SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ૧૯૨૪-૨૫માં મહામહોપાધ્યાય ટી. ગણપતિશાસ્ત્રીએ ત્રણ ભાગમાં વહેંચીને પોતે રચેલી ‘શ્રીભૂતમ્’એ નામની વિસ્તૃત સંસ્કૃત ટીકા સાથે મૂળ ‘અર્થશાસ્ત્ર’ પણ પ્રગટ કર્યું. આજે પણ એની પુનર્મુદ્રિત આવૃત્તિ સુલભ છે. ૫૬ ૧૯૫૯માં કાશી મુકામે રામતેજ શાસ્ત્રી પાંડેયની હિંદી ‘રંઞના’ ટીકા સાથેનું ‘ઞર્થશાસ્ત્ર’ પ્રકાશિત થયું. ત્યાર પછી પણ હિંદી ટીકા અને અનુવાદ સાથે અન્ય આવૃત્તિઓ પણ બહાર પડતી રહી છે. ‘અર્થશાસ્ત્ર’ના અભ્યાસમાં ખૂબ જ મૂલ્યવાન્ મદદ મળે એવું કામ મુંબઈ-નિવાસી પ્રા.શ્રી આર.પી. કંગલેએ પ્રકાશિત કર્યું, જેની પાછળ પંદર વર્ષનો સન્નિષ્ઠ પરિશ્રમ હતો. તેમનું કામ ત્રણ ભાગમાં અનુક્રમે ૧૯૬૦, ૧૯૬૩ અને ૧૯૬૫માં ‘યુનિવર્સિટી ઑફ બૉમ્બ' દ્વારા પ્રથમ વાર પ્રકાશિત થયું, જેમાં પ્રથમ ભાગમાં પારિભાષિક શબ્દકોશ સહિતનો મૂળ ગ્રંથનો પાઠ છે, બીજા ભાગમાં વિસ્તૃત નોંધો સાથેનો અંગ્રેજી અનુવાદ છે અને ત્રીજા ભાગમાં ૨૮૩ પૃષ્ઠોમાં ‘અર્થશાસ્ત્ર’નાં અધ્યયન-યોગ્ય મુખ્ય બધાં પાસાંની, વિવિધ પ્રકરણોમાં વિસ્તૃત સમાલોચના છે. આ સુવિદ્વાને ‘અર્થશાસ્ત્ર'નાં દેશવિદેશનાં પોતાની અગાઉનાં મહત્ત્વનાં સંપાદનો, અનુવાદો, ટીકાઓ તેમ જ સ્વતંત્ર સમાલોચનાઓનો ખૂબ ખંતથી સુપરિચય સાધ્યો છે તેની પ્રતીતિ બીજા-ત્રીજા ભાગમાં સતત થયા કરે છે. તેમની સમજણશક્તિની પ્રાસંગિક સહજ મર્યાદાઓ છતાં તેમનો પ્રયત્ન એકંદરે ખૂબ સન્નિષ્ઠ, ખંતીલો, તેજસ્વી અને માર્ગદર્શક છે. આજે પણ એની નવી આવૃત્તિ પુસ્તક-બજારમાં સુલભ છે. આપ સમક્ષના આ વ્યાખ્યાતાએ અધ્યાપનકાળે તેમ જ આ વ્યાખ્યાનોની તૈયારીના અન્વયે આ ગ્રંથોનો ફરી-ફરી પૂરો ઉપયોગ કર્યો છે. તે માટે એ સુવિદ્વાનો અત્યંત ઋણી છું. દક્ષિણ ભારતમાં મૈસૂર યુનિવર્સિટી તરફથી શ્રી એન.એસ. વેંકટાચાર્ય દ્વારા સંપાદિત ‘ૌટલીયાર્થશાસ્ત્રમ્’ (સંપૂર્ણ) પાઠાંતરો, સંસ્કૃત પાદનોંધો અને અનેક ઉપયોગી પરિશિષ્ટો સાથે પ્રકાશિત થયેલું છે. અમદાવાદમાં ‘સસ્તુ-સાહિત્ય-વર્ધક કાર્યાલય' તરફથી ૧૯૮૨માં શાસ્ત્રીશ્રી વાસુદેવ મહાશંકર જોષીએ કરેલા ગુજરાતી અનુવાદ અને ‘ચાણક્ય-નીતિસૂત્રો' સાથેનું ‘અર્થશાસ્ત્ર' પ્રકાશિત થયેલું, જેની પુનરાવૃત્તિ પણ થઈ છે. અનુવાદ અને મૂળ પાઠ ડગલે-પગલે ભૂલો કે અયોગ્ય અર્થઘટનોથી ભરેલા છે, તેથી ઉપયોગ કરનારે ખૂબ સાવધ રહેવું જોઈએ. આ ઉપરાંત શરૂઆતના ગાળામાં ‘અર્થશાસ્ત્ર’ના અમુક અંશોનાં સંપાદનો કોઈ પ્રાચીન ટીકા સાથે કે ટીકા વગર પણ પ્રકાશિત થયાં હતાં. ‘અર્થશાસ્ત્ર’ના અનુવાદો અનેક ભારતીય ભાષાઓમાં તેમ જ વિદેશી ભાષામાં થયેલા છે. ગુજરાતીમાં ઉપ૨ નિર્દેશેલા ‘સસ્તુ-સાહિત્ય-વર્ધક-કાર્યાલય'ના અનુવાદની પૂર્વે ૧૯૩૦માં વડોદરાથી શ્રી જયસુખરાય પુરુષોત્તમરાય જોષીપુરા દ્વારા થયેલો અનુવાદ બહાર પડ્યો હતો. તેનું પુનઃ પ્રકાશન હમણાં જ ગુજરાત-રાજ્યની ‘સંસ્કૃત સાહિત્ય અકાદમી'એ ત્રણ ભાગમાં કર્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy