SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ રાજકુળ સંબંધી) વિલાસિતા કે કલહશીલતા, સ્વ-પર-સૈન્યના ઉપદ્રવો, તંત્રાધિકારીઓ કે અસામાજિક જૂથોના ઉપદ્રવો, વ્યાપારી ઉપદ્રવો, ભૂમિનાં દબાણો તેમ જ વન્ય ઉપદ્રવોની ચર્ચા ગૂંથાઈ છે. એક રીતે જોતાં આ ચર્ચાઓ ચોથા કૃષ્ણોધન અધિકરણની વિસ્તૃત ચર્ચાઓનું લઘુરૂપ જ ગણાય તેવી છે. પણ લેખક કેટલીક વાતો જુદી-જુદી દષ્ટિએ કહેવા માટે પુનરાવર્તનને દોષરૂપ ગણતા નથી તે સમજી શકાય તેમ છે. (આ વ્યાખ્યાનોમાં પણ એવાં પુનરાવર્તનો આવી દષ્ટિએ જ હોઈ એમને દોષરૂપ ન ગણવાનું ન્યાયી ગણાશે. એ રીતે કેટલીક ધ્યાનપાત્ર બાબતો બરોબર ઘૂંટાય પણ છે.) સૈન્ય પણ રાજતંત્રનું ખૂબ સંવેદનશીલ અને કાર્યસાધક અંગ (“પ્રકૃતિ') હોઈ તેને ભૌતિક કે માનસિક પીડા જન્માવનારાં પરિસ્થિતિજન્ય અને વિશેષે તો તંત્રજન્ય પરિબળોની લગભગ સર્વસમાવેશક એવી ગણના, લેખક પાંચમા અધ્યાયના પૂર્વાર્ધમાં કરાવે છે. તેમાં યુદ્ધક્રિયા વખતની વિવિધ પરિસ્થિતિઓને પણ સમાવી છે. વળી તેમાં ક્રમશઃ બન્નેની જોડી લઈ તેમનો માંહોમાંહેનો ગુરુલઘુ-ભાવ પણ ચર્યો છે. આ ચર્ચામાં સૈન્યના સૈનિકોના વ્યક્તિગત કે સામુદાયિક દોષો કે પ્રજા પ્રત્યેના અનાચારો કે અત્યાચારોની ખૂબ જરૂરી ચર્ચાનો સદંતર અભાવ નવાઈ ઉપજાવે છે. (કદાચ સૈન્ય પોતે ક્યાં પરિબળોને કારણે પૂરતી કાર્યક્ષમતા ગુમાવે કે જેથી કોઈ રાજનૈતિક પગલું લેવામાં બાધા જન્મે તે સંદર્ભ જ અત્રે પ્રસ્તુત હોઈ આમ થયું હોય.) આ અધ્યાયના ઉત્તરાર્ધમાં મિત્રરાજારૂપ સાતમા રાજ્યાંગમાં બેદિલી સર્જનારાં પરિબળોની ચર્ચા માત્ર પદ્યોમાં જ કરવામાં આવી છે તે નોંધપાત્ર બાબત છે. આમાં પણ રાજા તરફથી મિત્રને પહોંચતી વિવિધકારણજન્ય જફાઓનો જ વિચાર કરાયો છે. એ રીતે કૌટિલ્ય રાજકીય મૈત્રીમાં વફાદારીના તત્ત્વને અહીં પણ સારી રીતે ઘૂંટી આપે છે. કૌટિલ્યને મન સત્યધર્મ એ રાજનીતિનો પણ સ્થાયિભાવ છે એ વાત એકંદરે સારી રીતે, ધ્રુવપંક્તિની જેમ, ઠેર-ઠેર ઘૂંટાતી રહે છે. આમ આ અધિકરણમાં સ્વામી(રાજા)થી માંડીને મિત્ર સુધીની સાતે ય પ્રકૃતિનાં વ્યસનોની ચર્ચા વત્તેઓછે અંશે ગૂંથાઈ છે. પરદેશનીતિના ચિંતનની શરૂઆતમાં સમગ્ર રાજકર્મને તાત્ત્વિક ઉચ્ચતમ ભૂમિકાથી છઠ્ઠા અધિકરણમાં મૂલવીને સમગ્ર પરદેશનીતિના, પરિસ્થિતિભેદે જુદા-જુદા રાજનૈતિક અભિગમોનો છ મુખ્ય પ્રકાર તરીકે સાતમા અધિકરણમાં વિચાર કરાયો. તેમાં સૌથી વધુ પ્રજ્ઞા, ઉત્સાહ અને ક્રિયાયોગ માગતો શત્રુ સંબંધી અભિગમ છે યુદ્ધના નિર્ણયરૂપ. તેમાં નિર્ણય, પ્રસ્થાન, યુદ્ધવ્યાપાર અને વિજયસિદ્ધિ-એ મુખ્ય પાસાં છે. તેમાં નિર્ણયપ્રક્રિયામાં મદદરૂપ પાસાંઓના ચિંતન પૈકી વ્યસનચિંતન આઠમા અધિકરણમાં કરાયું. હવે એ ઉપરાંત યુદ્ધનિર્ણય કરતાં પહેલાં બરોબર તપાસી લેવાની ગણતરી માંડી લેવા લાયક બાબતોનું ચિંતન નવમા અધિકરણમાં સાત અધ્યાયો દ્વારા કરાયું છે. તેનું શીર્ષક છે: માય (અર્થાત્ યુદ્ધનું અભિયાન કરવા સજ્જ બનવાની પૂર્વતૈયારીરૂપે કરવાનાં કામો કે તપાસી લેવાની બાબતો). કૌટિલ્ય પાથમાંના યાન (યુદ્ધપ્રમાણ)ને કે ચાર ઉપાયમાંના “દંડ ઉપાયને નછૂટકે હાથ ધરવા યોગ્ય – શક્ય હોય ત્યાં સુધી ટાળવા યોગ્ય– માને છે. છતાં એની અનિવાર્યતા ઊભી કરનારા ચોક્કસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy