SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું? રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ૫૧ મતાંતરો અને સ્વમત રજૂ કરવાની એક ચોક્કસ ઘાટીલી પદ્ધતિ અપનાવી છે. તેઓ પ્રથમ સૌથી નબળો મત રજૂ કરી, ત્યાર પછી ચઢતા ક્રમે વધુ ને વધુ વિચારપૂર્ણ મતો એક પછી એક, દરેક મત ધરાવનારના નામનિર્દેશ સાથે રજૂ કરે છે. આમાં રસપ્રદ આયોજન એ છે કે આમાંનો દરેક પાછલો મતવાદી તરતના આગલા મતનો દોષ ચીંધીને પછી પોતાનો મત કહે છે. કોઈ સ્થળે આવા છ-સાત પૂર્વપક્ષ મૂક્યા છે, તો કોઈ સ્થળે તેથી ઓછા કે માત્ર એક. બધા પૂર્વપક્ષોની આ રીતની રજૂઆતને છેડે કૌટિલ્ય પોતાનો મત “એમ કૌટિલ્ય [કહે છે]” – એ રીતે વ્યાકરણના ત્રીજા પુરુષનો ઉપયોગ, પોતાના નામનિર્દેશ સાથે કરીને રજૂ કરે છે. (પ્રાચીન સમયમાં અહંભાવ સૂક્ષ્મ રીતે પણ પ્રગટ ન થાય તે માટે ગ્રંથકાર પોતાનો ઉલ્લેખ આ રીતે કરે તેવી પદ્ધતિ પડી ગઈ હતી. એટલે ગ્રંથમાંની આ પદ્ધતિને કારણે આ ગ્રંથના કર્તા કૌટિલ્ય નહોતા – તેવો મત બાંધવાનું વાજબી ન ગણાય.) કૌટિલ્ય અપનાવેલા આવા વાદક્રમનો એક વહેવારુ લાભ એ પણ લાગે છે કે પ્રાચીન ખામીયુક્ત મતો, જે-તે નવા શાસ્ત્રકારના પોતાના સમયમાં પણ અમુક વર્તુળોમાં જો ચાલુ હોય, તો તે મોળા પડતા જાય. આ રીતે એક સમયની સર્વ પ્રજાઓમાં બૌદ્ધિક-સાંસ્કૃતિક એકરસતા વ્યાપકપણે જામતી જાય. કૌટિલ્ય પૂર્વમતો અને સ્વમત રજૂ કરવા અંગીકારેલી ઉપયુક્ત પદ્ધતિ અંગે કેટલીક સ્પષ્ટતાઓ જરૂરી છે. કૌટિલ્ય જ્યાં આગલા વાદીનું ખંડન પાછલો વાદી કરતો હોય તેવું બતાવ્યું છે, ત્યાં એવું ખાતરીપૂર્વક કહી ન શકાય કે એ વાદીઓએ જ ખરેખર એવું ખંડન કર્યું હશે, અને વળી એ વાદીઓ ઐતિહાસિક તથ્યની દષ્ટિએ એ રીતે જ આગળ-પાછળ થયા હશે. એવો પૂરો સંભવ છે કે માત્ર વિચારનો ક્રમિક વિકાસ બતાવવા કૌટિલ્ય પોતે દરેક સ્થળે પૂર્વમતનું ખંડન અને વાદીઓનો ક્રમ તો પોતાની કલ્પનાથી જ આપ્યાં હોય; અલબત્ત, જે-તે વાદીને નામે આપેલો જે-તે મત તો ઐતિહાસિક રીતે હકીક્તરૂપ હોવાનું ખાતરીપૂર્વક જરૂર કહી શકાય. અહીં એ પણ કહેવું જોઈએ કે ઉપર્યુક્ત અનેક વાદ-પ્રતિવાદનિરૂપણોમાં છેવટે મળતા કૌટિલ્યના જે-તે મતો ઘણા બુદ્ધિપૂત, ઠરેલ, ઉદાર અને પ્રગતિશીલ જણાય છે. એક ધ્યાનપાત્ર વસ્તુસ્થિતિ એ છે કે સ્વદેશનીતિ નિરૂપતાં પ્રથમ પાંચ અધિકરણના બનેલા પ્રથમ વિભાગમાં આવાં મતાંતરોનાં નિરૂપણો વિપુલ પ્રમાણમાં મળે છે. પણ વિદેશનીતિ-સંબંધી બીજા વિભાગમાં તેમનું પ્રમાણ ખાસ્સે ઘટી જાય છે. વિચારતાં લાગે છે કે એ બીજા વિભાગમાં નિર્દેશેલાં ઘણાં રાજનૈતિક પગલાં કે ઉપાયો વાંધાજનક જ નહિ, સામાન્ય જનની દૃષ્ટિએ ઘોર પણ લાગે છે. એ પરથી એવું તારવી શકાય કે આખો વિદેશનીતિનો વિષય એમના સમય સુધી ઋષિઓ કે ચિંતકોને પ્રાયઃ અસ્પૃશ્ય કે “અવદ્ય' (વાત નહિ કરવા જોગ) લાગ્યો હશે; કારણ કે એ ક્ષેત્રમાં તો પ્રાયઃ બર્બર વ્યક્તિઓ કે જૂથોએ સર્વ ઉધમાતો કે અભિક્રમોનો દોર પોતાના જ હાથમાં રાખ્યો હશે. કૌટિલ્ય પણ વિશેષે તો એ વિભાગમાં તે સમય સુધીમાં ખરેખર જામેલા ઘોર વહેવારોનું જ યથાતથ ચિત્ર આપ્યું જણાય છે. એમાં એમનું પોતાનું કર્તુત્વ અને તજ્જન્ય અનુમોદન પણ થોડા અંશમાં જરૂર હશે તે તેમણે સમકાલીન રાજનીતિમાં ભજવેલા ભાગ અંગેની આપણી જાણકારી પરથી જરૂર કહી શકાય. પણ એને માત્ર આપદ્ધર્મ તરીકે અપનાવી તેમણે મર્યાદા અને આત્મસંયમ ઉત્તમ રીતે જાળવ્યાં હતાં એ વાત પણ નિઃશંક જણાય છે. એ દૃષ્ટિએ કહી શકાય કે વિદેશનીતિનાં અનેકનિરૂપણો પોતાના કાળ સુધી નહિ અટકેલી માનવીની બર્બરતાઓના એકરાર રૂપે, તેમ જ એ સંસ્કારવાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy