SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ સંજોગોને તેઓ બરોબર ઓળખે છે અને એ તબક્કે યુદ્ધ અંગે સાંગોપાંગ વિચારણા કરીને વિજયદાયી યુદ્ધ માટે અભિયાન કરવાના મતના છે. તો એ નિર્ણયની પ્રક્રિયામાં પ્રયાણ પૂર્વે કરવા યોગ્ય તટસ્થ વિચારણા અને પ્રયાણના નિર્ણયના ઔચિત્ય-પરીક્ષણ માટેનાં સર્વ ધ્યાનપાત્ર પાસાંઓનો કે સાવચેતીઓનો અનુભવ-આધારિત સંગ્રહ ગ્રંથકારે આ નવમાં અધિકરણમાં કર્યો છે. તેમાં આટલાં પાસાં નિર્દેશાયા છેઃ સ્વપક્ષની ત્રિવિધ શક્તિની કક્ષા, યુદ્ધકર્મ માટે ઉપલબ્ધ દેશ (પ્રદેશ કે ભૂમિ) તથા કાલ (ઋતુ કે સમયગાળો) – આ ત્રણે ય મુદે સ્વપક્ષ અને પરપક્ષનાં બળાબળનો હિસાબ, અનુરૂપ ઋતુકાળ, પોતાના પક્ષે લડી શકે તેવા સૈન્યના વિવિધ સામાજિક, રાજનૈતિક પ્રકારો પૈકી પ્રાપ્ત જે-તે પરિસ્થિતિમાં સંડોવવા લાયક એક કે અધિક ચોક્કસ સૈન્ય-પ્રકારો, એ પ્રકારોના લક્ષણભેદ કે સ્વભાવભેદ, સામાપક્ષના સૈન્યને અનુરૂપ પોતાની સેનાનાં ચતુરંગ (હાથી, ઘોડા, રથ, પાયદળ) પૈકી યોગ્ય અંગોની પસંદગી, યુદ્ધપ્રસ્થાનની કે યુદ્ધકર્મની સાથોસાથ રાજધાનીમાં કે સરહદ સહિતના બાકી રાજયમાં શક્ય લાગતા વિદ્રોહના શમન માટેના યોગ્ય ઉપાયોનું આગોતરું આયોજન, સમગ્ર યુદ્ધકર્મથી પરિણમતા સજીવોના ક્ષય, દ્રવ્યોના વ્યય અને તે સામે થનાર એકંદર લાભોની વાસ્તવિક ગણતરી, સ્વરાષ્ટ્રનાં દેશદ્રોહી તત્ત્વો સાથે શટાની શક્ય સાંઠગાંઠ સામેની યોગ્ય ઉપાયયોજના, તત્કાલનાં સારાં-નરસાં પરિણામોનાં પણ લાંબા ગાળાના પરિણામોની વિચારણા અને તે અંગે જરૂરી ઉપાય. આ આખું અધિકરણ કૌટિલ્યની ઊંડી અને સર્વાગી વ્યવહારુ સૂઝ ઉપરાંત વિશેષ તો યુદ્ધ અંગે કશું અવિચારી, અવિવેકી, મમતી પગલું ન ભરાઈ જાય, નરી વસ્તુલક્ષી રાજનીતિવિચારણા મુજબ બિન-અંગતપણે યુદ્ધનિર્ણય થાય તે માટેની ઊંડી નિસ્બત બતાવે છે. એ નોંધવું ઘટે કે આ અધિકરણની વિષયગૂંથણી ઠીક-ઠીકપણે અવ્યવસ્થિત છે – જેમ કે એક ને એક વાત જુદી-જુદી તરેહથી ફરી-ફરી ઉપાડાતાં સમજવામાં કાંઈક ગોટાળા થાય છે, ઘણે ઠેકાણે કહેવાની શત રસ્સી અસ્પષ્ટ જશ્ચય છે, કોઈક સ્થળે એક રિએક શ્વકીટ વસ્તુ સાથે રણજોડાયેલો જણાય છે ઈત્યાદિ. આમાંના ત્રીજા અધ્યાયનાં બે પ્રકરણોની ભેદરેખા ધૂંધળી કે પુનરાવર્તનને કારણે નહિવત્ જણાય છે. વળી આ અધ્યાયનું વસ્તુ પાછું થોડા ભિન્ન દૃષ્ટિકોણથી પાંચમા અધ્યાયમાં ફરી હાથ ધરાયું છે અને છઠ્ઠા અધ્યાયમાં પણ અંશતઃ પુનરાવર્તન પામ્યું છે ! એકંદરે છઠ્ઠા અધ્યાયના વિષયનું આગવાપણું બતાવી શકાય એમ નથી. “ભેદનીતિ કે ગુપ્તદંડ(વધ)નીતિ જ નવા-નવા આકારે વર્ણવી છે. સાતમા અધ્યાયનો વિષય અગાઉના ક્ષય-વ્યય-લાભ-વિમર્શનું જ રૂપાંતર લાગે છે; તેમ છતાં આખો અધ્યાય કહેવાની વાતને વિવિધ દૃષ્ટિકોણથી, સુસ્પષ્ટ રીતે, અનુરૂપ દષ્ટાંતો દ્વારા કહે છે. યુદ્ધનિર્ણયને ખૂબ તટસ્થપણે ચકાસવાની વાત પ્રૌઢપણે તેમાં ગૂંથાઈ છે. આવી બધી શૈલીગત કે રજૂઆતગત અવ્યવસ્થિતતા છતાં એકંદરે ગ્રંથકારની ઠરેલ બુદ્ધિનિષ્ઠા અવિચારી યુનિર્ણય સામે, વિવિધ રીતે આખા અધિકરણમાં ચેતવે છે. ઉત્સાહશક્તિમાં સમાતું શૌર્ય તે ક્રૌર્ય(કૂરતા)માં, ઝનૂનમાં, આસુરીપણામાં પરિણમતા વાર નથી લાગતી. કૌટિલ્ય સર્વદા મંત્રશક્તિને અર્થાત્ બુદ્ધિને માનવપ્રતિભાને સમતોલ બનાવતો શ્રેષ્ઠ ગુણ માને છે – ભલે પ્રસંગે, યોગ્ય મર્યાદામાં યુક્તિ કે કપટ પણ અપનાવાતાં હોય. અલબત્ત, આ બુદ્ધિ સમગ્ર સત્યને – એનાં વિવિધ સ્તરો કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy