SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આયામોને – જોનારી હોવી જોઈએ; સત્યના અંશમાત્રને જોનારી નહિ. બુદ્ધિ જ ગજાદાર, સામર્થ્યશાળી અહિંસાનું, સામપટુતાનું જન્મસ્થાન છે; નિરહંકારિતા અને સમત્વનું ધામ છે. મહાભારતનું નાયકપદ જે પાત્રને આપવું ઘટે તે વ્યક્તિનું નામ, ભવ્ય “જ્ઞાનમય દીવો’ પેટાવનાર વ્યાસજીએ “યુધિષ્ઠિર(‘યુદ્ધમાં સ્થિર') – એવું આપ્યું છે તે જોતાં, તથા એ આખા ગ્રંથના હૃદયરૂપ “ભગવદ્ગીતા'નું “જવરમુક્ત એવો તું લડી લે” (યુધ્વસ્વ વિપતન્વર:) એવું વિવેકી આદેશવાક્ય કે મહાવાક્ય ધ્યાનમાં લેતાં, જીવનનાટકમાં યુદ્ધ પણ તેનું એક સહજ અંગ બનવા નિર્માયું છે તે સમજુ જનોના હૈયે ઠરતી વાત બની રહી છે. યુદ્ધ પણ કોઈ સંસ્કૃતિધ્વંસક કે માનવદ્રોહી ઉપદ્રવ નહિ, પણ સંસ્કૃતિરક્ષા કે સંસ્કૃતિસ્થાપના કરનારો જીવનવિધિ બની શકે. એથી, સરવાળે એ દૈષપ્રસારક વિધિ નહિ, પણ પાવન પ્રતાપ દ્વારા મનુષ્યના પ્રમાદમાત્રને, વિકારમાત્રને પડકારી, જનજનને ઢંઢોળનારું, ઊર્ધ્વ જીવનયાત્રા માટે સજ્જ કરનારું વિધાયક સામાજિક પરિબળ બની રહે. એ જ સંસ્કારવારસો ઝીલનાર કૌટિલ્ય અર્થશાસ્ત્રના દસમા અધિકરણમાં એ પ્રતાપી, વિવેકયુક્ત યુદ્ધવિધિનાં બધાં મુખ્ય પાસાંઓની વાત, એક-એક અધ્યાયમાં પ્રાયઃ બે કે ત્રણ મુદ્દા ઊલટથી ઠાંસીને ‘સાગ્રામ (સંગ્રામસંબંધી વાતો) એવું અધિકરણ-શીર્ષક આપીને કરી છે. તેમાં સંગ્રામ' (= સુંદર માનવમેળો !)નું માનવીય પાસું બરોબર જાળવવા સાથે પૂરી બૌદ્ધિક ગણતરી, શક્તિ-આદિના અતિવ્યયનું નિવારણ, લાંબા ગાળાની જરૂરિયાતોનું તથા લાંબા ગાળાના પરિણામો અંગેનું આયોજન - આવી સર્વાગીણ કાળજીવાળું નિરૂપણ, પરંપરા અને સ્વાનુભવ એ બંનેના આધારે કરી, યુદ્ધવિશેષજ્ઞોને પણ ખપનું વિશિષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. જુદી-જુદી પરિસ્થિતિ મુજબ શ્રેણીબદ્ધ વિકલ્પો આપવાનું કૌટિલ્ય ભાગ્યે જ ચૂકે છે. ક્યાંય યુદ્ધનું ચિત્રાત્મક વર્ણન કરવાના મોહમાં ન ફસાતાં, દરેક પાસાના વ્યવહારોપયોગી મુખ્ય બધા જ મુદ્દાઓનું સંક્ષિપ્ત પણ નિઃશંક કરે તેવું માર્ગદર્શક નિરૂપણ કરે છે. વચ્ચેવચ્ચે – ભલે બહુ જૂજ સ્થળોએ – માર્મિક રીતે સિદ્ધાંતનિર્દેશ પણ સચોટ રીતે કરી દેવાની એમની ટેવ એમની પ્રૌઢતાનો ભર્યો-ભર્યો પરિચય કરાવે છે. કુલ છ અધ્યાયમાં યુદ્ધછાવણી, પ્રયાણ, સૈન્યરક્ષાના ઉપાયો જેવાં યુદ્ધનાં પૂર્વાગોથી માંડીને યુદ્ધભૂમિમાં ચાર અંગોવાળા (ચતુરંગ) સૈન્યની વિવિધ શકય ગોઠવણી, યુદ્ધભૂમિની લાક્ષણિકતાઓ, ચાર અંગો માટે જરૂરી ભૂમિવિશેષતાઓ, શત્રુસૈન્યની ગોઠવણી મુજબ સ્વસૈન્યની ગોઠવણીના અનુરૂપ વિકલ્પો, વિવિધ સૈન્યબૃહો અને તેમના ઉપયોગના તે-તે અનુરૂપ પ્રસંગો, ચાર સૈન્યાંગોની વિવિધ યુદ્ધપદ્ધતિઓ અને તેમના યોગ્ય ઉપયોગ પ્રસંગો, કૂયુદ્ધ અને પ્રકાશયુદ્ધના અનુરૂપ ઉપયોગ પ્રસંગો – આવાં પ્રત્યક્ષ યુદ્ધક્રિયાસંબંધી પાસાંઓ પણ નિરૂપ્યાં છે. સૈન્યને યુદ્ધ માટે મન, બુદ્ધિ અને પ્રાણથી સજ્જ કરવા માટે અનુરૂપ પ્રોત્સાહન-પ્રકારોનું નિરૂપણ પણ રસપ્રદ અને મુલવણીયોગ્ય છે. વિવિધ સૈન્યપ્રકારોના ઉપયોગ-પ્રસંગો, અહીં પુનઃ, લાઘવથી નિર્દેશ્યા છે. કૂટયુદ્ધની સરખામણીમાં પ્રકાશયુદ્ધનું ચઢિયાતાપણું પણ નિર્દેશ્ય છે. અધિકરણનો છેલ્લો શ્લોક માર્મિક વાત કરે છે : “ધનુષ્યમાંથી છોડેલું બાણ લક્ષ્યને વીંધે કે ન પણ વીંધે; પરંતુ બુદ્ધિરૂપી શસ્ત્ર તો ગર્ભમાં સૂતેલા શત્રુને પણ અવશ્ય હણે !૧૮”, કૌટિલ્યની પ્રગલ્ય પ્રતિભાને અનુરૂપ એવું આ યુદ્ધનિરૂપણનું સમાપન છે. “છાશ લેવી અને વળી દોણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy