SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય ૬૭ ગ્રંથમાંનાં ચોક્કસ આધારસ્થાનો પરથી કૌટિલ્યને અભિમત આવાં સ્પષ્ટ દાર્શનિક મૂલ્યો એક પછી એક જોઈએ અને એ બધાંથી આપણાં પોતપોતાનાં જીવનોને પણ સમૃદ્ધ કરીએ. (૧) અનન્ય બુદ્ધિનિષ્ઠા ભગવદ્ગીતાએ બુદ્ધિનિષ્ઠા સંબંધી આખી ભારતીય પરંપરાનો સારસંગ્રહ પોતાની રીતે કર્યો છે. કૌટિલ્ય એમાંથી ભરપૂર પ્રેરણા ઝીલી છે. ગીતા ૨.૪૬Bમાં આ અંગેનું એક કાયમ રવાયોગ્ય મહાવાક્ય છે : યુદ્ધ શરામવિંછ પI: હેતવ: (““બુદ્ધિમાં શરણ શોધ, ફળ અર્થાત્ પરિણામ પાછળ પડેલાઓ તો લોભિયા કે મુંજી છે'). આની આગલી પંક્તિમાં કહ્યું છે: “બુદ્ધિયોગ કરતાં કર્મ ઘણી જ નીચી પાયરીએ છે.” આ “બુદ્ધિ તે સર્વદર્શી, સત્યદર્શી જ્ઞાનશક્તિનો પર્યાય છે. આ જ્ઞાનશક્તિને ઇન્દ્રિય દ્વારા મન અને બુદ્ધિમાં પ્રવેશીને બેસી ગયેલો કામક્રોધરૂપ દોષ ઢાંકી દે છે એમ પણ ગીતાના ત્રીજા અધ્યાયના છેડે આવેલી કામમીમાંસામાં કહેવાયું છે. બુદ્ધિને વિશુદ્ધ રાખવા પ્રથમ ઇન્દ્રિયોને, પછી મનને નિયમબદ્ધ અને કામદોષરહિત કરવાનાં છે. આવો સંયમ સાધનાર “યુક્ત” (યોગવાળો, સત્ય સાથે જોડાણ ધરાવનાર) કહેવાય તેવા યુક્તને જ બુદ્ધિ એટલે કે પ્રજ્ઞા કે પૂર્ણ જ્ઞાનશક્તિ હોઈ શકે, અને જ્ઞાનને આત્મસાત્ કરવારૂપ “ભાવના' પણ તેવા સાધકને જ સંભવે. આવી બુદ્ધિ સાથે નિત્યનો યોગ (જોડાણ) જ “બુદ્ધિયોગ” કહેવાય. બુદ્ધિસંબંધી અત્રે જાણવા-સમજવા યોગ્ય એક અન્ય વાત પણ ગીતામાં સરસ રીતે કહેવાઈ છે : “બુદ્ધિયુક્ત વ્યક્તિ સુકૃત અને દુષ્કૃત (પુણ્ય અને પાપ) બંનેને (એટલે કે બંને વચ્ચેના ભેદભાવને અને બંને વિષેની પોતાની આસક્તિને) છોડે છે. ૧૪ જે એ બંને બાબત નિરાગ્રહી અને સમચિત્ત બને છે, તેને નિર્ભેળ અને પરિપૂર્ણ એવા સત્યનો સાક્ષાત્કાર સરળ બને છે. અંગ્રેજીમાં પણ આને મળતા ત્રણ શબ્દો છે : moral (નીતિમાનું, પુણ્યવાનું), immoral (અનીતિમાનું, પાપી) અને a-moral (નીતિ-અનીતિ અંગેના ભેદભાવથી પર, અતિનૈતિક). કૌટિલ્યને સમજવા આ માપદંડ પણ ઘણો ખપનો છે. પાપ-પુણ્યભેદ સાધનાના આરંભે ખપનો છે, પરંતુ ઉચ્ચતર સાધનામાં અને પરમ સત્યનો સાક્ષાત્કાર અને અંગીકાર કરવામાં એ બાધક જ છે. સામાન્ય માણસે પાપ-પુણ્યનો ભેદ છોડી દેવાનો નથી એ જેટલું સાચું છે, તેટલી જ સાચી, ઉચ્ચતર આરોહણ માટે એ અંગેનું અનાગ્રહીપણું કેળવવાની જરૂરિયાત પણ છે. પાપીના પાપને શમાવવા માટે કે પ્રજાનું સમત્વપૂર્ણ શાસન કરવા માટે તેમ જ ધાર્મિક કટ્ટરતાથી શાસક અને શાસનને મુક્ત રાખવા માટે આ સમતોલ વલણ ખપનું છે. બુદ્ધિ અંગે અત્રે સમજવા જેવી છેલ્લી સૂક્ષ્મ છતાં ખૂબ મહત્ત્વની વાત છે બુદ્ધિની ચોખ્ખી મર્યાદા સમજવી તે. માનવ-વ્યક્તિત્વમાં ઇંદ્રિયો ખૂબ ખપની છે. ઇન્દ્રિયોનું નિયમન કરનાર અને તેની કાર્યપૂર્તિ કરનાર છે મન. વળી મનનાં સંકલ્પ-વિકલ્પો કે સંવેદનોનું વ્યવસ્થાપન અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy