SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ અગાઉ ગ્રંથપરિચયમાં ઠેકઠેકાણે બતાવ્યું છે તેમ, અમુક વિષયો પ્રાયઃ ભિન્ન સંદર્ભે યોગ્ય રીતે પુનરાવર્તન પામ્યા છે, તો ક્યાંક વિષયનું બિનજરૂરી પુનરાવર્તન પણ લાગે. પ્રકરણનામોની વાત કરીએ તો કેટલાંકનો સ્પષ્ટ અર્થ સમજાતો નથી. ઘણી વાર અધ્યાયને આરંભે જે પ્રકરણનામ આપ્યું હોય તેને અનુરૂપ સામગ્રી અધ્યાયમાં મળતી નથી યા નામની મળે છે, ઘણી વાર એક જ અધ્યાયમાં જો એકાધિક પ્રકરણો હોય તો તેમાં બે પ્રકરણોની ભેદરેખા સ્પષ્ટ રીતે ક્યાં છે તે બતાવવું મુશ્કેલ કે અશક્ય લાગે છે. લેખકની સ્વચ્છ પ્રતિભા હૈયે ધરતાં આવા દોષોને વાચક સહેલાઈથી દરગુજર કરી દે એમ છે એ વાત ચોક્કસ. મૌલિકતા ઃ એમ લાગે છે કે કેટલાંય સ્થળે સમકાલીન કે પ્રાચીન રાજનીતિના અમલી વહેવારોથી બંધાયા વિના, અધ્યાત્મલક્ષી જીવનશાસ્ત્રની દૃષ્ટિએ, સ્વતંત્રપણે પોતાને અનેક કારણે ઇષ્ટ અને અનિવાર્ય લાગતા નૂતન સિદ્ધાંતો કહ્યા છે. કૌટિલ્યે વારંવાર વિવાદસ્થળોએ મતાંતરોની રજૂઆત કર્યાની જે વાત અગાઉ કરી છે, તેમાંના કૌટિલ્યના મતોને અન્ય મતો સાથે સરખાવીએ તો તેમની વિચારશક્તિની મૌલિકતાનો બરોબર અંદાજ મળે એમ છે. બુદ્ધિસ્વાતંત્ર્ય અને પ્રતિભાયુક્ત મૌલિકતા એ કૌટિલ્યના આ ગ્રંથના જાજરમાન ગુણો છે, જે ગ્રંથને ચિરંજીવિતા, સાર્વભૌમતા અને જીવંતતા બક્ષે છે. ૫૫ ચર્ચિલની ‘Second World-War' એ પુસ્તકશ્રેણી સાથે અર્થશાસ્ત્રની તુલના એટલા પૂરતી કરી શકાય કે બંને યુદ્ધકાળમાં સફળપણે રાજનૈતિક અને યુદ્ધસંબંધી સફળ રાહબરી કરનારા રાજપુરુષો હતા, અને બંનેએ અનુભવના પાયા ઉપર પોતાની આગવી પ્રતિભા અને પોતાનો આગવો સંદેશો વ્યક્ત કરતા ગ્રંથો લખ્યા છે. બંને એકંદરે યુદ્ધની પાછળ પ્રયોજાતા ઉધમાતોના ઠાલાપણા(futility of exercise)ને અને યુદ્ધ પાછળ કામ કરતી નરી બેવકૂફીને પણ સીધી કે આડકતરી રીતે કબૂલે છે. બંને આગવા અને આકરા મિજાજવાળી કે આખાબોલી છતાં સહૃદય એવી પ્રતિભા ધરાવનારા છે. ‘અર્થશાસ્ત્ર’નાં સંપાદનો, અનુવાદો ‘ અર્થશાસ્ત્ર’ના વિષયવસ્તુનું અગાઉ આપેલું સવિસ્તર વર્ણન અને એની મુખ્ય આગવી લાક્ષણિકતાઓનું, આની તરત પૂર્વે આપેલું બયાન એ ગ્રંથના મનભર સર્વાંગી અધ્યયનની રુચિ અનેક ધૈર્યશીલોમાં જગાડવા માટે જ આપ્યાં છે. તેથી અહીં તે ગ્રંથના અધ્યયન માટેની આધારરૂપ સામગ્રી નિર્દેશવી જરૂરી છે. મૂળ ગ્રંથનું પ્રથમ પ્રકાશન, અગાઉ કહ્યા મુજબ, શ્રી આર. શામશાસ્ત્રીએ મૈસૂરમાં ઈ.૧૯૦૯માં કર્યું હતું. તેમણે જ તેનો અંગ્રેજી અનુવાદ ૧૯૧૫માં બેંગલોરમાંથી પ્રસિદ્ધ કર્યો. મૂળ ગ્રંથની શામશાસ્ત્રીની સુધારેલી ચોથી આવૃત્તિ ઈ.૧૯૨૪માં પ્રગટ થયા બાદ એની પુનઃ સંપાદિત આવૃત્તિ ૧૯૬૦માં શ્રી એન.એસ. વેંકટાચાર્યે બહાર પાડી. ઈ.૧૯૨૪માં લાહોરમાંથી J. Jolly અને R. Schmidt દ્વારા બે ભાગમાં અનુક્રમે મૂળ ગ્રંથ અને મહામહોપાધ્યાય માધવયવની ટીકા ઉપરાંત નોંધો બહાર પડાઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy