SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આવી જનારી (down to earch) તેમની આ સીધીસટ પ્રકૃતિ જ છે. ક્યારેક-ક્યારેક જ, અત્યંત લાઘવથી – એક-બે વાક્યમાં જ – એમણે રજૂ કરેલ સિદ્ધાંત ઝીલતાં, એમાં એમનાં સર્વાગી બુદ્ધિબળ અને પરાક્રમબળની પાર્શ્વભૂમિકામાં રહેલું એમનું અચંચળ હૃદયબળ અનુભવાયા વગર રહેતું નથી. તેરમા અધિકરણનું શીર્ષક છે ગુનોવા (શત્રુનાગઢને જીતવાના ઉપાય).વિજિગીષ (રાજા)ની વિજયવાંછા પરધ્વંસી, વિકૃત, અહંકેન્દ્રી અને મહત્ત્વાકાંક્ષારૂપ નહિ, પણ વિશુદ્ધ રાજધર્મરૂપ કે લોકવિજયરૂપ રાજપ્રતાપની સ્થાપના અર્થે હોવાની વાત ઘૂંટવાનું કૌટિલ્ય ગ્રંથમાં ક્યાંય ભૂલતા નથી. આગલા બારમા અધિકરણના આરંભે ત્રણ પ્રકારના આક્રમણકારો(ત્રય: મોર:)ની જે ઉક્ત વાત લાઘવથી કરી છે, તે પરથી પણ આવું અ-દોષ વિનાપુત્વ કૌટિલ્યને અભિપ્રેત છે એ વાત બિલકુલ સાફ બને છે. આ સંદર્ભે જ આ તેરમા અધિકરણમાંની, શત્રુનો ગઢ જીતવાની વાત થયેલી છે તે બાબત, અધિકરણના કેટલાક ખૂણાઓમાં રજૂ થયેલા આદેશો ઉપરથી – ખાસ તો આ અધિકરણના છેલ્લા પાંચમા નાનકડા, સુંદર અધ્યાય પરથી – દીવા જેવી સાફ બને છે. આ સમજણ-માળખાને ધ્યાનમાં રાખીને આ અધિકરણમાં પણ અગાઉનાં અધિકરણોની જેમ જ, જે રાજનૈતિક યુક્તિ-પ્રયુક્તિઓ, કપટપ્રયોગો વગેરેનું પૂરણ ભરવામાં આવ્યું છે, તેને સમભાવથી જીરવવાનું છે, અને એની પાછળની અનિવાર્યતાઓને સમજવાની જરૂર છે. માનવકેન્દ્રી ઉમદા નૈતિક સચેતપણું સાફલ્યની ભૂહરચના દ્વારા સાકાર બને તે પણ ઇષ્ટ છે. આમાં પાંચ અધ્યાયો છે. પ્રથમ અધ્યાય છે “ઉપના : (‘કાનભંભેરણી'). જે રાજય જીતવાનું છે તેનું તંત્ર સારી પેઠે ખોખલું, ભ્રષ્ટ અને કર્તવ્યય્યત થયેલું છે અને પ્રજા-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયેલું હોય છે. મોટે ભાગે સામાન્ય પ્રજા શ્રદ્ધા પર, ક્વચિત્ અંધશ્રદ્ધા પર ટકતી હોય છે. રાજ્યતંત્ર ખરાબ હોય તો યે રાજપદનો મહિમા તેમના મનમાં રૂઢ થઈ ગયો હોઈ તેમને મન પોતાનો રાજા દેવ જ છે. આ લોકમાનસને ખ્યાલમાં રાખીને, અહીં આમ-પ્રજાને ઉદ્દેશીને અને રાજાને વળગી રહેલા અધિકારીતંત્રને લક્ષીને (સંબોધીને) કાન-ભંભેરણીની વાત છે. પ્રજાની અને તંત્રવાહકોની રૂઢ શ્રદ્ધાઓ કે અંધશ્રદ્ધાઓને હચમચાવવાની છે, અને આવા રાજયને જીતવા ઇચ્છનારા આ પડોશી વિજિગીષના મહિમાની છબી વિવિધ રીતે તેમના માનસપટ પર અંકિત કરવાની છે. જેવા સાથે તેવા થવાની આ લૌકિક વાત છે, જેની સામે તટસ્થ દૃષ્ટિએ વાંધો ઉઠાવવા જેવું જણાતું નથી. વિજયવાંછુ રાજાની દિવ્યતા ઉપસાવવા તેના સર્વજ્ઞપણાની, તેને થયેલ દેવતા-સાક્ષાત્કારોની, તેની અમાનુષી શક્તિઓની વિવિધ વાતો, તેના યુક્તિપૂર્ણ બનાવટી પુરાવાઓ સાથે, વિવિધ રીતે વિજિગીષએ પોતાના અને શત્રુના રાજયમાં પ્રસારવાની છે. અલબત્ત, આ બધું અનેક દશ્યો કે ઘટનાઓ દ્વારા સિદ્ધ કરવાના પાયા તરીકે તો માત્ર ચતુર યુક્તિ-પ્રયુક્તિઓ જ હોય છે. પણ એકંદરે નવો રાજા જૂના રાજાને ઉથલાવીને તેના રાજયનો સ્વામી બને તે પહેલાં એના મહિમાનું દઢ સ્થાપન શત્રુરાજયની પ્રજામાં અને તંત્રવાહકોમાં કરવાની વાત છે. આજે જેને brainwashing (લોકમાનસમાં રૂઢ થયેલા વિચારોનું સંપૂર્ણ ધોવાણ કરી પસંદ કરેલા નવા વિચારોનું સ્થાપન) કહે છે, તેના જ નિર્દોષ પ્રકારની વાત, આમ તો, કહેવાય. અધ્યાયને છેડે શત્રુરાજયના મુખ્ય અધિકારીઓનાં હૃદય અગાઉથી જાસૂસો વગેરે દ્વારા જીતવાની વાત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy