SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ગતિશીલ પરખ પર મંડાય છે. વિજિગીષુનું (રાજાનું) અને તે દ્વારા તેના સમગ્ર તંત્રનું તેમ જ તેની સમગ્ર પ્રજાનું ન્યાયોચિત આત્મસ્થાપન તે સમગ્ર ષાગુણ્યનું, પરદેશનીતિનું ધ્યેય છે. આથી માનવની સાંસ્કૃતિક જીવન કે સભ્ય વ્યવહાર માટેની મથામણ પણ તેમાં આંતર-પ્રવાહરૂપે જરૂર ચાલે છે. માનવમાં, સ્વભાવને લીધે કે પરિસ્થિતિને લીધે દઢમૂલ બનેલી વેર-દ્વેષની ઘો૨ વૃત્તિઓની અને તજન્ય ઉચ્છેદક પ્રવૃત્તિઓની કાયમી ખબરદારી દ્વારા તેને વાજબી રીતે નિયંત્રણમાં રાખીને, માનવમાં સંભવિત એવી, તેનાથી ઊલટા સ્વરૂપની મૈત્રી, વિશ્વાસ અને સહયોગની વૃત્તિઓને પણ ઓળખી, તેનો રચનાત્મક, સર્વહિતકર ઉપયોગ કરવાની દૂરંદેશિતા આ ષાદ્ગુણ્યમાં સમાયેલી છે. સંધિ-વિગ્રહ, આસન-યાન, સંશ્રય-દ્વૈધીભાવ એવી ત્રણ જોડીઓરૂપ ખાદ્ગુણ્ય શમ-વ્યાયામના સમતોલ પ્રયોગરૂપ સંકુલ રાજનીતિ છે. ૩૪ ગ્રંથના બે વિભાગો પૈકીના બીજા પરદેશનીતિસંબંધી વિભાગનું આ સૌથી વિસ્તૃત અને સૌથી મહત્ત્વનું અધિકરણ છે. આગલા છઠ્ઠા અધિકરણમાં એ પણ સ્પષ્ટ કરાયું છે કે ષાદ્ગુણ્ય એ શમ અને વ્યાયામરૂપ દ્વિવિધ કાર્યપદ્ધતિની ‘યોનિ’ અર્થાત્ તેને સાકાર કરનારી, પરિસ્થિતિભેદને અનુસરનારી વિસ્તૃત યોજના છે. આમાં શક્ય હોય ત્યાં સુધી પ્રજ્ઞાજન્ય શાંત ઉપાયો અને અભિગમો દ્વારા પોતાના રાષ્ટ્રની અન્ય રાષ્ટ્રો સાથેની રાજનૈતિક સમસ્યાઓનો ઉકેલ શોધવાની યોજના છે. છ ગુણો કે નીતિઓ પૈકી ત્રણ તો સ્પષ્ટપણે અહિંસક અને રચનાત્મક છે. આમાંના એક-એક ગુણના કે એકાધિક ગુણોના શક્ય દરેક સંયોજનના પ્રયોગની જે દિશા વિગતવાર, તે-તે પરિસ્થિતિના અન્વયે બતાવી છે, તે ધ્યાનથી સમજવા જેવી અને મૂલવવા જેવી છે. દેખીતી રીતે તો આમાં નગ્ન રાજનૈતિક સ્વાર્થને સર્વત્ર પ્રાધાન્ય અપાયું છે. પણ ધ્યાનથી વાંચનારને તેની પાછળ ઝલમલતી ક્ષત્રિયોચિત ધીટતા (બેધડક હિંમત), ન્યાયસ્થાપન બાબતની દૃઢ સંકલ્પશક્તિ, દુષ્ટનિગ્રહસજ્જતા, લોકહિતત્પરતા ઇત્યાદિ માનવોચિત સંસ્કૃતિ-વિધાયક વૃત્તિઓ દેખાયા વિના રહેતી નથી. વિવિધ કક્ષાની રાજકીય મૈત્રીઓના અત્યંત નિપુણ પ્રયોગો ખૂબ વિપુલ પ્રમાણમાં વિવિધ અધ્યાયોમાં વર્ણવાયા છે. અલબત્ત, પ્રત્યેક પગલે અત્યંત સાવધાન પરીક્ષણશક્તિ ગુપ્તચરતંત્ર વગેરે દ્વારા સક્રિય રાખવાની શીખ સર્વત્ર અપાઈ છે. એકંદરે ઉત્કૃષ્ટ બુદ્ધિવ્યાપાર જ સમગ્ર રાજનીતિનો નિયામક બતાવાયો છે. અધિકરણના છેવટના એક મર્માળા શ્લોકમાં કહેવાયું છે : “આમ અંદરોઅંદર ગૂંથણી પામતું સમગ્ર ષાદ્ગુણ્ય જેની દૃષ્ટિમાં સતત રહે છે, તે પોતાની બુદ્ધિરૂપી બેડીઓથી બાંધવામાં આવેલા અન્ય રાજાઓ સાથે મનમાની રમત રમે છે૧૭”. રાજનીતિનું કેવું દિલદાર વર્ણન ! આ વાતનું જ દર્શનીય નિરૂપણ વિશાખદત્તના ‘મુદ્રારાક્ષસ' નાટકમાં મળે છે. સમગ્ર રાજકાજ માટે અને ખાસ કરીને સંગીન પરદેશનીતિ આચરવા માટે સૌથી પાયાની વાત છે રાષ્ટ્રપોષક સાતે ય પ્રકૃતિઓનાં (રાજ્યાંગોનાં) શુદ્ધિ અને સામર્થ્યની જાળવણીની, તેની મહત્તમ વૃદ્ધિની. ભાગ્યદોષથી કે મનુષ્યદોષથી આ પ્રકૃતિઓ તે-તે દોષોથી ઘેરાઈ શકે છે. તેને કારણે રાજકાજમાં વત્તે-ઓછે અંશે બાધા કે સંકટ ઊભાં થઈ શકે છે. પરદેશનીતિમાં સફળતા માટે તો આ દોષોનું પૂર્ણ કે મહત્તમ નિવારણ અનિવાર્ય એટલા માટે બને છે કે તેમાં પરાયાં સાથે ઘોર દ્વેષ કે કપટો વચ્ચે કામ કરવાનું હોય છે. આવા, પોતાને પક્ષે બાધક બનતા સંભવિત દોષો કે પરિબળોને ‘વ્યસન’ એ વ્યાપક અર્થ ધરાવતા શબ્દથી ઓળખવામાં આવે છે. બાહ્ય આપત્તિઓ કે મનુષ્યના સ્વભાવજન્ય દોષો – એ બંને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy