SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ નિયમન કરે છે બુદ્ધિ. આ બુદ્ધિનું પણ નિયમન કરે છે તે' (એટલે કે પરમાત્મા, ઈશ્વર).૧૫ આનો અર્થ એ પણ ખરો કે ઈશ્વર બુદ્ધિને પેલે પાર છે. એ સર્વને જાણી શકે છે, પણ એને બુદ્ધિ વગેરે સાધનો જાણી શકતાં નથી. તેમ છતાં બુદ્ધિ સહિતનાં સર્વ સાંસારિક સાધનો હોમવા થકી (માનવપ્રતિભાનાં લૌકિક તત્ત્વો હોમવા થકી – પુરુષને હોમવા થકી) ઈશ્વરરૂપ થવાય છે જરૂર! બુદ્ધિથી પણ ઉપર ઊઠવાની વાત ઉપનિષદોમાં ખૂબ ઘૂંટાઈને ગીતામાં આવી છે. આનો અર્થ : બુદ્ધિનિષ્ઠ થવું, પણ બુદ્ધિ-માત્ર-વાદી ન થવું. “અર્થશાસ્ત્રને ધ્યાનથી અવલોકતાં અનેક સ્થાને સીધી કે આડકતરી રીતે બુદ્ધિમહિમાની વાત ઘૂંટાઈ છે. આ વાત કવિ વિશાખદત્તે પણ બરાબર પારખી હોઈને, આપણે આગલા વ્યાખ્યાનમાં કૌટિલ્યની પ્રતિભા અંગે મુદ્રાક્ષસ નાટકમાંની કૌટિલ્યની આ ઉક્તિ જોયેલી તે ફરી સ્મરીએ : “બધું જજો, પણ મારી બુદ્ધિ મા જજો.” (જુઓ પ્રથમ વ્યાખ્યાન ટિ. ક. ૧૪.) . . ઉપર બુદ્ધિતત્ત્વ વિષે ગીતાની જે સમાલોચના જોઈ એમાંનાં સર્વ પાસાં અલગ-અલગ ઊપસતાં હોય તેવાં આ ગ્રંથમાંનાં સ્થાનો જોઈએ : રાજાની કે રાજ્યની ત્રિવિધ શક્તિ આ પ્રકારે બતાવાઈ છે : મંત્રશક્તિ, પ્રભુશક્તિ, ઉત્સાહશક્તિ. આ શક્તિઓનું તારતમ્ય (ઉચ્ચાવચતા) બતાવતાં કૌટિલ્ય સ્પષ્ટપણે મન્નશક્તિને એટલે કે બુદ્ધિશક્તિને મંત્રણાશક્તિને) શ્રેષ્ઠ ગણી છે. ૧૬ આનો અર્થ એ કે કોઈ રાજયતંત્ર કે રાષ્ટ્ર માટે રાષ્ટ્રજીવન અને સુશાસન અંગેની તટસ્થ, પૂર્વગ્રહમુક્ત, સર્વાગી સમજણ કોઈ પણ સફળ કામગીરી અને સિદ્ધિ માટેનો મજબૂત અને અનિવાર્ય પાયો છે. જ્ઞાન વગરની સાધનસંપન્નતા (પ્રભુશક્તિ) કે પ્રાણશક્તિ (ઉત્સાહશક્તિ) પુષ્કળ વેડફાટમાં અને નિષ્ફળતામાં – ક્યારેક મહાવિનાશમાં – પરિણમે. મંત્રશક્તિ બાકીની બે શક્તિઓને ગાણિતિક ચોકસાઈ દ્વારા અને તેમના નિયમનયુક્ત પ્રવર્તન કે વ્યાપાર દ્વારા અભીષ્ટ સાફલ્ય તરફ દોરી શકે. મંત્રશક્તિના સફળ વ્યાપાર માટે રાજયતંત્રના, પડોશી રાષ્ટ્રોના અને પ્રજાજીવનના સર્વ ગુપ્ત પ્રવાહો સહિતની બધી તલસ્પર્શી અને આધારભૂત આવશ્યક માહિતી સતત મળતી રહે તે માટે જ અત્યંત સંકુલ, વિશાળ, સર્વવ્યાપ્ત, ચુનંદા અને વફાદાર એવા ગુપ્તચરતંત્રને કૌટિલ્ય ગ્રંથમાં સર્વત્ર ખૂબ મહત્ત્વ આપ્યું છે. રાજાની દિનચર્યામાં પણ દોઢ-દોઢ કલાકના ત્રણ અલગ-અલગ દૈનિક વિભાગોમાં ગુપ્તચરો સાથેની રાજાની અલગ-અલગ સ્વરૂપની મુલાકાતની યોજના સૂચવાઈ છે. અહીં એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે બુદ્ધિશક્તિને માત્ર રાજયના સાંકડા સ્વાર્થો (અર્થસંચયાદિ) માટે કે શત્રુવિનાશ માટે જ પ્રયોજવાની નથી, પણ સમગ્ર રાષ્ટ્રમાં આર્થિકસામાજિક ન્યાયસ્થાપના માટે, સર્વ પ્રજાઓના પ્રવૃત્તિ સ્વાતંત્ર્યને સતત નભાવે તેવા દુષ્ટનિગ્રહ માટે પણ પ્રયોજવાની છે. એ માટે ખૂબ વિશાળ સત્તાક્ષેત્ર અને ભારે મોટી જવાબદારી ધરાવતા સમાહર્તા' (‘કલેક્ટર') નામના એક ઉચ્ચતમ અધિકારીની જોગવાઈ પણ રાજયતંત્રમાં કરવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy