SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય અર્થશાસ્ત્ર': દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ એ જ મનુષ્યનું ખરું કર્તવ્ય છે. “પરમાત્મા માયાથી સર્વ ભૂતોને જગત-ચાકડે ચઢાવીને ભમાવે છે૧૨” એમ ગીતા કહે છે. એ જગત-પ્રપંચને પાર જવા માટે તેનાથી દૂર ભાગવામાં મહા-અજ્ઞાન છે. તેને સ્વીકારીને, અવિદ્યાથી એટલે કે “આવ્યા તેવા દેવાશે'ની કે “જેવા સાથે તેવા’ની સાંસારિક રીતિને પણ અલિપ્તભાવે અપનાવીને, હૈયે પરમાર્થની જયોતિને પણ જલતી રાખીને, મૃત્યુથી ભરેલો, જયપરાજયાદિ વંદ્વોથી ભરેલો સંસાર તરી જવાનો છે. સંસાર એને સ્થાને સત્ છે, પરમાર્થ એને સ્થાને સત્ છે. સંસાર એ પરમાત્માની લીલા (રમત,ક્રીડા) હોઈ એને ખેલદિલીથી સ્વીકારવાથી જ પરમાર્થનો સાચો માર્ગ મળે છે. કૌટિલ્ય શ્રોત્રિય બ્રાહ્મણ હતા, વૈદિક કર્મકાંડ સહિતની વેદવિદ્યાના ઉપાસક હતા. તેથી ઉપનિષદુ-વિદ્યાના જ્ઞાતા પણ અવશ્ય હોવા ઘટે. તેમણે દર્શનવિદ્યા, ભગવદ્ગીતા ઇત્યાદિનું પણ જીવનલક્ષી ગાઢ સેવન કર્યાની છાપ અર્થશાસ્ત્રમાં ઠેર-ઠેર ઊપસતી રહે છે. આપણે પ્રથમ વ્યાખ્યાનમાં જોયેલું તેમ, આ સુશિક્ષણને વફાદાર રહીને જ, કૌટિલ્ય ગીતાપ્રોક્ત “લોકસંગ્રહ'-અર્થે જ અભિચારવિદ્યા અને પરંપરામાન્ય રાજનૈતિક કાર્યકલાપને ખંતથી અપનાવીને ન્યાયી રાજ્યપરિવર્તન સાધેલું, અને એને માટે જરૂરી ઉત્તર-કાર્ય પણ અપ્રમાદથી પાર પાડેલું. અધ્યાત્મનો દંભ અને સાચું અધ્યાત્મ એ બે પરસ્પર વિપરીત છેડા છે. પગ તળેની ભોંય પ્રત્યેની વફાદારી અદા કરવા પૂરતું જ એમણે રાજપુરુષપદ અપનાવ્યું, અને એ અવિદ્યામાર્ગ સમુચિત પ્રકારે છોડવાનું પણ પરિપક્વ ક્ષણે અવશ્ય કર્યું. એમના આ ગ્રંથમાં અત્યલ્ય ભાગ રોકતાં, પણ એમનાં દર્શનને અને અંતરંગને વ્યક્ત કરતાં જે વચનો, ખંડો ગ્રંથમાં વેરાયેલાં પડેલાં છે, તે જ અહીં આપણા ચિંતનનો વિષય છે; કારણ કે તે, ગ્રંથની સામગ્રીને મૂલવવાની ચાવીરૂપ છે, ગ્રંથના હાર્દરૂપ છે. ઉપનિષદૂના એક પ્રસિદ્ધ વચન : “કોઈની માત્ર વાણીની વિશેષ મીમાંસા ન કરતાં, તેના મૂળ વક્તા બાબત – તેના તાત્પર્ય અને અંતરંગ બાબત – વિશેષ જિજ્ઞાસા દાખવીએ૧૩ મુજબ આપણે અહીં વર્તી રહ્યાં છીએ. આ વક્તા પણ હજી કૌટિલ્યના અંતરંગની આ વાતો જ ઘૂંટી રહ્યો છે, તેમાં રમી રહ્યો છે. એમાં નિરૂપાયેલી અટપટી રાજનીતિ, ગ્રંથમાંની અનેક અટપટી શાસ્ત્રીય કે હુન્નરવિષયક વિગતો કે એ બધાં સાથે સંકળાયેલી સંકુલ દક્ષતાઓ બાબતે આ વક્તા હજી સાવ બિનજાણકાર છે, ગભરૂ છે. આપણે તો માત્ર નિર્મળ શ્રદ્ધાઓથી અહીં નાવ હંકારવાનું છે. તેથી ગ્રંથમાં વર્ણવેલી રાજનીતિ માટે પણ સૂગ ત્યજી એકંદર આદર જાળવવાનો છે. સ્વદેશ-વિદેશ માટેની રાજનીતિની, યુદ્ધાદિ રાષ્ટ્રરક્ષાવિદ્યાની, નગર કે કિલ્લાઓની નિર્માણવિદ્યાઓની – એમ વિવિધ વિષયોની, ભિન્ન-ભિન્ન દેશ-કાળના ઉચ્ચાવચ વિશેષજ્ઞો રસથી મૂલવી શકે, સંમત થઈ શકે એવી ઘણી સામગ્રી આ ગ્રંથમાં પડેલી જણાય છે. આપણે તો એની મહત્ત્વની પૂર્વભૂમિકારૂપ, એના મહાદ્વારરૂપ એવું એમનું સ્થાયી મૂલ્યજગત્ જબરાબર જાણીશું, સમજીશું, માણીશું. આ વ્યાખ્યાનના શીર્ષકમાંનો દાર્શનિક’ શબ્દ એના વ્યાપક, અને સામાન્ય મનુષ્ય માટે વધુ પ્રસ્તુત એવાં જીવનમૂલ્યોના સંદર્ભમાં વાપર્યો છે એ વાત બરાબર યાદ રાખીએ. નાનો-મોટો દરેક મનુષ્ય પોતે પારિવારિક, સામાજિક, શૈક્ષણિક સંસ્કારોથી પોતાના વ્યક્તિત્વમાં વણી લીધેલાં આવાં ચોક્કસ જીવન-મૂલ્યોથી જ જીવનની બધી આસમાની-સુલતાનીમાં સાચા સાફલ્યદાયી માર્ગનો નિર્ણય પ્રાયઃ આપબળે કરી શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy