SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ૩૯ સંતાડવી?' – એવી નિર્ભય, નિ:સંદેહ વાત આ અધિકરણમાં પણ છે. અન્ય અધિકરણોની જેમ, આમાં પણ નિરૂપણમાં, ઉતાવળમાંથી અને કહેવા જેવી વાતોની વિપુલતામાંથી જન્મતી પ્રાસંગિક અવ્યવસ્થાઓ અને અસ્પષ્ટતાઓ જણાય છે; પણ તે ક્ષમ્ય અને સહ્ય છે. પ્રાચીન ભારતમાં લોકશાહીનો એક રસપ્રદ અને ગણનાપાત્ર પ્રયોગ “ગણરાજયો'રૂપે થયેલો તેની સંશોધનપૂર્ણ રજૂઆત પ્રાપ્ત વિવિધ પુરાવાઓને આધારે ભારતીય-વિદ્યાના વિવિધ વિદ્વાનોએ જુદી-જુદી રીતે કરેલી છે, જેમાંની એક ધ્યાનપાત્ર રજૂઆત શ્રી કાશીપ્રસાદ જયસ્વાલે તેમના “Hindu Polity' (‘હિંદુ રાજયવ્યવસ્થા') ગ્રંથમાં કરેલી છે. તે ગણરાજ્યોનાં સ્વરૂપ અને ગુણવત્તા બાબત ઘણા મતભેદો છે, અને રહેવાના જ. તેની ઐતિહાસિક જાણકારી પણ પાંખી ગણાય. કૌટિલ્યના સમયની અગાઉ જ તેવાં ગણરાજ્યો ખાસ કરીને ઉત્તર ભારતમાં અસ્તિત્વમાં આવેલાં અને વિવિધ પ્રકારે પ્રસિદ્ધિ પણ પામ્યાં હતાં. કૌટિલ્ય એ વિષે પણ પ્રત્યક્ષ-પરોક્ષ બંને પ્રકારની પાયાની અને વિશ્વાસપાત્ર જાણકારી મેળવી હોવાનું “અર્થશાસ્ત્રના અગિયારમા, માત્ર એક અધ્યાયના સંવૃત્ત નામના અધિકરણ પરથી સ્પષ્ટ થાય છે. કૌટિલ્ય પોતે સમજણપૂર્વક “#Iન્ય (જેમાં એક જ રાજા શાસક તરીકે હોય તેવું રાજ્યતંત્ર)ને પોતાના દેશ-કાળમાં ઉત્તમ શાસન-પદ્ધતિ માની હોવાનું “અર્થશાસ્ત્ર' અ..૬ના ઉત્તરાર્ધની વિસ્તૃત ચર્ચા પરથી, આઠમા અધિકરણના બીજા અધ્યાયના આરંભની કેટલીક ચર્ચાઓ પરથી, આ અગિયારમા અધિકરણમાં અને એકરાય-પદ્ધતિને જ સ્વીકારીને આખા ગ્રંથમાં કરેલી સર્વાગી ચર્ચાઓ પરથી પણ જણાય છે. સંસ્કૃતિ-પ્રેમીઓને કૌટિલ્યના એ ગણરાજ્ય અંગેના અનુભવજન્ય વિચારો જાણવાનું મન થાય જ. કૌટિલ્ય પોતે પૂર્વગ્રહમુક્ત, સર્વગુણગ્રાહી વિચારક તો છે જ. પણ તેઓ માત્ર તકશ્રિત સૈદ્ધાંતિક પાસાંનો જ વિચાર ન કરતાં વ્યવહારુ કે વાસ્તવલક્ષી પાસાંનો પણ ખૂબ ચીવટથી વિચાર કરે છે. તેમને પોતાના જમાનામાં ગણરાજ્યો એકંદરે આશાસ્પદ કે કસદાર લાગ્યાં નહિ હોય તે આ અધિકરણમાં સ્પષ્ટ થાય છે. ગણરાજ્ય માટે તેમણે “સ શબ્દ વાપર્યો છે – જે શબ્દ વિશેષતઃ જૈન અને બૌદ્ધ ધર્મસંગઠનો માટે પ્રચલિત બન્યો હતો. એથી આ અધિકરણનું નામ “ ઉત્તમ્' રાખ્યું છે. તેનો અર્થ “સંઘની વસ્તુસ્થિતિ' એવો કરવાનું સૌથી યોગ્ય લાગે છે. પ્રા.શ્રી કંગલેએ “સંઘો સાથેનું વર્તન' એવો અર્થ કર્યો છે, તે અધિકરણની મોટા ભાગની સામગ્રી જોતાં યોગ્ય લાગે, પણ તેમાં સંક્ષેપમાં સંઘોએ એકરાજયો સાથે પણ કેમ વર્તવું ને પોતાનું શાસન કેમ ચલાવવું તે વાત પણ કહી હોવાથી અને ભાષાકીય દૃષ્ટિએ પણ અગાઉ સૂચવેલો અર્થ સર્વસમાવેશક લાગે છે. કૌટિલ્ય આના આરંભે બે પ્રકારના સંઘો નિર્દેશ્યા છે એ પણ ઘણી મહત્ત્વની વાત છે; તે પ્રકારો છે : (૧) “વાર્તાશાસ્ત્રીપગીવી' એટલે કે ખેતી અને શસ્ત્રવિદ્યા બંનેથી જીવનારાઓનો સંઘ, અને (૨) રાનશબ્દોનીવી” – “રાજન્ય' બિરુદથી જીવતો અર્થાતુ કુળપરંપરાથી રાજવંશી અને રાજકાજનો જ વ્યવસાય કરતા ઉમરાવોનો સંઘ. જે મહત્ત્વનાં પ્રાચીન ભારતીય ગણરાજ્યો અનેક રીતે પ્રસિદ્ધ છે, તે બધાં લગભગ આ બીજા પ્રકારમાં જ સમાય છે, અને કૌટિલ્ય આ અધિકરણની સમગ્ર ચર્ચા એ પ્રકારને ધ્યાનમાં રાખીને જ કરવાનું ઉચિત માન્યું જણાય છે. એવા સાત રાજવંશોને આધારે ઓળખાતા ગણો કે સંધોનાં વિશેષનામો પણ આપ્યાં છે, જયારે વિદ્વાનોના મતે, પ્રથમ પ્રકારનાં પણ સંભવતઃ ચાર નામો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy