SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું ? રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ૪૫ પણ છે. તેમને ધન, માન વગેરેથી પણ પોતાની તરફ વાળવાના છે. પ્રાપ્ત પરિસ્થિતિમાં આવા ઉપાયો પણ ધીર અને ધીટ (હિંમતબાજ) એવા રાજાએ અપનાવવાનું આવી પડે છે. બીજો અધ્યાય છે : યોગાવામામ્ (થોડા – કપટયુક્તિ; તેના દ્વારા વામનદ્ – બહાર કાઢવાની ક્રિયા. એકંદર અર્થ : કપટયુક્તિઓથી શત્રુરાજાને મહેલ કે કિલ્લામાંથી જાહેરમાં ખેંચી આણવાનું પગલું). શત્રુરાજાની ખોખલી ધર્મશ્રદ્ધાઓ, લોભવૃત્તિ, હાથીઘોડા ખરીદવાનો ગાંડો શોખ – આ બધાં નબળાં બિંદુઓ(“છિદ્રો')ને આધારે રાજાને મહેલ કે કિલ્લાની બહાર ખેંચી લાવવાની અને તેનો વધ કરવાની કે ક્વચિત્ કેદ કરવાની વિવિધ મનોવૈજ્ઞાનિક યુક્તિઓ આમાં આપી છે. વળી વિવિધ રીતે રાજાનું અમંગળ ભાખતી કે રાજાનો બલિ માગતી રાક્ષસોની, દેવતાઓની વાણી પ્રકાશિત કરવાની યુક્તિઓની પણ વાત છે. છેલ્લે જ શ્લોકો દ્વારા અન્ય વિવિધ દૈનિક પ્રમાદસ્થાનો પર રાજાનો વધ કરવાની વાત છે. સમુદાયને બચાવવા અનિષ્ટના મૂળરૂપ – ખરેખર તો ખોખલાપણાથી અંદર ખતમ થયેલા જેવી – એક મુખ્ય વ્યક્તિનો ભોગ લઈ વ્યાપક હિંસા નિવારવાની, પરિસ્થિતિ-સાપેક્ષ લૌકિક અનિઘ (બિનનિંદાપાત્ર) નીતિ આમાં છે. ત્રીજા અધ્યાયનું શીર્ષક કોઈ સાવ અલાયદો વિષય ન સૂચવતાં આખી પરદેશનીતિમાં અનિવાર્ય રૂપે યોજાતા ઉપાયનો જ ઉલ્લેખ કરે છે; એ શીર્ષક છે પસઈvorfધ: (“ગુપ્તચરનો કાર્યકલાપ'). અલબત્ત, અહીં ગુપ્તચરનો કાર્ય-કલાપ શત્રુનો ગઢ જીતવાના ને શત્રુને હરાવવાના એકમાત્ર હેતુ માટેનો જ છે – તે રીતે જ તેનું વર્ણન કરાયું છે. આમ તો પરદેશનીતિમાં ખૂબ વ્યાપકપણે ગુપ્તચરોનો ઉપયોગ થતો હોય છે, પણ કેટલાંક કામોમાં ગુપ્તચરતંત્રનો ઉપયોગ માત્ર ગુપ્ત વાતો જાણવા પૂરતો જ નહિ, પણ શત્રુ-રાજાને ત્યાં કે તેના રાજ્યમાં સેવકપણાના વિવિધ વેષ અદા કરીને વધાદિ આવશ્યક કાર્યો ગુપ્ત રીતે આટોપવા માટે પણ થતો હોય છે. તેમાં અનેક દેખાડા, દંભ કે નાટક પણ સફળ રીતે કરવાનાં હોય છે. દેખાવે માતેલા પણ માંહેથી ખોખલા થઈ ગયેલા શત્રને, સીધા યુદ્ધને બદલે આડકતરી જેટલી રીતોથી, ઓછામાં ઓછા કરે અને જીવોના ન્યૂનતમ ભોગે જીતી શકાય તે માટે પ્રયત્નો કરી છૂટવાનું છે. આમાં પણ રાજાના વધની વાત છે જ; તે ઉપરાંત શત્રુદેશના અધિકારીઓની કે તેના ભ્રષ્ટાચારીઓની કાનભંભેરણી દ્વારા તેના તંત્રનું મોટું ફેરવવાની વાત, ઊભા કરાયેલાં બીજા યુદ્ધમાં રાજાને સંડોવવાની વાત, રાજાના મિત્રોને તેના શત્રુ બનાવવાની વાત, પોતાના સૈનિકોને રાજયમાંના અનેક સેવકપદો પર ગોઠવી તેમના જ દ્વારા યોગ્ય વખતે શત્રુરાજા પર સફળ હુમલો કરાવવાની વાત, રાજાને કિલ્લામાંથી લડવા બહાર કાઢવાની વાત- એવું ઘણુંબધું સાહસભર્યું છતાં ચતુર ગુપ્તચરકાર્ય-જાળ અહીં રસપ્રદ રીતે વર્ણવાયું છે. આવો કાર્યકલાપ ભેજાબાજોને પોરસાવે (પ્રેરે) તેવી ડિટેટિવ-કથાઓનો સારો મસાલો જરૂર પૂરો પાડે ! ચોથો અધ્યાય આગળનાં બે પગથિયાં નિરૂપે છે: પાસનકર્મ (કિલ્લા ફરતે ઘેરો) અને નવમ: (શત્રુનો કચ્ચરઘાણ). આ અધ્યાયના આરંભે ને છેડે રજૂ થયેલી કેટલીક ઠરેલ વાતો ધ્યાન ખેંચે છે. પહેલાં તો એક વહેવારુ વાત કહી છે : શત્રુને આડકતરા ઉપાયોથી ખોખરો ને ખોખલો કરીને પછી જ ઘેરો ઘાલવો. હકીકતે શત્રુ પોતાના અનેક દોષોને કારણે જ વિરોધપાત્ર અર્થાત્ દુશ્મન બન્યો છે. તો એ દોષો ઉત્કટપણે ઉઘાડા પાડી, એની વાસ્તવિક નબળાઈઓને સપાટી પર લાવીને વિજય માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy