SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું: રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ૪૧ સાથે એકરૂપ હોય છે. આથી નાના કે મોટા આવા જાતવાનું રાજા માટે કૌટિલ્ય આખા ગ્રંથમાં સર્વત્ર વિજિગીષ” (“વિજય-આકાંક્ષાવાળો) શબ્દ વાપરે છે. રાજા-રાજા વચ્ચે પ્રાસંગિક તારતમ્ય (‘તર'તમભાવ, ચઢિયાતાપણું-ઊતરતાપણું) ભલે હો, પણ વિકાસની સંભાવનાના માપદંડે સર્વ રાજાઓ સમાન છે – જેમ સર્વ વ્યક્તિ સમાન છે. એટલે કૌટિલ્ય ગ્રંથરચના પાછળ નાના કે મોટા એક-એક રાજયની આગવી અસ્મિતાની ખિલવટનું ધ્યેય માન્યું છે. ગમે તે દશામાં પણ કોઈ પણ રાજાના અને તેના રાષ્ટ્રના ઘડતરને માટે, તેમ જ દારુણ દુર્દશામાંથી તેની મુક્તિને માટે અવકાશ રહે જ છે; તેના માર્ગો શોધી શકાય તેમ છે. હા, એ માટે શમ એટલે કે ધીરજભરી રાહ જોવાનું અને વ્યાયામ એટલે કે પદ્મ સમયે અનુરૂપ ઉપાયનું ઉત્કટ આચરણ – એ બંનેને વારાફરતી કે મિશ્રરૂપે અજમાવવાના રહે. તો આ સમજના આધાર પર, સ્થૂળ બળની બાબતમાં શત્રુપક્ષથી નબળા (ગ-વનીયમ્ ચઢિયાતા બળ વિનાના) એવા રાજાએ અજમાવવાના વિવિધ ઠરેલ, વ્યવહારુ કે વાજબી જોખમવાળા ઉપાયોની વિચારણા માટે ગ્રંથનું બારમું શાસ્ત્રીયમ્ (ગવતીયમ્ રાજાને લગતું) અધિકરણ યોજાયું છે. કૌટિલ્ય આધુનિક ડાર્વિનવાદની (સૌથી લાયકના જ ટકાવની – survival of the fittest ની) વિચારસરણીથી ભિન્ન અભિગમના પ્રબુદ્ધ પુરસ્કર્તા હોવાનું પણ આ અધિકરણને આધારે જરૂર કહી શકાય. પ્રા.કંગલે આના અનુવાદના આરંભે જ નોંધે છે તેમ, સામગ્રીની દષ્ટિએ તો આ અધિકરણમાં, પરદેશનીતિનાં આગલાં અધિકરણોની અને ખાસ કરીને “પાગુણ્યવિષયક સાતમા અધિકરણના અધ્યાય ૧૪માથી ૧૭માની સામગ્રીનું જ વિસ્તરણ છે. આ વાત સાચી છે. પરંતુ આ અધિકરણમાં આપેલી બધી વિગતો ભલે નાવીન્ય ન ધરાવતી હોય, પણ વિગતો સંદર્ભભેદે નવી અને ભારપૂર્વક કહેવાવા જેવી છે. તે સંદર્ભ છે બળમાં પાછળ એવા રાજા કે શાસનની ઉન્નતિની ભરી-ભરી સંભાવનાને રાજનૈતિક આરોગ્ય સમતુલા અર્થે પોષવાની જરૂરનો. અહીં એ બાબત ખાસ ધ્યાન આપવા જેવી છે કે આમાં જે બળના ઊતરતાપણાનો સંદર્ભ છે તે સ્થૂળ સૈનિકબળ કે વ્યાયામબળના ઊતરતાપણાનો. કૌટિલ્ય ગ્રંથમાં બતાવેલી ત્રિવિધ શક્તિઓ પૈકીની મંત્રશક્તિ (બુદ્ધિબળ) તો અહીં ઉલ્લેખાયેલા નબળા રાજામાં સારી પેઠે હાજર છે તે વાત અધિકરણનું સમગ્ર નિરૂપણ જોતાં સ્પષ્ટ બને છે. અહીં જે બુદ્ધિબળ અભિપ્રેત છે તેનો પાયો આત્મબળ કે આત્મવિશ્વાસમાં પડેલો છે; એ જ છે આત્મવત્તા. ભર્તુહરિએ જે કહ્યું છે કે “વિક્નોથી ફરી-ફરી આઘાત પામતા ધીર-જનો નિશ્ચિત ધ્યેયની પ્રાપ્તિ સુધી પ્રયત્નમાંથી અટકતા નથી”૧૯, તે વાત આ અધિકરણના પાંચ અધ્યાયોમાં ચૂંટાઈ છે. પરદેશનીતિનાં જુદાં-જુદાં પાસાંઓમાં નિરંતર ભેદ-દંડ જેવા કાઠા, જોખમી ઉપાયોની વાત થયેલી છે. તેમાં “થાય એવા થઈએ, તો ગામ વચ્ચે રહીએ.' એ અટલ લૌકિક ન્યાય જ જળવાય છે. જેમ પરોક્ષતા કે સંબંધનું દૂરપણું વધે છે, તેમ માણસ નિપુર, નર્યો સ્વાર્થી અને અવિચારી બનતો જોવા મળે છે. આ અધિકરણનાં અધ્યાયો કે પ્રકરણો તપાસતાં એ ખ્યાલમાં આવે છે કે બળિયા શત્રુના પોતાના પરના સંભવિત આક્રમણની પૂર્વે કરવાના ઉપાયો, આક્રમણની પ્રક્રિયા દરમિયાન કરવાના ઉપાયો અને પોતે શત્રુથી કિલ્લામાં ઘેરાય ત્યારે કરવાના ઉપાયો – એમ ભિન્ન-ભિન્ન ઉપાય-તબક્કાઓનો વિચાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy