SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન બીજું : વિશદ દાર્શનિક પરિપ્રેક્ષ્ય 66 આ દૃષ્ટિએ જર્મન તત્ત્વજ્ઞ નિત્શેનું આ મંતવ્ય અત્યંત માર્મિક જણાય છેઃ દર્શન (vision) વગરનું રાષ્ટ્ર નાશ પામે છે.’’ ‘દર્શન’ શબ્દનો ભાષાકીય અર્થવિકાસ જોઈએ. ‘દર્શન'નો મૂળ અર્થ તો છે આંખથી થતું જ્ઞાન. આંખ વિષય પર મંડાતાં બીજા જ્ઞાનની કશી અપેક્ષા રાખ્યા વિના આ ‘દર્શન’રૂપ ઇન્દ્રિય-જ્ઞાન સ્વયંભૂ રીતે પ્રગટે છે. તે પ્રગટ થઈને સામેના વિષય અંગેની પ્રાથમિક જિજ્ઞાસાને પૂર્ણપણે સંતોષે છે. આ જ્ઞાનની વિશદતા (સ્પષ્ટતા) ખાસ ધ્યાન ખેંચે છે. ‘દર્શન’રૂપ ચક્ષુજ્ઞાનની વિશદતાને આધારે ‘દર્શન’ શબ્દનો કોઈ પણ ‘વિશદ જ્ઞાન’ એવો નવો અર્થ પણ ધીરે-ધીરે સ્થિર થયો. કોઈ જ્ઞાનની વિશદતાનો પાકો પુરાવો એ કે એવા જ્ઞાનને આધારે એ વિષય પરત્વેની નિઃશંક ક્રિયા કરી શકાય છે. ૬૩ ‘દર્શન’શબ્દની અર્થવિચારણા કરતાં અનિવાર્યપણે પ્રૌઢ કે શિક્ષિત વ્યક્તિને ઊઠતા આ પ્રશ્નનો પણ ઉત્તર આપવો પડે : ‘‘ભારતીય પરંપરામાં તત્ત્વજ્ઞાનની વિવિધ શાખાઓ ‘દર્શન’ કેમ કહેવાય છે ?' ખરેખર તો તે-તે તત્ત્વજ્ઞાન-શાખાના તાત્ત્વિક સિદ્ધાંતોના સમૂહને ‘દર્શન’ કહે છે. બરોબર વિચારતાં સમજાય છે કે તે સિદ્ધાંતો પોતે પણ દર્શનરૂપ નથી હોતા, પણ તેના આદ્ય દ્રષ્ટા કે દ્રષ્ટાઓના દર્શનના (તેમને પોતાને થયેલા સત્યના સાક્ષાત્કારના) ફળરૂપ હોય છે. આમ જ્યારે સિદ્ધાંતોના સમૂહને ‘દર્શન’ તરીકે ઓળખાવવામાં આવે છે, ત્યારે એ ફળ, પરિણામ કે કાર્યનો તેના કારણ ઉપ૨ (અર્થાત્ તે કારણના ધર્મો ઉપર) આરોપ કરવામાં આવ્યો હોય છે. એવો આરોપ કરવા પાછળનો આશય એ સૂચવવાનો છે કે એ ફલિત સિદ્ધાંતોનું વિધિસરનું અધ્યયન તરત જ કે સરલતાથી દ્રષ્ટાઓના એ મૂળ દર્શનની પ્રતીતિ કરાવે છે. પ્રસિદ્ધ ભારતીય ષટ્-દર્શનો કે અન્ય દર્શનોમાં જોવા મળતું મતવૈવિધ્ય કે મતવૈચિત્ર્ય પણ ‘રુચિના (અર્થાત્ દર્શનના, શીલનાં) વૈચિત્ર્ય (ભિન્નત્વ)'માંથી જન્મે છે તે વાડ઼ પ્રસિદ્ધ સ્તોત્રકાર પુષ્પદંતે પોતાના ‘શિવમહિમ્નઃસ્તોત્ર’માં કરેલી છે.* આવું દર્શન એ એક સ્વયંભૂ અંતઃ-સત્યાનુભૂતિ છે, જેને જે-તે દ્રષ્ટા વિવિધ સિદ્ધાંતોના સમૂહ દ્વારા અભિવ્યક્ત કરે છે, પ્રગટ કરે છે. આમ, કહેવાતાં વિવિધ તાત્ત્વિક દર્શનો સત્યના દર્શન કે સાક્ષાત્કારમાંથી જન્મેલાં મનાયાં હોઈ ‘દર્શન’ સંજ્ઞા પામ્યાં. અહીં ‘અર્થશાસ્ત્ર’ના અન્વયે કૌટિલ્યના જે દર્શનની વાત કરવાની છે, તે આવી કોઈ ચોક્કસ તત્ત્વજ્ઞાન-શાખારૂપ દર્શનની વાત નથી, પણ કૌટિલ્યને હૃદયે વસેલા સમગ્ર જીવનદર્શનના ભાગરૂપ વિવિધ જીવનમૂલ્યો કે શ્રદ્ધાસ્થાનોની વાત છે. અલબત્ત, તત્ત્વજ્ઞાનની અમુક ચોક્કસ શાખાઓ રૂપ દર્શનની વાત પણ તેમાં સમાવેશ પામેલી છે જરૂર. તો આપણે આ વ્યાખ્યાનમાં કૌટિલ્યે રજૂ કરેલા વિવિધ રાજનૈતિક સિદ્ધાંતો કે વ્યવહારો પાછળ આવાં જીવનવિધાયક જે શ્રદ્ધેય મૂલ્યો પ્રેરક બનીને નિયામક પણ બની રહે છે, તે બધાંને બરાબર ઉપસાવવાં છે. એ દ્વારા આજના જિજ્ઞાસુ માટે આ ગ્રંથનું આજને તબક્કે શું મહત્ત્વ છે તે આપોઆપ સ્પષ્ટ થશે. કૌટિલ્ય માત્ર કુટિલ રાજનીતિના પ્રણેતા હોવાની સામાન્ય છાપ ‘અર્થશાસ્ત્ર'નું તટસ્થ અધ્યયન કરનાર માટે કઈ-કઈ રીતે અપ્રસ્તુત બને છે, તે વાત અત્રે લૂંટવી છે. અત્રે રજૂ થતી જીવનમૂલ્યોની વાત જેમની તેમ સ્વીકારી ન લેતાં, શ્રોતા પણ તટસ્થપણે સ્વયં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy