનવ મત કૌટિલ્ય જ પહેલવહેલો રજૂ કર્યો એ વાત એ ચર્ચામાંથી ફલિત થાય છે. એ દર્શનવિદ્યા મનુષ્યને અંતર્મુખ, ધ્યાનપરાયણ, ધીર અને આધ્યાત્મિક અર્થમાં નમ્ર બનાવે છે. આગળ આ વાત વધુ ચર્ચીશું. પણ કૌટિલ્ય બુદ્ધિને પણ પેલે પાર જવામાં દઢપણે માનતા હતા તે વાત અહીં દીવા જેવી સ્પષ્ટ દેખાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy