SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ થયેલો છે. તેમાં દૂતકર્મોરૂપે પ્રયોજાતા ચતુરાઈભર્યા સંધિઓ અને જેને ‘મંત્રયુદ્ધ' કહે છે તેમાં રાજકીય સંદેશાઓ વગેરે દ્વારા સામા પક્ષનો થતો મનોપચાર આ આયોજનોને ગરવાં અને ધોરણસરનાં રાજકીય પ્રતિભાકર્મો કહી શકાય. ત્યાર પછી આવે છે ધૃષ્ટતાથી – જાસૂસી હિંમત અને સાહસથી – સામા પક્ષના, પોતાના સૈન્યબળના અવાસ્તવિક અભિમાન પર આધારિત અવિચારી યુદ્ધનિર્ણયરૂપ કુછંદને તોડવા માટેના ઉપાયો. તેમાં સેનાના વડાઓ કે રાજ્યના મોકાના અધિકારીઓનો વધ, સૈન્યના માનવ-આહારને કે પશુ-આહારને વિષયુક્ત કરવો, રાજ્યનાં અન્ય અંગો(‘પ્રકૃતિઓ’)ના ઉચ્ચાધિકારીઓ(મહામાત્ર)ને ભેદ કે ગુપ્તવધરૂપ ઉપાયો દ્વારા ફરજસ્થાન પરથી કે પ્રાણથી ચ્યુત કરવા, તેમ જ યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા રાજાનો વધ કરવા જેવાં પગલાં પણ સમાવેશ પામે છે. આ ઉપાયજાળ ખરેખર તો બહારથી બળિયા દેખાતા શત્રુના અને તેના તંત્રના ખોખલાપણા પર, સૈન્યાદિ સ્થૂળ બળના મુદ્દે ઊતરતા, પણ પ્રતિભાબળ કે આત્મબળથી સમૃદ્ધ એવા રાજા દ્વારા થતા વાજબી પ્રહારરૂપ હોવાનું સમજાય છે. ન-છૂટકે પણ અમુક તબક્કે દઢ રીતે પ્રયોજવાનાં આ પગલાં છે. કોઈ પણ સાચો આદર્શવાદ ન નમાલાપણાનો પર્યાય હોય, ન આત્મગૌરવ બાબત બાંધછોડ કરનાર હોય. ૪૨ આ ઉપાયજાળમાં અધિકરણના ત્રીજા અધ્યાયના અંતમાં ‘મંડલપ્રોત્સાહન' નામનો એક ઉમદા અને પાયાનો ઉપાય ખાસ ધ્યાન ખેંચે છે. એક વિશાળ મુલ્કના વિવિધ રાજાઓના સમુદાયને તેમની વચ્ચે પ્રવર્તતા સારા-નરસા સંબંધને આધારે, ‘રાજમંડલ' તરીકે ઓળખવામાં આવે છે તે અગાઉ છઠ્ઠા અધિકરણના આધારે આપણે જોયું. એમાંના રાજાઓ વચ્ચે પરસ્પર વેરને પણ અવકાશ હોવા છતાં, એકંદરે, ‘વિના સહકાર નહિ ઉદ્ધાર' એ ન્યાયે એમની વચ્ચે એક ચોક્કસ પ્રકારની રાજનૈતિક સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવતી હોય છે. આખી પરદેશનીતિનો પાયો આ મંડલરૂપ રાજનૈતિક સમાજ છે તે વાત કૌટિલ્યે અગાઉ ઘૂંટી આપી જ છે. તો સૈનિકી રીતે નબળા રાજાએ પોતાંની નીતિનિષ્ઠા કે નીતિશ્રદ્ધાને આધારે આ મંડલને એના પ્રાણરૂપ ન્યાયનિષ્ઠ દૂરંદેશી તત્ત્વોને – ઢંઢોળવાની, તેની સમક્ષ બળપ્રદર્શનવાદની માઠી પરિણામ-પરંપરા ચીંધીને તે સામે તેને જાગૃત અને સુસજ્જપણે સક્રિય કરવાની વાત મુકાઈ છે. તે જ રીતે મંત્રયુદ્ધના ભાગરૂપે ખુદ શત્રુપક્ષને ઢંઢોળવાની, એના દુસ્સાહસનાં અનિષ્ટ પરિણામો આત્મગૌરવભેર ચીંધી બતાવી તેને ચીમકી આપવાની વાત પણ આ અધિકરણમાં સમાવીને કૌટિલ્યે પ્રગલ્ભ (ઠરેલ) રાજનીતિ તરફની પોતાની સ્થિર રુચિ અને નિષ્ઠા પ્રગટ કરી છે. આ અન્વયે આ અધિકરણના પ્રારંભે જ આક્રમણકારની ત્રણ શક્ય મનોવૃત્તિઓ બતાવવારૂપ જે લાઘવભર્યું સમર્થ વિશ્લેષણ કરાયું છે તે પણ ગ્રંથકારની વેધક પારદર્શિતા અને દૃષ્ટિની સમગ્રતા બતાવે છે. વળી આ વિશ્લેષણની પૂર્વે, નબળા રાજાએ અપનાવવાની નીતિ અંગે બે અંતિમવાદી પૂર્વપક્ષો રજૂ કરી, ગ્રંથકારે પોતાનો સમન્વયકારી મત જણાવીને આખા અધિકરણનો મુખ્ય સૂર રજૂ કરી દીધો છે. - આ અધિકરણમાં બતાવેલી કેટલીક અતિકુટિલ કે ક્રૂર લાગતી યુક્તિઓ બાબતે એટલું જ કહી શકાય કે એમાં તે વખતની ખરેખરી વસ્તુસ્થિતિ અને પરિસ્થિતિનું જ પ્રતિબિંબ સમજવું. લોક-સ્વભાવ બાબત તટસ્થ રહીને અને તે પ્રતિ સમજણભર્યો અવિરોધ જાળવીને પણ, પ્રસંગે-પ્રસંગે પોતાનો તાત્ત્વિક મત પૂરા વિનય સાથે દેઢતાપૂર્વક કહેવો એ કૌટિલ્યનો આરૂઢ સંસ્કાર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy