SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું ? રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ રાષ્ટ્રભાષા હિન્દીમાં એકાધિક અનુવાદો પ્રકાશિત થયેલા છે : (૧) લાહોરથી ૧૯૨૩માં પ્રાણનાથ વિદ્યાલંકારકૃત અનુવાદ, (૨) લાહોરથી ૧૯૨૫માં શાસ્ત્રી-ઉદયવીરકૃત અનુવાદ, (૩) દિલ્હીથી ૧૯૪૦માં શાસ્ત્રી ગંગાપ્રસાદજી-કૃત અનુવાદ, (૪) અલ્લાહાબાદથી ૧૯૫૭માં પ્રકાશિત શાસ્ત્રી-દેવદત્તકૃત અનુવાદ, (૫) વારાણસીથી ૧૯૬૨માં પ્રકાશિત વાચસ્પતિ નૈરોલાકૃત અનુવાદ. ત્યાર પછી બીજા પણ અવશ્ય પ્રકાશિત થયા હશે. આ ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓ પૈકી બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, તમાળ, તેલુગુમાં અનુવાદો ૧૯૨૩થી શરૂ કરીને થતા રહ્યા છે. વિશ્વભાષાઓ પૈકી અંગ્રેજીમાં અગાઉ કહ્યું છે તેમ શામશાસ્ત્રી અને પ્રા. કંગલે દ્વારા અનુવાદો થયેલા છે. તે ઉપરાંત જર્મન, ઇટાલિયન, રશિયન વગેરે ભાષાઓમાં આખા ગ્રંથના કે તેના અંશના અનુવાદો ૧૯૧પથી શરૂ કરીને થતા રહ્યા છે. જર્મન ભાષામાં J.J. Meyerનો અનુવાદ છ ભાગમાં નોંધો સાથે પ્રકાશિત થયો છે તે ખાસ અભ્યાસપાત્ર છે. પ્રા. કંગલેએ પોતાના અનુવાદવાળા બીજા ભાગની ટિપ્પણોમાં આ અનુવાદ અને તેમાંની નોંધો અંગે પોતાના અભિપ્રાયો સતત રજૂ કર્યા છે. ખાસ કૌટિલ્ય વિષે જ રજૂ થયેલા અભ્યાસો પણ અનેક દ્વારા પુસ્તકાકારે પ્રકાશિત થયેલા છે. અંગ્રેજીમાં પ્રા. કંગલેના પુસ્તક (ત્રીજો ભાગ) ઉપરાંત આર. શામશાસ્ત્રી, એન.સી. બંદ્યોપાધ્યાય, એમ.વી. કૃષ્ણરાવનાં પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. સૌથી વધારે પુસ્તકો જર્મનીમાં પ્રકાશિત થયાં છે, જેમાંના કેટલાંકના લેખકોનાં નામ આ પ્રમાણે છે : B. Breloer, A. Hillebrandt, 0. Stein, Sten Konow, I. Topa, E. Whilhelm. મરાઠીમાં પ્રકાશિત એક અધ્યયન છે જી.જી. ટિપનિસનું “ૌટિલીય-અર્થશાસ્ત્ર-પ્રવીપ'. કૌટિલ્ય અને તેમનો ગ્રંથ એ બંનેના મહત્ત્વની દષ્ટિએ સતત સ્વદેશ-વિદેશમાં તેમના વિષેનાં જુદાં-જુદાં અધ્યયનો પ્રગટ કંતાં જ રહે છે. “અર્થશાસ્ત્ર વિષે દેશ-વિદેશના વિદ્વાનોએ લખેલા ખૂબ મહત્ત્વના અભ્યાસલેખો તો અગણિત છે. તેમનું સંકલન અને વિવિધ ગ્રંથોરૂપે વર્ગીકૃત પ્રકાશન પણ થાય તે ઘણું જરૂરી લાગે છે. પ્રા. કંગલેએ તેમના ત્રીજા ભાગમાં આવા અનેક લેખોની નોંધ લઈ તેમની જરૂરી સમાલોચના પણ કરી છે. ઉપરની વિગતો પ્રા. કંગલેના અર્થશાસ્ત્રની સમાલોચના માટેના ત્રીજા ભાગના આધારે આપી છે. એ પછીનાં પ્રકાશનોની નોંધ લઈ શકાઈ નથી. આ પ્રથમ વ્યાખ્યાનમાં જાણી-જોઈને વિષયના મુખ્ય કેન્દ્રને બાજુએ રાખીને હવે પછીનાં બે વ્યાખ્યાનોમાં કહેવાની અનેક રસપ્રદ અને મહત્ત્વની મુખ્ય વાતોનો દઢ અને ઉપકારક પાયો જ નાખ્યો છે. આડકતરી રીતે આમાં હવે પછી કહેવાની વાતોનાં બી પણ ઠેર-ઠેર વવાઈ ગયાં છે. અહીં આપેલો વિસ્તૃત ગ્રંથ-પરિચય હવે પછીની રજૂઆતોમાં ખૂબ ઉપકારક બની રહેશે. વળી આમાં આરંભે, સંસ્કૃત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy