SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષા : વળી ગ્રંથના છેલ્લા શ્લોકો પૈકીના અગાઉ ચર્ચેલા એક શ્લેષયુક્ત માર્મિક શ્લોક સિવા ગ્રંથકારે પોતાનો કોઈ વધુ દુન્યવી પરિચય આપ્યો નથી. એક-બે સ્થળો સિવાય ક્યાંય ઐતિહાસિ કે રાજકીય ઘટનાઓ પણ ઉલ્લેખી નથી. વિવાદસ્થાનો સિવાય કોઈ ઐતિહાસિક વ્યક્તિઓ ઉલ્લે નથી કે જૂજ સ્થાનો સિવાય પૌરાણિક વ્યક્તિઓ પણ ઉલ્લેખી નથી. ઉપર્યુક્ત શ્લોક સિવાય ક્યાં નંદરાજા કે નંદવંશ વિષે પણ અન્ય વિગતો આપી નથી. અમાત્ય રાક્ષસના આખા પ્રસંગનો અણસાર સુધ્ધાં આપ્યો નથી! ચંદ્રગુપ્તનો કે તેની સાથેના પોતાના સંબંધનો પણ ઉલ્લેખ કર્યો નથી આ ગ્રંથ ગ્રંથકારના લાઘવ (ટૂંકાણ) અને વસ્તુલક્ષિતા માટેના નમૂનેદાર શોખનો સુજ્ઞજનોને જા ચેપ લગાડે છે ! કોઈ પણ ગ્રંથ આ ગુણને પોતાનામાં ગૂંથી લઈને પોતાના વિષયનાં ભિન્ન-ભિ અંગો વિષે, ઊલટું, ચોક્કસ અને નિશંક જ્ઞાન આપી શકે છે. ભાષા-શૈલી : ગ્રંથનું ગદ્ય પણ વિશિષ્ટ અને નમૂનેદાર છે. પોતાના શાસ્ત્રની લાક્ષણિકતા વર્ણવ શ્લોકમાંના હમણાં ઉલ્લેખેલાં બે વિશેષણો ઉપરાંત એક ત્રીજું વિશેષણ આ છે : સુહગ્રહવિજ્ઞેયમ્ અર્થા સુખેથી શબ્દાર્થ સમજાવાને લીધે કહેવાતી વાત બરોબર સમજી જવાય તેવું. એમ કહેવાય છે કે સહે લખાણ લખવું અઘરું છે અને અઘરું લખાણ લખવું સહેલું છે ! આ વાત બિલકુલ સાચી છે. જો કો વિષય ઉપર ઉત્તમ પકડ આવી હોય તો જ સાવ સામાન્ય માણસ પણ વાત સમજી શકે તેટલી સરળ રી અને સરળ ભાષામાં કહેવાની આવડત આવે. આ ગ્રંથમાં ક્યાંય ભાષાનો આડંબર નથી, આલંકારિક વાક્છટાનો ઉપયોગ નથી, ગોળ-ગો વાતો (minting of words) નથી. વાક્યો પણ અટપટાં, લાંબાં કે સંકુલ (complex) પ્રકાર (મુખ્ય વાક્યના પેટામાં એક કે વધુ પેટાવાક્ય હોય તેવાં) ભાગ્યે જ હોય છે. અવતરણરૂપે આપે પઘોમાં કે ગ્રંથકારના સ્વરચિત જણાતાં પઘોમાં પણ સમજાય તેવાં સાર્થક વિશેષણોવાળી, સર વાક્યરચનાવાળી શૈલી છે. એમણે અનેક પરંપરાગત પારિભાષિક શબ્દો ઉપરાંત પોતાની સૂઝથી નવા શબ્દો પણ કુશળ રી રચ્યા હોય તેમ લાગે છે. અલબત્ત, ક્યાંક એક જ બાબત માટે એકાધિક પારિભાષિક શબ્દો વાપર્યા હો ત્યાં ક્યારેક અર્થ અંગે સંશય જરૂર થાય છે. ઘણા પારિભાષિક શબ્દોના અર્થ અસ્પષ્ટ પણ લાગે છે. ગ્રંથ અનેક આધારગ્રંથોનો ઉપયોગ કરીને અન્ય રોકાણોના દબાણ વચ્ચે લેખકે તૈયાર કર્યો હોઈ અમુ અંશે આવું બનવું સ્વાભાવિક છે. કદાચ, માત્ર ગ્રંથનું ટૂંકાણ સાધવા ખાતર જ, પોતાના આ ગ્રંથના રાજકીય પત્રો વિષેના અધ્યા ૨.૧૦માં પોતે સમાસ-રચના વિષે રજૂ કરેલા પોતાના જ મતથી કંઈક ચાતરી જઈને (રસ્તાથી નીચે ઊત જઈને) વાક્યોમાં લેખકનું લાંબા અને ઝાઝા પેટા-સમાસોવાળા સમાસો વાપરવાનું વલણ ધ્યાન ખેંચે છે એવા ઘણા સમાસો વ્યાકરણદૃષ્ટિએ અશુદ્ધ પણ જણાય છે; તો કેટલાક સમાસોના વિગ્રહ (પદસંબંધ અંગે સંદેહ પેદા થતો હોય છે. આનું કારણ પણ લેખકનો કાર્યબોજ જ હોઈ શકે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy