SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ • ૩૫ માટે “વ્યસન' શબ્દ વપરાય છે; અહીં હવે પછીના અધિકરણમાં પણ એ બંને ય અર્થો ધ્યાનમાં લેવાયા છે. “વ્યસન' શબ્દનો મૂળ અર્થ વિનમ્ (ફેંકવું) ધાતુ પરથી આવો થાય છે : “મનુષ્યને કલ્યાણથી કે સફળતાથી વિવિધ રીતે દૂર ફંગોળનાર પરિબળો'. તો, સાતમા અધિકરણમાં પરદેશનીતિની સાંગોપાંગ ચર્ચા કર્યા બાદ, એના અમલ માટે આવશ્યક એવી જે સાતે ય ધિંગી પ્રકૃતિઓ છે, તેમને લાગુ પડતાં વ્યસનોની અનુભવસમૃદ્ધ, સારગર્ભ ચર્ચા આઠમા વ્યસનાથિરિમ્ નામના માત્ર પાંચ અધ્યાયના અધિકરણમાં મળે છે. આ ચર્ચામાં જુદાં-જુદાં વ્યસનોનાં ભારેપણા-હળવાપણાની (ગુરુ-લધુભાવની, તારતમ્યની) ચર્ચા પણ એટલે ઉમેરી છે કે કેટલીક વાર બધી જ પ્રકૃતિઓની કે તેમાંનાં બધાં જ પેટા પરિબળોની પૂરેપૂરી શુદ્ધિ કે દોષરહિતતા સધાઈ ન હોય, તો ક્યા દોષને કેટલું મહત્ત્વ આપવું અને તે નિર્ણય મુજબ સાચા પગલાનો નિર્ણય કરવો તેની સૂઝ પડે. વળી આનાથી શત્રુપક્ષ અને સ્વપક્ષનાં પ્રકૃતિસ્થિત જુદાં-જુદાં વ્યસનો જાણી-સમજીને સરવાળે પોતાની સ્થિતિનું યથાર્થ મૂલ્યાંકન કરી શકાય છે અને તે મુજબ જે-તે રાજકીય પગલાનાં સ્થળ-કાળનો નિર્ણય કરી શકાય છે. આ અધિકરણના પ્રથમ અધ્યાયમાં રાજ્યઘટકરૂપ સાત પ્રકૃતિના પારસ્પરિક મહત્ત્વક્રમની બહુ જ મૂલ્યવાનું ચર્ચા, વિવિધ વિચારકોના ઊલટા-સૂલટા મતોની રજૂઆત દ્વારા હાથ ધરાઈ છે. તે દ્વારા તે-તે પ્રકૃતિનાં વ્યસનોને સમગ્રપણે કેટલાં મહત્ત્વનાં ગણવાં તેનો નિર્ણય થઈ શકે છે. એક પ્રકૃતિનાં વ્યસનોને ઢાંકવાનું કે નિવારવાનું તેંનાથી અન્ય શુદ્ધ ચઢિયાતી પ્રકૃતિ દ્વારા થઈ શકે છે – એ વાત પણ આમાં ઉપસાવાઈ છે. આ દષ્ટિએ સ્વપક્ષની અને પરપક્ષની સમગ્ર પરિસ્થિતિનું ચોક્કસ માપ કાઢીને, ક્રિયાકાળનો નિર્ણય કરવાનો છે. બીજા અધ્યાયમાં સમગ્ર રાજકાજમાં બાધક વિશિષ્ટ પરિબળોની તુલનાત્મક ચર્ચા, તેવાં સંભવિત બે-બે વિપરીત કે ભિન્ન પરિબળોની જોડી લઈને કરાઈ છે; દા.ત. શાસનમાં વધુ બાધક પરિબળ કયું : બાહ્ય કોપ કે આત્યંતર કોપ,વૈરાજય (બે શાસકથી ચાલતું રાજ્ય) કે વૈરાજ (ઝાઝા રાજપુરુષોથી ચાલતું રાજય), શાસ્ત્રજ્ઞાનહીન સરળ રાજા કે શાસ્ત્રજ્ઞાનયુક્ત કુટિલ રાજા, જૂનો રોગગ્રસ્ત રાજા કે રોગરહિત નવો રાજા, કુલીન પણ દુર્બળ એવો નવો રાજા કે હીનકુળનો બળવાન રાજા, શત્રુ દ્વારા થતો ઊભાં (તૈયાર) ધાન્યનો નાશ કે નવી વાવણીનો નાશ, અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ ? બધી ચર્ચાઓ ટૂંકી, પણ પ્રૌઢ અને માર્ગદર્શક છે. ત્રીજા અધ્યાયમાં ‘વ્યસન' શબ્દના “ખરાબ આદતો' એ વધુ પ્રચલિત અર્થને ધ્યાનમાં લઈને ચર્ચા છે. પ્રસિદ્ધ સ્મૃતિગ્રંથોએ ચીંધેલા ક્રોધજન્ય વ્યસનો અને કામજન્ય વ્યસનો પૈકીનાં અનુક્રમે ત્રણ અને ચાર સૌથી વધુ હાનિકર વ્યસનોની અને તેમની પારસ્પરિક ગુરુ-લઘુ-ભાવની સુંદર વ્યવહારુ ચર્ચા કરાઈ છે. તેમાં પણ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની ઢબે ચર્ચા થઈ હોઈ તે રસપ્રદ બની છે. પ્રથમ અધિકરણમાં કરાયેલી ઇન્દ્રિય-જયની ચર્ચાનું જ, અહીં રાજપુરુષો માટેનું વ્યવહારોપયોગી વિસ્તરણ જોવા મળે છે. સામાન્ય રૂપે રાજકાજમાં અવરોધરૂપ બનતી નાની-નાની, પણ પીડા જન્માવનારી કઠણાઈઓની ચર્ચા માત્ર નમૂનારૂપે ચોથા અધ્યાયમાં કરીને ગ્રંથકારે રાજકાજ કેવો નિત્યની અપ્રમાદ, કેવી નિત્યનવી સજ્જતા માગે છે તે વાત જ ઘૂંટી છે. તેમાં કુદરતી આપત્તિઓ ઉપરાંત સામુદાયિક (પ્રજાકીય કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy