SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પર કૌટિલ્ય અર્થશાસ્ત્ર : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વિચારવાનોની જવાબદારી ચીંધવા માટે એમણે રજૂ કર્યા હશે. પેલું પૂર્વોક્ત નહેરૂવચન પ્રમાણેનું બર્બરતામાંથી સંસ્કૃતિ તરફની આગેકૂચ'નું સ્વપ્ન સિદ્ધ કરવા માનવજાતે હજી લાંબી ખેપો કરવાની છે એની યાદ જ, જાણે ગ્રંથકાર આપતા ન હોય! બાકી તો અનેક સ્થળોએ હૈયાને સંતોષ થાય તેવા નરવા સ્વમતો કૌટિલ્ય આ બીજા વિભાગમાં પણ આપ્યા જ છે. કૌટિલ્ય આખા ગ્રંથમાં થઈને કેટલા અને કયા પૂર્વપક્ષો ઉલ્લેખ્યા છે તે પર નજર નાખીએ. પ્રા. કંગલેની ગણતરી મુજબ ગ્રંથમાં કુલ ૧૧૨ વખત પૂર્વપક્ષોનો નામનિર્દેશ થયેલો છે, તો બે વાર “કેટલાક (પ) અને એક વાર “અન્યો' (અન્ય) એવા સામાન્ય નિર્દેશો આપ્યા છે. નામનિર્દેશવાળાં સ્થળો ત્રણ જાતનાં જોવા મળે છેઃ (૧) પ્રસિદ્ધ એવા કોઈ ચોક્કસ તે-તે શાસ્ત્રકારના અનુયાયી-જૂથને નામે, (૨) કોઈ ચોક્કસ નામવાળા વ્યક્તિગત શાસ્ત્રકર્તાને નામે, (૩) “આચાર્યો' એવા વ્યાપક નામે. ગ્રંથમાં આ ત્રણ પ્રકારના નામનિશવાળાં સ્થળો અનુક્રમે ૨૫, ૨૮ અને ૨૯ છે. પ્રથમ પ્રકારમાં સમાનારાં ચોક્કસ જૂથનામો કુલ પાંચ મળે છે: બાહસ્પત્યો, ઔશનસો (ઉશનસ્ એટલે કે શુક્રાચાર્યના અનુયાયીઓ), માનવો, પારાશરો અને આભીયો. બીજા પ્રકારમાં સમાતાં વ્યક્તિનામો છ છે : ભારદ્વાજ, વિશાલાક્ષ, પિશુન, કૌણપદંત, વાતવ્યાધિ અને બાહુદતીપુત્ર. આ વ્યક્તિઓની ઐતિહાસિક ઓળખાણ સ્થાપવાનું કામ ખૂબ કઠિન છે. તેમાંના કેટલાંક નામ તો અર્થદૃષ્ટિએ પણ વિચિત્ર છે. પણ કૌટિલ્ય આ અને બાકીના પૂર્વપક્ષોનાં ચોક્કસ ગ્રંથો કે શ્રુતપરંપરાઓનું પાકું અધ્યયન કર્યું હશે તેમ અવશ્ય કહી શકાય. આમાં અર્ધાથી વધુ સ્થળોએ તો “આચાર્યો એ વ્યાપક નામે જ પૂર્વમતો મળે છે. એ શબ્દથી કર્યું જૂથ સમજવું તે અંગે વિદ્વાનોએ ઘણો ઊહાપોહ કર્યો છે, પણ એમાંથી કોઈ ચોક્કસ ઓળખાણ નીપજી શકતી નથી. “અગાઉ ઉલ્લેખેલાં જૂથો કે વ્યક્તિઓ પૈકીના મોટા ભાગના શાસ્ત્રકારો' એવો અર્થ સામાન્ય બુદ્ધિથી તારવી શકાય. આચાર્યોના કેટલાક મતો સાથે કૌટિલ્ય સંમત હોવાનું એ પરથી સમજાય છે કે તે સ્થળોએ કૌટિલ્ય પોતાનો જુદો મત કહેતા નથી. આ પૂર્વાચાર્યમાં મતોનું વ્યક્તિવાર, જૂથવાર અને સમગ્ર રૂપે સન્નિષ્ઠ સંશોધન-અધ્યયન કરવા જેવું છે. રાજનીતિ તેમ જ તેના આનુષંગિક વિષયો અંગે કેટલું બધું મતવૈવિધ્ય, મતવૈચિત્ર્ય, પરસ્પર સાવ વિરોધી એવું ચિંતન-વલણ પ્રવર્તે છે એનું ખૂબ કૌતુકપોષક ચિત્ર મળવા સાથે અધ્યતામાં ખાસ્સી મતાંતર-સહિષ્ણુતા પણ પોષાય. “મહાભારત'માં તો ખૂબ વિપુલ પ્રમાણમાં આવું મતવૈવિધ્ય-મતવૈચિત્ર્ય આવી જ સમતાથી રજૂ થયું છે અને વ્યાસજીએ એ જ ગ્રંથમાં ક્યાંક માર્મિક રીતે “અતિવાદોની તિતિક્ષા કરવાની સોનેરી શીખ પણ ઘૂંટીને આપી છે. એક કૌતુકપોષક નમૂના તરીકે “અર્થશાસ્ત્રમાં વિવિધ ચર્ચાવિષયોના અનુષંગે અપાયેલા ભરદ્વાજના મતોને તારવી લઈ એ બધાની વિચિત્રતાનો, એમના ઘોરપણાનો ખ્યાલ કરવા જેવો છે. કૌટિલ્યની સહજ અન્યમતસહિષ્ણુતાનો સાચો અંદાજ એ હકીકત પરથી આવી શકશે કે પોતે જેમના જૂથના નામે ચઢેલા મતો સાથે ગ્રંથમાં એક પણ સ્થળે સંમત નથી, એવા બે પ્રસિદ્ધ આચાર્યો – બૃહસ્પતિ અને શુક્ર –ને કૌટિલ્ય ગ્રંથારંભે ગ્રંથમંગલ-રૂપે નમસ્કાર કર્યા છે– ૩ૐ નમશુગૃહસ્પતિગ્રામ્ એ રૂપે! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy