SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ દર્શનરૂપ પાયો ન ધરાવતું જ્ઞાન જ્ઞાતાનું અંતરંગ (અંતર્ + અંગ – અંદરનું અંગ) કે જ્ઞાતાનો સ્વભાવ બની શકતું નથી. (કોઈ પણ શિક્ષણયોજના પણ આ પાયાની વાત ઉવેખવાથી વિકૃત અને વિફળ બને છે.) આ દર્શનતત્ત્વનું જ આડકતરી રીતે કરાયેલું ગૌરવ ઉપનિષદૂના આ વાક્યમાં પણ મળે છે : “ખરેખર તો આત્મા માટેની આકાંક્ષા પૂરવા જ તે-તે વસ્તુ પ્રિય લાગે છે.” દર્શનને નિર્વિકલ્પક જ્ઞાન કે શુદ્ધ ચૈતન્ય (awareness) તરીકે પણ ઓળખી શકાય. આ વસ્તુસ્થિતિનું જ સુંદર પ્રતિબિંબ જૈન પરંપરાએ ઘંટીઘૂંટીને પુરસ્કારેલી “રત્નત્રયી'માં સમ્યગુદર્શનનો પ્રથમ રત્ન તરીકે સમાવેશ કરવામાં જોવા મળે છે. સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્ર – એ બાકીનાં બે રત્નોની પીઠિકા તરીકે સમ્યગુ દર્શન પુરસ્કારાયું છે. જે શ્રદ્ધા કે રુચિ પરમ સત્ય સાથે સુસંબદ્ધ છે તે સમ્યગ્ દર્શન. કાચાં, અધૂરાં, પાંખાં, ભ્રાંતિયુક્ત કે સંશયગ્રસ્ત દર્શનો ખરી પડતાં સાંપડતું પરિપક્વ, સર્વ-અવિરોધ-સાધક, પ્રસન્નતાવર્ધક દર્શન તે સમ્યગું દર્શન. ભારતીય કાવ્યશાસ્ત્રમાં પણ દર્શનનો આગવો મહિમા આમ થયેલો છે : “દર્શન અને વર્ણનના વૈશિસ્ય]ને કારણે લોકમાં કવિ તરીકેની ઓળખાણ સ્થપાય છે” કવિના દર્શનનું ઉચ્ચ માધુર્ય અને સૌંદર્ય જ કાવ્યમાંના વર્ણન થકી એટલે કે શબ્દાર્થરૂપી કાયા થકી મૂર્તિ બને છે. એમાં ભાવકની તન્મયતા સધાવા થકી જ રસાદિની અનુભૂતિ થાય છે. એ ધન્ય અવસ્થામાં અન્ય સાંસારિક વિષયો અંગેની બાધાકારક સંજ્ઞા (સભાનતા) છૂટી જતાં કાવ્ય અપૂર્વ આનંદ (વિમાનિતવેદ્યાન્તરમ્ ગાનન્દ્ર” – મમ્મટનું ‘ાવ્ય-પ્રકાશ' .રની સ્વપજ્ઞ ટીકા) સાધી આપે છે. એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે મનુષ્યમાત્રમાં પડેલો સમ્યગુદર્શનરૂપ સ્વભાવ જન્મમરણવશ અને રાગ-દ્વેષવશ જીવદશામાં મહદ્અંશે ઢંકાયેલો હોય છે. એના પરના આવરણને દૂર કરવા માટે જ પ્રાચીન ભારતે ઢમ (સંયમધામ) સંજ્ઞાથી ઓળખાતા પરિવારગૃહમાં પોષાતા પ્રેમવિધિની અને તેના જ માધ્યમથી પ્રયોજાતા જીવનભરના વિવિધ સંસ્કારવિધિઓની જીવંત રચના કરી છે. નરવો શિક્ષણવિધિ પણ એ સમ્યગદર્શન-વિધાયક સંસ્કારપરંપરાનું જ એક અદકું અંગ બની રહે છે; એ એક પરિવાર કાર્યનું જ વિસ્તરણ છે. “મહાભારત'ના દ્વિતીય પર્વરૂપ સમાપર્વમાંના “શ્વ-અધ્યાય' તરીકે જાણીતા બનેલા પાંચમા અધ્યાયમાં યુધિષ્ઠિર-નારદના નવી ઇન્દ્રપ્રસ્થ નગરીમાં થયેલા મિલન પ્રસંગે ઉચ્ચારાયેલી અનેક મહિમામય ઉક્તિઓ પૈકી નારદની એક ઉક્તિ આમ છે : “કૃત શીલ અને વૃતરૂપી ફળવાળું હોય છે. અહીં “શ્રુત' એટલે મનુષ્ય કાનથી ઝીલેલો ગુરૂપદેશ; અર્થાત્ વિધિસરનું શિક્ષણ. તેમાં કહેલાં, શિક્ષણનાં બે ફળ પૈકીનું શીલ પણ સમ્યગુદર્શનનો જ પર્યાય છે. એવા શીલનું ફળ છે મનુષ્યનું જીવનવ્યાપી વૃત્ત – તેની મન-વચનકાયા થકી મૂર્ત થતી વ્યક્ત જીવનચર્યા. ટૂંકમાં સર્વ ચિંતકોએ દર્શનને વ્યક્તિ અને સમાજની મૂર્ત વર્તનપદ્ધતિના, બલ્ક સમગ્ર સંસ્કૃતિના, અવ્યક્ત પણ ચોક્કસ સ્વરૂપ ધરાવતા વિધાયક પરિબળ તરીકે પ્રમાયું છે. એની વિશદતા કે પરિશુદ્ધિ પર જ સંસ્કૃતિની પરિશુદ્ધિ અને પરિવૃદ્ધિ નિર્ભર (આશ્રિત) છે. એટલે મિથ્યાદર્શનોના દુરિતકારી જાળને પરિહરતું “સમ્યગદર્શન’ જ મનુષ્યને ખપનું છે. સમ્યગદર્શનને “આત્મવત્તા તરીકે પણ ઓળખાવી શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy